મહારાજા સ્વ.પ્રદ્યુમ્નસિંહજી જાડેજાને પણ તેમના વડીલો પાસેથી 685 એકર 15 ગુંઠા જમીન વીડીની જમીન પૂર્વજો પાસેથી મળી હતી
ઠાકોર માંધાતાસિંહની મામલતદાર કચેરીનાં અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાને કારણે મામલો દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે - રણશૂરવીરસિંહ જાડેજા
WatchGujarat. રાજવી પરિવારની મિલકતનો વિવાદ સતત વકરી રહ્યો છે. પ્રથમ તો ઠાકોર માંધાતાસિંહનાં બહેન અંબાલિકાદેવી દ્વારા ભાઈ સામે કેસ કરાયો હતો. અને ત્યારબાદ ભત્રીજા રણશૂરવીરસિંહે અદાલતનાં દ્વાર ખખડાવ્યા હતા. ત્યારે આજરોજ રણશૂરવીરસિંહની એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તેમણે ઠાકોર માંધાતાસિંહની અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરતા આ મુદ્દે 10 ઓગષ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હોવાનું જણાવ્યું હતું.
રણશૂરવીરસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ઠાકોર માંધાતાસિંહની મામલતદાર કચેરીનાં અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાને કારણે મામલો દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અગાઉ વર્ષ 2016માં મામલતદાર કચેરીના એક અધિકારી કે. કે. જાડેજા અને પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ રૂ. 10 કરોડની માંગ કરી હતી. જેને લઈ પોતે 10 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. અને આ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
વધુમાં રણશૂરવીરસિંહે જણાવ્યું હતું કે, મહારાજા સ્વ.પ્રદ્યુમ્નસિંહજી જાડેજાને પણ તેમના વડીલો પાસેથી 685 એકર 15 ગુંઠા જમીન વીડીની જમીન પૂર્વજો પાસેથી મળી હતી. જે વડીલોપાર્જિત અને સંયુક્ત કુટુંબની મિલકત છે. તેમાં તેઓના વારસદારો એટલે કે, અમારો વણવહેંચાયેલો હિસ્સો છે. કારણ કે, તેના મીટ્સ એન્ડ બાઉન્ડ્સના આધારે ભાગ પડ્યા નથી. અગાઉ પ્રદ્યુમ્નસિંહજીએ સ્વ. મનોહરસિંહજીની તરફેણમાં વિલ કરી આપ્યું હતું. પણ મનોહરસિંહજી દ્વારા વીલનું પ્રોબેટ અથવા લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન કોર્ટથી મેળવેલું નથી અને તેથી સ્વ. મનોહરસિંહજીનો કોઇ હક્ક-અધિકાર આ પ્રોપર્ટી પર સ્થાપિત થતો નથી.
[caption id="attachment_1385102" align="aligncenter" width="640"] Rajkot - royal family property dispute[/caption]
ઉપરાંત એવું કહેવાય છે કે તેમના પિતા અનિરુદ્ધસિંહે હક્ક જતો કર્યો છે તે શક્ય નથી કારણ કે, રજિસ્ટ્રેશન એક્ટમાં જોગવાઈ કરાઇ છે કે સો રૂપિયાથી વધારે કિંમતની સ્થાવર મિલકતમાં જો કોઇ વ્યક્તિનો હક્ક હિસ્સો હોય તે માત્ર સબ રજિસ્ટ્રાર સમક્ષ સોગંદનામું કરી તેને રજિસ્ટર્ડ કરાવે ત્યાર બાદ દૂર થાય છે. જ્યારે એવું કહેવાય છે કે, અનિરુદ્ધસિંહે માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી કરીને તેનો હક્ક જતો કર્યો છે. જે કાયદેસર ન હોવાથી સ્વ.પ્રદ્યુમ્નસિંહના કાયદેસરના વારસદાર તેમના પિતા હતા અને છે તેમજ 685 એકર જગ્યામાં તેમના પિતાનો પણ હક્ક છે અને તે હિસ્સો મેળવવા માટે પોતે સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રણશૂરવીરસિંહે ખાસ 11 મિલકતો કે, જેમા 675 એકર ખેતીની જમીન, વીડી - રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે પણ મિલકતોનો ઉલ્લેખ નથી તે માટે પણ કેસ દાખલ કર્યો છે. જેમાં પેલેસ રોડનો મહેલ, તેમજ રાંદરડા તળાવ પર આઉટ હાઉસ તેમજ જમીન, કરોડો રૂપિયાના દેના બેંક હાઉસનો પણ સમાવેશ થાય છે. જેમાં પણ પેલેસ રોડનો મહેલ અને તેની જમીનની જ કિંમત 500 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે. આ મિલકતોની અંદાજીત કિંમત રૂ. 20 હજાર કરોડ હોવાનું જણાવાઈ રહ્યું છે.
મહારાજા સ્વ.પ્રદ્યુમ્નસિંહજી જાડેજાને પણ તેમના વડીલો પાસેથી 685 એકર 15 ગુંઠા જમીન વીડીની જમીન પૂર્વજો પાસેથી મળી હતી
ઠાકોર માંધાતાસિંહની મામલતદાર કચેરીનાં અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાને કારણે મામલો દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે - રણશૂરવીરસિંહ જાડેજા
WatchGujarat. રાજવી પરિવારની મિલકતનો વિવાદ સતત વકરી રહ્યો છે. પ્રથમ તો ઠાકોર માંધાતાસિંહનાં બહેન અંબાલિકાદેવી દ્વારા ભાઈ સામે કેસ કરાયો હતો. અને ત્યારબાદ ભત્રીજા રણશૂરવીરસિંહે અદાલતનાં દ્વાર ખખડાવ્યા હતા. ત્યારે આજરોજ રણશૂરવીરસિંહની એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તેમણે ઠાકોર માંધાતાસિંહની અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરતા આ મુદ્દે 10 ઓગષ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હોવાનું જણાવ્યું હતું.
રણશૂરવીરસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ઠાકોર માંધાતાસિંહની મામલતદાર કચેરીનાં અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાને કારણે મામલો દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અગાઉ વર્ષ 2016માં મામલતદાર કચેરીના એક અધિકારી કે. કે. જાડેજા અને પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ રૂ. 10 કરોડની માંગ કરી હતી. જેને લઈ પોતે 10 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. અને આ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
વધુમાં રણશૂરવીરસિંહે જણાવ્યું હતું કે, મહારાજા સ્વ.પ્રદ્યુમ્નસિંહજી જાડેજાને પણ તેમના વડીલો પાસેથી 685 એકર 15 ગુંઠા જમીન વીડીની જમીન પૂર્વજો પાસેથી મળી હતી. જે વડીલોપાર્જિત અને સંયુક્ત કુટુંબની મિલકત છે. તેમાં તેઓના વારસદારો એટલે કે, અમારો વણવહેંચાયેલો હિસ્સો છે. કારણ કે, તેના મીટ્સ એન્ડ બાઉન્ડ્સના આધારે ભાગ પડ્યા નથી. અગાઉ પ્રદ્યુમ્નસિંહજીએ સ્વ. મનોહરસિંહજીની તરફેણમાં વિલ કરી આપ્યું હતું. પણ મનોહરસિંહજી દ્વારા વીલનું પ્રોબેટ અથવા લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન કોર્ટથી મેળવેલું નથી અને તેથી સ્વ. મનોહરસિંહજીનો કોઇ હક્ક-અધિકાર આ પ્રોપર્ટી પર સ્થાપિત થતો નથી.
[caption id="attachment_1385102" align="aligncenter" width="640"] Rajkot - royal family property dispute[/caption]
ઉપરાંત એવું કહેવાય છે કે તેમના પિતા અનિરુદ્ધસિંહે હક્ક જતો કર્યો છે તે શક્ય નથી કારણ કે, રજિસ્ટ્રેશન એક્ટમાં જોગવાઈ કરાઇ છે કે સો રૂપિયાથી વધારે કિંમતની સ્થાવર મિલકતમાં જો કોઇ વ્યક્તિનો હક્ક હિસ્સો હોય તે માત્ર સબ રજિસ્ટ્રાર સમક્ષ સોગંદનામું કરી તેને રજિસ્ટર્ડ કરાવે ત્યાર બાદ દૂર થાય છે. જ્યારે એવું કહેવાય છે કે, અનિરુદ્ધસિંહે માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી કરીને તેનો હક્ક જતો કર્યો છે. જે કાયદેસર ન હોવાથી સ્વ.પ્રદ્યુમ્નસિંહના કાયદેસરના વારસદાર તેમના પિતા હતા અને છે તેમજ 685 એકર જગ્યામાં તેમના પિતાનો પણ હક્ક છે અને તે હિસ્સો મેળવવા માટે પોતે સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રણશૂરવીરસિંહે ખાસ 11 મિલકતો કે, જેમા 675 એકર ખેતીની જમીન, વીડી - રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે પણ મિલકતોનો ઉલ્લેખ નથી તે માટે પણ કેસ દાખલ કર્યો છે. જેમાં પેલેસ રોડનો મહેલ, તેમજ રાંદરડા તળાવ પર આઉટ હાઉસ તેમજ જમીન, કરોડો રૂપિયાના દેના બેંક હાઉસનો પણ સમાવેશ થાય છે. જેમાં પણ પેલેસ રોડનો મહેલ અને તેની જમીનની જ કિંમત 500 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે. આ મિલકતોની અંદાજીત કિંમત રૂ. 20 હજાર કરોડ હોવાનું જણાવાઈ રહ્યું છે.