રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી ધો – 6 થી 8 નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયું
સોશિયલ ડિસ્ટરન્સ અને માસ્ક પહેરેલ વિદ્યાર્થીઓને જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો - નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિત
શાળાએ આવતા વિદ્યાર્થીઓને સેનીટાઈઝર આપીને વર્ગખંડમાં મોકલાયા
WatchGujarat. કોરોના મહામારીમાંથી ગુજરાત ધીમેધીમે અનલોક થઈ રહ્યું છે. અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ કરાવ્યું છે. જે અંતર્ગત કોલેજો અને ધોરણ 12ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરાયા બાદ ધોરણ 9થી 11ની સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. હવે આજથી રાજ્યની તમામ બોર્ડની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધોરણ 6થી 8ના વર્ગોનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. શાળાઓ શરૂ થતાં શિક્ષકો - વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ તકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની તમામ શાળાઓમાં સરકારની ગાઈડલાઈન મુજબ ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં મહાનગરપાલિકા સંચાલિત શાળામાં પણ ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ કરાયો છે. જેમાં આ સમિતિનાં હોદ્દેદારોએ વિદ્યાર્થીને ભાવભેર આવકાર્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટરન્સ અને માસ્ક પહેરેલ વિદ્યાર્થીઓને જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાએ આવતા વિદ્યાર્થીઓને સેનીટાઈઝર આપીને વર્ગખંડમાં મોકલાયા હતા. અને બીજીતરફ બીમાર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.
રાજકોટમાં ધો.૬થી ૮ના વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. અને કોરોનાની તમામ ગાઇડલાઇનના પાલન સાથે આજથી વિદ્યાર્થીઓ હોંશભેર શાળાએ પહોંચ્યા હતા. મહત્વનું છે કે વિદ્યાર્થીઓએ વર્ગમાં આવતા પહેલા વાલીઓની સમંતી લેવી આવશ્યક રહેશે. એક ક્લાસમાં 50% જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ચંપકભાઈ વોરા શાળા નં.૨૩માં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને હેન્ડ સેનેટાઈઝ તેમજ થર્મલ ગનથી તાપમાન માપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને ક્લાસમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી ધો – 6 થી 8 નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયું
સોશિયલ ડિસ્ટરન્સ અને માસ્ક પહેરેલ વિદ્યાર્થીઓને જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો - નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિત
શાળાએ આવતા વિદ્યાર્થીઓને સેનીટાઈઝર આપીને વર્ગખંડમાં મોકલાયા
WatchGujarat. કોરોના મહામારીમાંથી ગુજરાત ધીમેધીમે અનલોક થઈ રહ્યું છે. અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ કરાવ્યું છે. જે અંતર્ગત કોલેજો અને ધોરણ 12ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરાયા બાદ ધોરણ 9થી 11ની સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. હવે આજથી રાજ્યની તમામ બોર્ડની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધોરણ 6થી 8ના વર્ગોનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. શાળાઓ શરૂ થતાં શિક્ષકો - વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ તકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની તમામ શાળાઓમાં સરકારની ગાઈડલાઈન મુજબ ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં મહાનગરપાલિકા સંચાલિત શાળામાં પણ ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ કરાયો છે. જેમાં આ સમિતિનાં હોદ્દેદારોએ વિદ્યાર્થીને ભાવભેર આવકાર્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટરન્સ અને માસ્ક પહેરેલ વિદ્યાર્થીઓને જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાએ આવતા વિદ્યાર્થીઓને સેનીટાઈઝર આપીને વર્ગખંડમાં મોકલાયા હતા. અને બીજીતરફ બીમાર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.
રાજકોટમાં ધો.૬થી ૮ના વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. અને કોરોનાની તમામ ગાઇડલાઇનના પાલન સાથે આજથી વિદ્યાર્થીઓ હોંશભેર શાળાએ પહોંચ્યા હતા. મહત્વનું છે કે વિદ્યાર્થીઓએ વર્ગમાં આવતા પહેલા વાલીઓની સમંતી લેવી આવશ્યક રહેશે. એક ક્લાસમાં 50% જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ચંપકભાઈ વોરા શાળા નં.૨૩માં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને હેન્ડ સેનેટાઈઝ તેમજ થર્મલ ગનથી તાપમાન માપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને ક્લાસમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.