શિક્ષણધામમાં આ રીતે પુખ્તવયના કુમળા બાળકોને નજીવી બાબતે માર મારવો કેટલો યોગ્ય?
NSUIએ સ્કુલ સંચાલકને બાનમા લીધા બાદ પોલીસ પણ દોડી આવી
આવી ઘટનાઓ શિક્ષણજગત માટે શરમજનક છે. શિક્ષકોએ પણ સંયમ રાખી શિક્ષા આપવી જોઈએ - NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુત
WatchgGujarat. સોશિયલ મીડીયામાં એક વિદ્યાર્થીને શિક્ષક બેહરહમીથી માર મારતો વીડીયો વાયરલ થયો હતો. જે નાનામવા મેઈન રોડ પર આવેલી મહાત્મા ગાંધી સ્કુલનો હોવાની જાણ થતા જ જીલ્લા NSUI ટીમ તાત્કાલિક સ્કુલ પર પહોંચી હતી. અને સંચાલકોની ચેમ્બરમા હલ્લાબોલ કરી સમ્રગ હકીકત જાણી હતી. જેમા 12 કોમર્સમા અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ નજીવી ટીખળ કરતા અર્થશાસ્ત્રના શિક્ષક ભરતભાઈ સરવૈયાએ આવેશમા આવી માર માર્યાનુ સામે આવ્યુ હતુ.
https://youtu.be/A2TmXNOsoJg
શિક્ષણધામમાં આ રીતે પુખ્તવયના કુમળા બાળકોને નજીવી બાબતે માર મારવો કેટલો યોગ્ય? બાળક મસ્તી,મજાક કે ભુલ ના કરે તો કોણ કરે ? શિક્ષાત્મક પગલા લેવા એ શિક્ષકની ફરજ છે પણ મારવાની સતા આપી કોણે ? આવેશમા આવેલ શિક્ષકથી વિદ્યાર્થીને માથાના ભાગે કે એવા અંગ પર ઈજા થઈ હોય અને કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ ? જો આ બાબતે વિદ્યાર્થીની માનસિકતા ઉપર ઉંધી અસર કરી હોત તેને કોઈપણ પગલુ ભરી લીધુ હોત તો ? આવા ઘણા સવાલોથી NSUIએ સ્કુલ સંચાલકને બાનમા લીધા બાદ પોલીસ પણ દોડી આવી હતી.
ભારે રકઝક બાદ કાર્યકરોએ માર મારનાર શિક્ષકને ફરજ પરથી મુક્ત કરવાની લેખીતમા બાંહેધરી લીધી હતી. જો કે વિદ્યાર્થી પ્રતિનિધિઓએ ભોગ બનનાર વિદ્યાર્થીનો પણ સંપર્ક કર્યો હતો. તેમજ આશ્વાસન આપી અને જરુર પડ્યે પોલીસ કાર્યવાહી કરવાનું પણ જણાવ્યુ હતુ. આ બાબતે જીલ્લા NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યુ હતુ કે આવી ઘટનાઓ શિક્ષણજગત માટે શરમજનક છે. શિક્ષકોએ પણ સંયમ રાખી શિક્ષા આપવી જોઈએ. વિદ્યાર્થી સંગઠન તરીકે અમારી ફરજ છે કે આવી ઘટનાઓ સમાજમાં ભવિષ્યમા થતી અટકે એટલે શિક્ષક પર પગલા લેવા અમારી માંગ હતી. NSUI દ્વારા આ મુદ્દે જીલ્લા શિક્ષણ અધિકારીને પણ રજુઆત કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.
શિક્ષણધામમાં આ રીતે પુખ્તવયના કુમળા બાળકોને નજીવી બાબતે માર મારવો કેટલો યોગ્ય?
NSUIએ સ્કુલ સંચાલકને બાનમા લીધા બાદ પોલીસ પણ દોડી આવી
આવી ઘટનાઓ શિક્ષણજગત માટે શરમજનક છે. શિક્ષકોએ પણ સંયમ રાખી શિક્ષા આપવી જોઈએ - NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુત
WatchgGujarat. સોશિયલ મીડીયામાં એક વિદ્યાર્થીને શિક્ષક બેહરહમીથી માર મારતો વીડીયો વાયરલ થયો હતો. જે નાનામવા મેઈન રોડ પર આવેલી મહાત્મા ગાંધી સ્કુલનો હોવાની જાણ થતા જ જીલ્લા NSUI ટીમ તાત્કાલિક સ્કુલ પર પહોંચી હતી. અને સંચાલકોની ચેમ્બરમા હલ્લાબોલ કરી સમ્રગ હકીકત જાણી હતી. જેમા 12 કોમર્સમા અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ નજીવી ટીખળ કરતા અર્થશાસ્ત્રના શિક્ષક ભરતભાઈ સરવૈયાએ આવેશમા આવી માર માર્યાનુ સામે આવ્યુ હતુ.
શિક્ષણધામમાં આ રીતે પુખ્તવયના કુમળા બાળકોને નજીવી બાબતે માર મારવો કેટલો યોગ્ય? બાળક મસ્તી,મજાક કે ભુલ ના કરે તો કોણ કરે ? શિક્ષાત્મક પગલા લેવા એ શિક્ષકની ફરજ છે પણ મારવાની સતા આપી કોણે ? આવેશમા આવેલ શિક્ષકથી વિદ્યાર્થીને માથાના ભાગે કે એવા અંગ પર ઈજા થઈ હોય અને કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ ? જો આ બાબતે વિદ્યાર્થીની માનસિકતા ઉપર ઉંધી અસર કરી હોત તેને કોઈપણ પગલુ ભરી લીધુ હોત તો ? આવા ઘણા સવાલોથી NSUIએ સ્કુલ સંચાલકને બાનમા લીધા બાદ પોલીસ પણ દોડી આવી હતી.
ભારે રકઝક બાદ કાર્યકરોએ માર મારનાર શિક્ષકને ફરજ પરથી મુક્ત કરવાની લેખીતમા બાંહેધરી લીધી હતી. જો કે વિદ્યાર્થી પ્રતિનિધિઓએ ભોગ બનનાર વિદ્યાર્થીનો પણ સંપર્ક કર્યો હતો. તેમજ આશ્વાસન આપી અને જરુર પડ્યે પોલીસ કાર્યવાહી કરવાનું પણ જણાવ્યુ હતુ. આ બાબતે જીલ્લા NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યુ હતુ કે આવી ઘટનાઓ શિક્ષણજગત માટે શરમજનક છે. શિક્ષકોએ પણ સંયમ રાખી શિક્ષા આપવી જોઈએ. વિદ્યાર્થી સંગઠન તરીકે અમારી ફરજ છે કે આવી ઘટનાઓ સમાજમાં ભવિષ્યમા થતી અટકે એટલે શિક્ષક પર પગલા લેવા અમારી માંગ હતી. NSUI દ્વારા આ મુદ્દે જીલ્લા શિક્ષણ અધિકારીને પણ રજુઆત કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.