18 સપ્ટે.થી નાટયગૃહનું બુકિંગ શરૂ કરવામાં આવશે
નવા અધતન મેઈન થીયેટરનું ભાડું 10 હજાર રૂપિયા અને 20 હજાર રૂપિયા ડીપોઝીટ નક્કી કરવામાં આવ્યા છે
રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈને આ નાટગૃહ નમૂનારૂપ બને તે માટે સતત માર્ગદર્શન આપ્યું - સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા
WatchGujarat. સમગ્ર ગુજરાતમાં નાટ્ય મંચન કે પછી અન્ય કાર્યક્રમો માટે બધાનું માનીતું હેમુગઢવી નાટ્યગૃહે હવે નવા રંગપ ધારણ કર્યા છે. અને હવે ટૂંક સમયમાં અહી કાર્યક્રમો પણ શરૂ થશે. રાજ્ય સરકાર દ્રારા નિર્મિત અને સરગમ કલબ દ્રારા સંચાલિત હેમુ ગઢવી નાટ્ય ગૃહનું આશરે 6 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે અને હવે કલાકારો ઉપરાંત દર્શકોને વધુ સુવિધા સાથેનું નાટગ બન્યું છે. આ અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા ખાસ હાજર રહ્યા હતા. અને સરગમ ક્લબની પ્રવૃતિઓ વિશે જાણકારી આપતા પત્રકારોને કહ્યું હતું કે, ખોટું કરીએ તો કાન આમળજો.
https://youtu.be/jBMG17g4Z-Q
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈને આ નાટગૃહ નમૂનાપ બને તે માટે સતત માર્ગદર્શન આપ્યું હતું. અને આજે અમને આનદં છે કે, આ નાટ્ય ગૃહ રાજકોટની કલા પ્રેમી જનતાની સેવા કરવા માટે તૈયાર છે. ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, કોરોના અને નવીનીકરણની કામગીરીને કારણે હેમુ ગઢવી નાટગૃહના બંને થીયેટર છેલ્લાં 18 માસથી બંધ હતા. પરંતુ હવે આ નવીનીકરણ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, મોટાભાગે તા. 18 સપ્ટે.થી નાટયગૃહનું બુકિંગ શરૂ કરવામાં આવશે. નવીનીકરણ પામેલા નાટ્યગૃહમાં આરામદાયક ખુરશીઓ નાખવામાં આવી છે. એટલું જ નહી અધતન લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ નાખવામાં આવી છે. બંને થીયેટરમાં કાર્પેટ પણ બદલી નાખવામાં આવી છે. આ ઉપરાંત નવું કલરકામ, નવી સુવિધા, સ્ટેજ લાઈટ, એર કંડીશન સીસ્ટમ, અને એક્રોલીક વોલ પેનલિંગ અને એકોસ્ટિક સિલિંગ, સ્ટેજ ઉપર વુડન ફલોરિંગ, વોટર પ્રુફીંગ, નવી બુકિંગ ચેમ્બર, સહિતની અનેક નવી નવી સુવિધા ઉભી કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ભાડા અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, નવા અધતન મેઈન થીયેટરનું ભાડું 10 હજાર રૂપિયા અને 20 હજાર રૂપિયા ડીપોઝીટ નક્કી કરવામાં આવ્યા છે. આ જ રીતે મીની થીયેટરમાં 4 હજાર રૂપિયા ભાડું અને 12 હજાર રૂપિયા ડીપોઝીટ નક્કી કરવામાં આવ્યા છે. આ ભાડા ઉપરાંત લેવાયેલી રકમમાંથી બિલ્ડીંગ જાળવણી, વીમો, હાઉસ ટેકસ, લાઈટ–એ.સી.ઓપરેટીંગ ચાર્જ, માઈક, જનરેટર ઓપરેટીંગ ચાર્જ, સિકયોરીટી ચાર્જ, વોટર ચાર્જ અને ગ્રાઉન્ડ ભાડું વસુલવામાં આવશે. આ નાટ્યગૃહ માટે સવારે 8 થી 1, બપોરે 2 થી 7 અને રાત્રે 8 થી 1 એમ ત્રણ શિફટ માટે ભાડે આપવામાં આવશે. બુકિંગનો સમય સવારે 9 થી 1 અને 4 થી 7 નો રહેશે.
આ નાટ્યગૃહમાં કાર્યક્રમ યોજવા ઈચ્છતા લોકોએ મંડપ, ડેકોરેશન અને કેટરિંગની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ વ્યવસ્થા હેમુ ગઢવી નાટગૃહના સંચાલક દ્રારા કરવામાં આવતી નથી. તેમ જણાવતા તેઓએ ઉમેયુ હતું કે, લાઈટ, સાઉન્ડની વ્યવસ્થા ઉપલબ્ધ છે પણ જો કોઈને વધારાની જરૂરિયાત હોય તો બહારથી વ્યવસ્થા કરવાની રહેશે. ગ્રાઉન્ડમાં જમણવાર માટે લાઈટની વ્યવસ્થા ઉપલબ્ધ નથી તેથી આ વ્યવસ્થા બુકિંગ કરનાર પાર્ટીએ કરવાની રહેશે. જો જનરેટર મગાવવાનું થાય તો બુકિંગ કરાવનારે પોતે વ્યવસ્થા કરવાની રહેશે.
18 સપ્ટે.થી નાટયગૃહનું બુકિંગ શરૂ કરવામાં આવશે
નવા અધતન મેઈન થીયેટરનું ભાડું 10 હજાર રૂપિયા અને 20 હજાર રૂપિયા ડીપોઝીટ નક્કી કરવામાં આવ્યા છે
રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈને આ નાટગૃહ નમૂનારૂપ બને તે માટે સતત માર્ગદર્શન આપ્યું - સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા
WatchGujarat. સમગ્ર ગુજરાતમાં નાટ્ય મંચન કે પછી અન્ય કાર્યક્રમો માટે બધાનું માનીતું હેમુગઢવી નાટ્યગૃહે હવે નવા રંગપ ધારણ કર્યા છે. અને હવે ટૂંક સમયમાં અહી કાર્યક્રમો પણ શરૂ થશે. રાજ્ય સરકાર દ્રારા નિર્મિત અને સરગમ કલબ દ્રારા સંચાલિત હેમુ ગઢવી નાટ્ય ગૃહનું આશરે 6 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે અને હવે કલાકારો ઉપરાંત દર્શકોને વધુ સુવિધા સાથેનું નાટગ બન્યું છે. આ અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા ખાસ હાજર રહ્યા હતા. અને સરગમ ક્લબની પ્રવૃતિઓ વિશે જાણકારી આપતા પત્રકારોને કહ્યું હતું કે, ખોટું કરીએ તો કાન આમળજો.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈને આ નાટગૃહ નમૂનાપ બને તે માટે સતત માર્ગદર્શન આપ્યું હતું. અને આજે અમને આનદં છે કે, આ નાટ્ય ગૃહ રાજકોટની કલા પ્રેમી જનતાની સેવા કરવા માટે તૈયાર છે. ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, કોરોના અને નવીનીકરણની કામગીરીને કારણે હેમુ ગઢવી નાટગૃહના બંને થીયેટર છેલ્લાં 18 માસથી બંધ હતા. પરંતુ હવે આ નવીનીકરણ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, મોટાભાગે તા. 18 સપ્ટે.થી નાટયગૃહનું બુકિંગ શરૂ કરવામાં આવશે. નવીનીકરણ પામેલા નાટ્યગૃહમાં આરામદાયક ખુરશીઓ નાખવામાં આવી છે. એટલું જ નહી અધતન લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ નાખવામાં આવી છે. બંને થીયેટરમાં કાર્પેટ પણ બદલી નાખવામાં આવી છે. આ ઉપરાંત નવું કલરકામ, નવી સુવિધા, સ્ટેજ લાઈટ, એર કંડીશન સીસ્ટમ, અને એક્રોલીક વોલ પેનલિંગ અને એકોસ્ટિક સિલિંગ, સ્ટેજ ઉપર વુડન ફલોરિંગ, વોટર પ્રુફીંગ, નવી બુકિંગ ચેમ્બર, સહિતની અનેક નવી નવી સુવિધા ઉભી કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ભાડા અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, નવા અધતન મેઈન થીયેટરનું ભાડું 10 હજાર રૂપિયા અને 20 હજાર રૂપિયા ડીપોઝીટ નક્કી કરવામાં આવ્યા છે. આ જ રીતે મીની થીયેટરમાં 4 હજાર રૂપિયા ભાડું અને 12 હજાર રૂપિયા ડીપોઝીટ નક્કી કરવામાં આવ્યા છે. આ ભાડા ઉપરાંત લેવાયેલી રકમમાંથી બિલ્ડીંગ જાળવણી, વીમો, હાઉસ ટેકસ, લાઈટ–એ.સી.ઓપરેટીંગ ચાર્જ, માઈક, જનરેટર ઓપરેટીંગ ચાર્જ, સિકયોરીટી ચાર્જ, વોટર ચાર્જ અને ગ્રાઉન્ડ ભાડું વસુલવામાં આવશે. આ નાટ્યગૃહ માટે સવારે 8 થી 1, બપોરે 2 થી 7 અને રાત્રે 8 થી 1 એમ ત્રણ શિફટ માટે ભાડે આપવામાં આવશે. બુકિંગનો સમય સવારે 9 થી 1 અને 4 થી 7 નો રહેશે.
આ નાટ્યગૃહમાં કાર્યક્રમ યોજવા ઈચ્છતા લોકોએ મંડપ, ડેકોરેશન અને કેટરિંગની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ વ્યવસ્થા હેમુ ગઢવી નાટગૃહના સંચાલક દ્રારા કરવામાં આવતી નથી. તેમ જણાવતા તેઓએ ઉમેયુ હતું કે, લાઈટ, સાઉન્ડની વ્યવસ્થા ઉપલબ્ધ છે પણ જો કોઈને વધારાની જરૂરિયાત હોય તો બહારથી વ્યવસ્થા કરવાની રહેશે. ગ્રાઉન્ડમાં જમણવાર માટે લાઈટની વ્યવસ્થા ઉપલબ્ધ નથી તેથી આ વ્યવસ્થા બુકિંગ કરનાર પાર્ટીએ કરવાની રહેશે. જો જનરેટર મગાવવાનું થાય તો બુકિંગ કરાવનારે પોતે વ્યવસ્થા કરવાની રહેશે.