4 ચાર દિવસથી અવિરત વરસાદના પગલે રાજકોટ અને જામનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
નૌસેનાની બચાવ ટીમોએ રાહત અને બચાવ કામગીરી માટે ડાઈવિંગ સહાયતા પહોંચાડી, રાહત ઓપરેશન હજી પણ ચાલુ
INS સરદાર પટેલમાંથી નૌસેનાની ડાઇવિંગ ટીમને 13 સપ્ટેમ્બર 2021ના રોજ નિયુક્ત કરવામાં આવી છે
નૌસેના ડાઇવિંગ ટીમે પાણીમાં ફસાયેલી કારને બચાવવા માટે 10 કલાક સુધી ડાઇવિંગ ઓપરેશન હાથ ધર્યું હતું
[caption id="attachment_1398253" align="aligncenter" width="640"] નૌસેનાની બચાવ ટીમોએ ગુજરાતમાં રાહત ઓપરેશન્સ દરમિયાન ડાઇવિંગ સહાયતા પહોંચાડી[/caption]
WatchGujarat. છેલ્લા 4 ચાર દિવસથી મૂશળધાર વરસાદના પગલે રાજકોટ અને જામનગર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે જિલ્લાઓમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે અનેક લોકો ફસાયા છે. જેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે સ્થાનિક તંત્ર ઉપરાંત એરફોર્સ અને એનડીઆરએફની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભારતીય નૌસેનાની બચાવ ટીમોએ આ રાહત ઓપરેશન્સ દરમિયાન ડાઈવિંગ સહાયતા પહોંચાડી હતી. જોકે આજે સૌરાષ્ટ્રરના જિલ્લામાં વરસાદ માટે આપેલું રેડ અલર્ટ હટાવવામાં આવ્યું છે. તેમ છતાં હજી પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાહત અને બચાવ કામગીરી હજી ચાલુ રાખવામાં આવી છે.
https://twitter.com/PIBAhmedabad/status/1438111890350100487?s=20
આ અંગે મળતી વિગતો અનુસાર રાજકોટના છાપરા નજીક ડોંડી ડેમ ખાતે ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. જેથી ત્યાંના સ્થાનિકો ફાસાયા હતા. આ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે નાગરિક પ્રશાસન દ્વારા ડાઈવિંગ સહાયતા માટે વિનંતી કરવામાં આવી હતી. જે બાદ INS સરદાર પટેલમાંથી નૌસેનાની ડાઇવિંગ ટીમને 13 સપ્ટેમ્બર 2021ના રોજ નિયુક્ત કરવામાં આવી છે. અવિરત વરસાદ અને પૂરના કારણે જિલ્લાના અનેક સ્થળો પર લોકોની કાર સહિતના વાહનો પાણીમાં તણાયા હતા. જેમાં 13 સપ્ટેમ્બરના રોજ ડેમના પુલ નજીક પાણીમાં એક કાર ડુબી રહી હતી. આ કારમાં બે વ્યક્તિ સવાર હતી. જેમનો જીવ બચાવવા માટે નૌસેનાની આ ટીમને કહેવામાં આવ્યું હતું. સ્થાનિક સત્તાધીશોની મદદથી, નૌસેના ડાઇવિંગ ટીમે પાણીમાં ફસાયેલી કારને બચાવવા માટે 10 કલાક સુધી ડાઇવિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.
નૌસેના દ્વારા હાથ ધરાયેલા આ ઓપરેશનમાં કામ સવાર એક મુસાફરનો મૃતદેહ પ્રાપ્ત થયો હતો. જોકે અન્ય એક લાપતા મુસાફરની શોધખોળ 15 સપ્ટેમ્બરના રોજ પણ ચાલુ રાખવામાં આવી હતી. આ અગાઉ પણ છપરા નજીક તણાયેલી એક કારમાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. નૌસેનાની બચાવ ટીમોએ ગુજરાતમાં રાહત ઓપરેશન્સ દરમિયાન ડાઈવિંગ સહાયતા પહોંચાડતા રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક તંત્રને ઘણી મદદ પ્રાપ્ત થઈ છે. જોકે હજી પણ ઘણા વિસ્તારોમાં અનેક લોકો ફસાયા છે. જેના કારણે આ રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ જામનગર અને રાજકોટમાં સહાય મોકવા માટેના સૂચન કરાયું હતું. જેમાં એરફોર્સની મદદથી ઘણા લોકોને એરલીફ્ટ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.
4 ચાર દિવસથી અવિરત વરસાદના પગલે રાજકોટ અને જામનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
નૌસેનાની બચાવ ટીમોએ રાહત અને બચાવ કામગીરી માટે ડાઈવિંગ સહાયતા પહોંચાડી, રાહત ઓપરેશન હજી પણ ચાલુ
INS સરદાર પટેલમાંથી નૌસેનાની ડાઇવિંગ ટીમને 13 સપ્ટેમ્બર 2021ના રોજ નિયુક્ત કરવામાં આવી છે
નૌસેના ડાઇવિંગ ટીમે પાણીમાં ફસાયેલી કારને બચાવવા માટે 10 કલાક સુધી ડાઇવિંગ ઓપરેશન હાથ ધર્યું હતું
WatchGujarat. છેલ્લા 4 ચાર દિવસથી મૂશળધાર વરસાદના પગલે રાજકોટ અને જામનગર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે જિલ્લાઓમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે અનેક લોકો ફસાયા છે. જેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે સ્થાનિક તંત્ર ઉપરાંત એરફોર્સ અને એનડીઆરએફની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભારતીય નૌસેનાની બચાવ ટીમોએ આ રાહત ઓપરેશન્સ દરમિયાન ડાઈવિંગ સહાયતા પહોંચાડી હતી. જોકે આજે સૌરાષ્ટ્રરના જિલ્લામાં વરસાદ માટે આપેલું રેડ અલર્ટ હટાવવામાં આવ્યું છે. તેમ છતાં હજી પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાહત અને બચાવ કામગીરી હજી ચાલુ રાખવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો અનુસાર રાજકોટના છાપરા નજીક ડોંડી ડેમ ખાતે ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. જેથી ત્યાંના સ્થાનિકો ફાસાયા હતા. આ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે નાગરિક પ્રશાસન દ્વારા ડાઈવિંગ સહાયતા માટે વિનંતી કરવામાં આવી હતી. જે બાદ INS સરદાર પટેલમાંથી નૌસેનાની ડાઇવિંગ ટીમને 13 સપ્ટેમ્બર 2021ના રોજ નિયુક્ત કરવામાં આવી છે. અવિરત વરસાદ અને પૂરના કારણે જિલ્લાના અનેક સ્થળો પર લોકોની કાર સહિતના વાહનો પાણીમાં તણાયા હતા. જેમાં 13 સપ્ટેમ્બરના રોજ ડેમના પુલ નજીક પાણીમાં એક કાર ડુબી રહી હતી. આ કારમાં બે વ્યક્તિ સવાર હતી. જેમનો જીવ બચાવવા માટે નૌસેનાની આ ટીમને કહેવામાં આવ્યું હતું. સ્થાનિક સત્તાધીશોની મદદથી, નૌસેના ડાઇવિંગ ટીમે પાણીમાં ફસાયેલી કારને બચાવવા માટે 10 કલાક સુધી ડાઇવિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.
નૌસેના દ્વારા હાથ ધરાયેલા આ ઓપરેશનમાં કામ સવાર એક મુસાફરનો મૃતદેહ પ્રાપ્ત થયો હતો. જોકે અન્ય એક લાપતા મુસાફરની શોધખોળ 15 સપ્ટેમ્બરના રોજ પણ ચાલુ રાખવામાં આવી હતી. આ અગાઉ પણ છપરા નજીક તણાયેલી એક કારમાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. નૌસેનાની બચાવ ટીમોએ ગુજરાતમાં રાહત ઓપરેશન્સ દરમિયાન ડાઈવિંગ સહાયતા પહોંચાડતા રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક તંત્રને ઘણી મદદ પ્રાપ્ત થઈ છે. જોકે હજી પણ ઘણા વિસ્તારોમાં અનેક લોકો ફસાયા છે. જેના કારણે આ રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ જામનગર અને રાજકોટમાં સહાય મોકવા માટેના સૂચન કરાયું હતું. જેમાં એરફોર્સની મદદથી ઘણા લોકોને એરલીફ્ટ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.