રાજકોટના લોધિકા તાલુકાની બાલસર સરકારી પ્રાથમિક સ્કૂલની ઘટના
વિદ્યાર્થીએ પેપરમાં એક અક્ષર પણ ન લખ્યો છતાં શિક્ષકે 12 માર્ક આપ્યા
શિક્ષકો પોતાના સારા પર્ફોર્મન્સ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે આ કેટલા અંશે યોગ્ય છે?
શું આવી રીતે ભણશે ગુજરાત ? જ્યાં કંઇ પણ લખ્યાં વિના વિદ્યાર્થીઓને મળે છે માર્ક્સ
WatchGujarat. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ? આ વાક્ય વારંવાર સાંભળીએ છીએ. પરંતુ કેવી રીતે ભણશે ગુજરાત,જ્યાં કંઇ પણ લખ્યા વિના જ વિદ્યાર્થીઓને માર્ક્સ મળે છે ઉપરથી નોંધ પણ લખાય છે. જી.હા આવી જ ઘટના રાજકોટના તાલુકાની બાલસર સરકારી પ્રાથમિક શાળામાં જોવા મળી હતી. અહીં વિદ્યાર્થીઓ અભણ રહે તેવી હરકતો બહાર આવતા ખળભળાટ મચ્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટના લોધિકા તાલુકાની બાલસર સરકારી પ્રાથમિક સ્કૂલમાં અહીં એકમ કસોટીમાં વિદ્યાર્થીએ પેપરમાં એક અક્ષર પણ ન લખ્યો છતાં શિક્ષકે 12 માર્ક આપ્યા હતા. અને શિક્ષકે પુરવણીમાં નોંધ પણ લખી હતી કે અક્ષર સારા, યોગ્ય વળાંકવાળા કરો, શબ્દોની જોડણી સાચી અને વાક્ય રચના બરાબર લખો! આ અહેવાલ પ્રકાશિત થયા બાદ સીઆરસી સહિતના ઉપરી અધિકારીઓએ તપાસ કરી નોંધ લખી પરંતુ કોઈ પગલાં લીધા નહોતા. આખરે સમગ્ર મામલો શિક્ષણ સચિવ વિનોદ રાવ પાસે પહોંચ્યો છે.
બાલસર સરકારી પ્રાથમિક શાળાના ધો.4ના શિક્ષક હસમુખભાઈ નાથાભાઈ કમાણી અને ધો.1-2ના વર્ગ શિક્ષક ભાવેશભાઈ ઘેલાભાઈ શિંગાળાએ વિદ્યાર્થીઓને માર્ક્સ આપ્યા છે અને સમગ્ર મામલો સામે આવ્યો છે. આ કિસ્સામાં સ્કૂલ દ્વારા લેવાયેલી એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ પેપરમાં એક અક્ષર પણ લખ્યો ન હતો છતાં 25માંથી 15 અને 25માંથી 12 જેવા માર્ક આપી વિદ્યાર્થીઓને પાસ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે બાળકોએ પેપરમાં કશું લખ્યું જ નથી છતાં વર્ગશિક્ષકોએ પેપર તપાસી છેલ્લે સૂચના પણ લખી છે કે અક્ષર સારા, યોગ્ય વળાંકવાળા કરો, શબ્દોની જોડણી સાચી અને વાક્ય રચના બરાબર લખો! આ ઘટનામાં ભારે હોબાળા બાદ તાલુકાના સીઆરસી, બીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓએ તપાસ કરી હતી. તપાસમાં પણ સ્પષ્ટ બહાર આવ્યું કે વિદ્યાર્થીઓએ કશું લખ્યું નહીં હોવા છતાં શિક્ષકે માર્ક આપી પાસ કરી દીધા છે, પરંતુ એકપણ અધિકારીઓએ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરી નહોતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓના પેપરમાં માર્ક મૂકી ‘સરલ’ પોર્ટલ પર અપલોડ પણ કરી દીધા હતા. શિક્ષકનું પર્ફોર્મન્સ ખરાબ ન દેખાય તેથી પાસ કરી દીધા હોય તેવા પ્રશ્નો હાલ ઉદ્દભવી રહ્યા છે. અગાઉ પણ ઓછા વિદ્યાર્થીઓ હોવા છતાં સ્કૂલ મર્જ કરાઈ ન હોતી અને બાલસરમાં ધોરણ 8 મંજૂર કરી દેવાયું હતું. શિક્ષકો પોતાના સારા પર્ફોર્મન્સ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે આ કેટલા અંશે યોગ્ય છે?
- રાજકોટના લોધિકા તાલુકાની બાલસર સરકારી પ્રાથમિક સ્કૂલની ઘટના
- વિદ્યાર્થીએ પેપરમાં એક અક્ષર પણ ન લખ્યો છતાં શિક્ષકે 12 માર્ક આપ્યા
- શિક્ષકો પોતાના સારા પર્ફોર્મન્સ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે આ કેટલા અંશે યોગ્ય છે?
- શું આવી રીતે ભણશે ગુજરાત ? જ્યાં કંઇ પણ લખ્યાં વિના વિદ્યાર્થીઓને મળે છે માર્ક્સ
WatchGujarat. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ? આ વાક્ય વારંવાર સાંભળીએ છીએ. પરંતુ કેવી રીતે ભણશે ગુજરાત,જ્યાં કંઇ પણ લખ્યા વિના જ વિદ્યાર્થીઓને માર્ક્સ મળે છે ઉપરથી નોંધ પણ લખાય છે. જી.હા આવી જ ઘટના રાજકોટના તાલુકાની બાલસર સરકારી પ્રાથમિક શાળામાં જોવા મળી હતી. અહીં વિદ્યાર્થીઓ અભણ રહે તેવી હરકતો બહાર આવતા ખળભળાટ મચ્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટના લોધિકા તાલુકાની બાલસર સરકારી પ્રાથમિક સ્કૂલમાં અહીં એકમ કસોટીમાં વિદ્યાર્થીએ પેપરમાં એક અક્ષર પણ ન લખ્યો છતાં શિક્ષકે 12 માર્ક આપ્યા હતા. અને શિક્ષકે પુરવણીમાં નોંધ પણ લખી હતી કે અક્ષર સારા, યોગ્ય વળાંકવાળા કરો, શબ્દોની જોડણી સાચી અને વાક્ય રચના બરાબર લખો! આ અહેવાલ પ્રકાશિત થયા બાદ સીઆરસી સહિતના ઉપરી અધિકારીઓએ તપાસ કરી નોંધ લખી પરંતુ કોઈ પગલાં લીધા નહોતા. આખરે સમગ્ર મામલો શિક્ષણ સચિવ વિનોદ રાવ પાસે પહોંચ્યો છે.
બાલસર સરકારી પ્રાથમિક શાળાના ધો.4ના શિક્ષક હસમુખભાઈ નાથાભાઈ કમાણી અને ધો.1-2ના વર્ગ શિક્ષક ભાવેશભાઈ ઘેલાભાઈ શિંગાળાએ વિદ્યાર્થીઓને માર્ક્સ આપ્યા છે અને સમગ્ર મામલો સામે આવ્યો છે. આ કિસ્સામાં સ્કૂલ દ્વારા લેવાયેલી એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ પેપરમાં એક અક્ષર પણ લખ્યો ન હતો છતાં 25માંથી 15 અને 25માંથી 12 જેવા માર્ક આપી વિદ્યાર્થીઓને પાસ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે બાળકોએ પેપરમાં કશું લખ્યું જ નથી છતાં વર્ગશિક્ષકોએ પેપર તપાસી છેલ્લે સૂચના પણ લખી છે કે અક્ષર સારા, યોગ્ય વળાંકવાળા કરો, શબ્દોની જોડણી સાચી અને વાક્ય રચના બરાબર લખો! આ ઘટનામાં ભારે હોબાળા બાદ તાલુકાના સીઆરસી, બીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓએ તપાસ કરી હતી. તપાસમાં પણ સ્પષ્ટ બહાર આવ્યું કે વિદ્યાર્થીઓએ કશું લખ્યું નહીં હોવા છતાં શિક્ષકે માર્ક આપી પાસ કરી દીધા છે, પરંતુ એકપણ અધિકારીઓએ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરી નહોતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓના પેપરમાં માર્ક મૂકી ‘સરલ’ પોર્ટલ પર અપલોડ પણ કરી દીધા હતા. શિક્ષકનું પર્ફોર્મન્સ ખરાબ ન દેખાય તેથી પાસ કરી દીધા હોય તેવા પ્રશ્નો હાલ ઉદ્દભવી રહ્યા છે. અગાઉ પણ ઓછા વિદ્યાર્થીઓ હોવા છતાં સ્કૂલ મર્જ કરાઈ ન હોતી અને બાલસરમાં ધોરણ 8 મંજૂર કરી દેવાયું હતું. શિક્ષકો પોતાના સારા પર્ફોર્મન્સ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે આ કેટલા અંશે યોગ્ય છે?