આજે ફરસાણની દુકાનોમાંથી ફરસાણ બનાવવા વોશિંગ સોડા (કપડાં ધોવાનો પાવડર) ઉપયોગમાં લેવાતો હોવાનું સામે આવ્યું
શહેરમાં દૂધમાં ભેળસેળ ચકાસવા મિલ્કોસ્કેન મશીન વડે 28 નમુનાનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું હતું
મનપાએ લોકોને વાસી, ઘાટા કલરવાળી, એસેન્સવાળી મિઠાઈ, ફરસાણ વગેરેનો ઉપયોગ ટાળવા અપીલ કરી
[caption id="attachment_1388722" align="aligncenter" width="640"] Rajkot - adulterated food destroyed[/caption]
WatchGujarat. શહેરમાં તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી જતું હોય છે. જેને લઈને હાલ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર-ઠેર તપાસ કરવામાં આવી રહો છે. દરમિયાન આરોગ્યને નુક્શાનકર્તા દાઝ્યું તેલ વાપરવાના, ફરાળી પેટીસ મકાઈનો લોટમાં બનાવવાના કારસ્તાન પકડાયા બાદ આજે ફરસાણની દુકાનોમાંથી ફરસાણ બનાવવા વોશિંગ સોડા (કપડાં ધોવાનો પાવડર) ઉપયોગમાં લેવાતો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે 3 દુકાનોમાંથી 25 કિ. વોશિંગ સોડા, 13 કિ. મિઠાઈ, 85 કિ. અખાદ્ય ફરસાણનો નાશ કરાયો હતો.
મનપા સૂત્રો અનુસાર ગોવિંદબાગ શાકમાર્કેટ રોડ પર વિરબાલાજી ફરસાણમાં તપાસ કરતા વોશિંગ સોડા 10 કિલોગ્રામ તથા વાસી પાપડી, સક્કરપારા, પેંડા, મોહનથાળા, મોતીચૂર લાડુ વગેરે 37 કિલો વાસી છતાં રાખેલી મિઠાઈ મળી આવતા તેનો નાશ કરાયો છે. આ ઉપરાંત ભગવતી ફરસાણ સ્વીટ માર્ટમાંથી 10 કિલોગ્રામ વોશિંગ સોડા તથા 67 કિલો તીખી પાપડી, તીખા ગાંઠિયા, સુકી કચોરી, સમોસા સહિતનું વાસી અખાદ્ય ફરસાણ મળી આવતા તેનો નાશ કરાયો છે.
બાદમાં ચામુંડા ફરસાણ નામની દુકાનમાંથી 5 કિલો વોશિંગ સોડા, 8 કિલો તીખુ ચવાણું વાસી મળી આવતા તે જપ્ત કરી નાશ કરાયો હતો. જ્યારે દિગ્વિજય રોડ પર ભારત સ્વીટ માર્ટ અને લક્ષ્મીવાડીમાં સ્વામિનારાયણ ફરસાણ ખાદ્યચીજના નમુના લેવાયા છે. શહેરમાં દૂધમાં ભેળસેળ ચકાસવા મિલ્કોસ્કેન મશીન વડે 28 નમુનાનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું હતું. જો કે તેનો કોઈ રિપોર્ટ જારી કરાયો નથી. મનપાએ લોકોને વાસી, ઘાટા કલરવાળી, એસેન્સવાળી મિઠાઈ, ફરસાણ વગેરેનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે.
આજે ફરસાણની દુકાનોમાંથી ફરસાણ બનાવવા વોશિંગ સોડા (કપડાં ધોવાનો પાવડર) ઉપયોગમાં લેવાતો હોવાનું સામે આવ્યું
શહેરમાં દૂધમાં ભેળસેળ ચકાસવા મિલ્કોસ્કેન મશીન વડે 28 નમુનાનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું હતું
મનપાએ લોકોને વાસી, ઘાટા કલરવાળી, એસેન્સવાળી મિઠાઈ, ફરસાણ વગેરેનો ઉપયોગ ટાળવા અપીલ કરી
WatchGujarat. શહેરમાં તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી જતું હોય છે. જેને લઈને હાલ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર-ઠેર તપાસ કરવામાં આવી રહો છે. દરમિયાન આરોગ્યને નુક્શાનકર્તા દાઝ્યું તેલ વાપરવાના, ફરાળી પેટીસ મકાઈનો લોટમાં બનાવવાના કારસ્તાન પકડાયા બાદ આજે ફરસાણની દુકાનોમાંથી ફરસાણ બનાવવા વોશિંગ સોડા (કપડાં ધોવાનો પાવડર) ઉપયોગમાં લેવાતો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે 3 દુકાનોમાંથી 25 કિ. વોશિંગ સોડા, 13 કિ. મિઠાઈ, 85 કિ. અખાદ્ય ફરસાણનો નાશ કરાયો હતો.
મનપા સૂત્રો અનુસાર ગોવિંદબાગ શાકમાર્કેટ રોડ પર વિરબાલાજી ફરસાણમાં તપાસ કરતા વોશિંગ સોડા 10 કિલોગ્રામ તથા વાસી પાપડી, સક્કરપારા, પેંડા, મોહનથાળા, મોતીચૂર લાડુ વગેરે 37 કિલો વાસી છતાં રાખેલી મિઠાઈ મળી આવતા તેનો નાશ કરાયો છે. આ ઉપરાંત ભગવતી ફરસાણ સ્વીટ માર્ટમાંથી 10 કિલોગ્રામ વોશિંગ સોડા તથા 67 કિલો તીખી પાપડી, તીખા ગાંઠિયા, સુકી કચોરી, સમોસા સહિતનું વાસી અખાદ્ય ફરસાણ મળી આવતા તેનો નાશ કરાયો છે.
બાદમાં ચામુંડા ફરસાણ નામની દુકાનમાંથી 5 કિલો વોશિંગ સોડા, 8 કિલો તીખુ ચવાણું વાસી મળી આવતા તે જપ્ત કરી નાશ કરાયો હતો. જ્યારે દિગ્વિજય રોડ પર ભારત સ્વીટ માર્ટ અને લક્ષ્મીવાડીમાં સ્વામિનારાયણ ફરસાણ ખાદ્યચીજના નમુના લેવાયા છે. શહેરમાં દૂધમાં ભેળસેળ ચકાસવા મિલ્કોસ્કેન મશીન વડે 28 નમુનાનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું હતું. જો કે તેનો કોઈ રિપોર્ટ જારી કરાયો નથી. મનપાએ લોકોને વાસી, ઘાટા કલરવાળી, એસેન્સવાળી મિઠાઈ, ફરસાણ વગેરેનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે.