સરધારધામ મૂર્તિ પ્રતિષ્ઠાનાં મહોત્સવનાં આઠમા દિવસે અમેરિકાના વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ત્રણ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ પ.પૂ.સદ્.સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજીને એનાયત કરાયા
મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમા આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા
સરધારધામની મુલાકાત બાદ આચાર્ય દેવવ્રતજીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સામાજિક સેવાના કાર્યોને બિરદાવી
WatchGujarat. સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આવતીકાલે સમાપન થવાનું છે. તે પૂર્વે ગુજરાતના રાજ્યપાલ સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી દર્શનનો લ્હાવો લીધો હતો. આજે તેમની ઉપસ્થિતિમાં ત્રણ-ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. જેમાં 117 પાનાની કંકોત્રી, સૌથી નાની શિક્ષાપત્રી અને એક વિષય પર 621 ઘરસભા સામેલ છે. સરધારધામ મૂર્તિ પ્રતિષ્ઠાનાં આ મહોત્સવનાં આજે આઠમા દિવસે અમેરિકાના વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધણીના સર્ટિફિકેટ પ.પૂ.સદ્.સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજીને એનાયત કરવામાં આવ્યા હતા.
આ રેકોર્ડ પર એક નજર કરીએ તો સરધાર ધામ દ્વારા 117 પાનાની કંકોત્રી બનાવવામાં આવી હતી. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. બીજો વર્લ્ડ રેકોર્ડ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની હસ્તલિખિત સૌથી નાની અને સૌથી ઓછો વજન ધરાવતી શિક્ષાપત્રી બનાવવાનો નોંધાયો છે. તો ત્રીજો રેકોર્ડ પ.પૂ.સદ્.સ્વામીશ્રી નિત્યયસ્વરૂપદાસજી દ્વારા સતત એક જ વિષય ઉપર 621 ઘરસભા કરીને સૌના જીવન પરિવર્તન થાય એ હેતુથી ઘરસભા કરી હતી જેની પણ નોંધ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે.
બીજીતરફ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલની હાજરીથી સંતો, હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સ્વાગત બાદ તેમને ભવ્ય યજ્ઞાશાળાના દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી મંદિર દ્વારા નવનિર્મિત થનાર વિશાળ સુવિધાયુક્ત હોસ્ટેલના પટાંગણમાં પુષ્પાર્પણ કર્યું હતું. અહીં 2000 વિદ્યાર્થીઓ રહી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવનાર છે.
બાદમાં રાજ્યપાલને મહોત્સવના મુખ્ય આકર્ષણ એવા ભવ્ય કલાત્મક મંદિરમાં બિરાજતાં શ્રી સ્વામિનારાયણ તથા શ્રી ઘનશ્યામ મહારાજનાં દર્શનાર્થે ગયા હતા અને આશીર્વાદ લીધા હતા. ત્યાં તેમણે મંદિરની કલાત્મક નકશીકામ તથા બાંધકામને નિહાળ્યું હતું. આ દેવદર્શન બાદ રાજ્યપાલ મુખ્ય સભામંડપ સુધી આવ્યા હતા. માર્ગમાં તેમણે શ્રી સ્વામિનારાયણ ગૌશાળામાં ગૌપૂજન પણ કર્યું હતું. સરધારધામની મુલાકાત બાદ આચાર્ય દેવવ્રતજીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સામાજિક સેવાના કાર્યોને બિરદાવીને યુવાનોને વ્યસનમુક્તિ તેમજ સંસ્કાર સાથે શિક્ષણ આપીને ઉત્તમ ચરિત્ર સાથે યુવાઓ-હરિભક્તોને સત્સંગ અને સેવાના કાર્યો કરવા માટે આગળ આવવાની અપીલ કરી હતી.
સરધારધામ મૂર્તિ પ્રતિષ્ઠાનાં મહોત્સવનાં આઠમા દિવસે અમેરિકાના વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ત્રણ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ પ.પૂ.સદ્.સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજીને એનાયત કરાયા
મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમા આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા
WatchGujarat. સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આવતીકાલે સમાપન થવાનું છે. તે પૂર્વે ગુજરાતના રાજ્યપાલ સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી દર્શનનો લ્હાવો લીધો હતો. આજે તેમની ઉપસ્થિતિમાં ત્રણ-ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. જેમાં 117 પાનાની કંકોત્રી, સૌથી નાની શિક્ષાપત્રી અને એક વિષય પર 621 ઘરસભા સામેલ છે. સરધારધામ મૂર્તિ પ્રતિષ્ઠાનાં આ મહોત્સવનાં આજે આઠમા દિવસે અમેરિકાના વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધણીના સર્ટિફિકેટ પ.પૂ.સદ્.સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજીને એનાયત કરવામાં આવ્યા હતા.
આ રેકોર્ડ પર એક નજર કરીએ તો સરધાર ધામ દ્વારા 117 પાનાની કંકોત્રી બનાવવામાં આવી હતી. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. બીજો વર્લ્ડ રેકોર્ડ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની હસ્તલિખિત સૌથી નાની અને સૌથી ઓછો વજન ધરાવતી શિક્ષાપત્રી બનાવવાનો નોંધાયો છે. તો ત્રીજો રેકોર્ડ પ.પૂ.સદ્.સ્વામીશ્રી નિત્યયસ્વરૂપદાસજી દ્વારા સતત એક જ વિષય ઉપર 621 ઘરસભા કરીને સૌના જીવન પરિવર્તન થાય એ હેતુથી ઘરસભા કરી હતી જેની પણ નોંધ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે.
બીજીતરફ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલની હાજરીથી સંતો, હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સ્વાગત બાદ તેમને ભવ્ય યજ્ઞાશાળાના દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી મંદિર દ્વારા નવનિર્મિત થનાર વિશાળ સુવિધાયુક્ત હોસ્ટેલના પટાંગણમાં પુષ્પાર્પણ કર્યું હતું. અહીં 2000 વિદ્યાર્થીઓ રહી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવનાર છે.
બાદમાં રાજ્યપાલને મહોત્સવના મુખ્ય આકર્ષણ એવા ભવ્ય કલાત્મક મંદિરમાં બિરાજતાં શ્રી સ્વામિનારાયણ તથા શ્રી ઘનશ્યામ મહારાજનાં દર્શનાર્થે ગયા હતા અને આશીર્વાદ લીધા હતા. ત્યાં તેમણે મંદિરની કલાત્મક નકશીકામ તથા બાંધકામને નિહાળ્યું હતું. આ દેવદર્શન બાદ રાજ્યપાલ મુખ્ય સભામંડપ સુધી આવ્યા હતા. માર્ગમાં તેમણે શ્રી સ્વામિનારાયણ ગૌશાળામાં ગૌપૂજન પણ કર્યું હતું. સરધારધામની મુલાકાત બાદ આચાર્ય દેવવ્રતજીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સામાજિક સેવાના કાર્યોને બિરદાવીને યુવાનોને વ્યસનમુક્તિ તેમજ સંસ્કાર સાથે શિક્ષણ આપીને ઉત્તમ ચરિત્ર સાથે યુવાઓ-હરિભક્તોને સત્સંગ અને સેવાના કાર્યો કરવા માટે આગળ આવવાની અપીલ કરી હતી.