હવે જન્મ-મરણ શાખામાં સાંજ સુધી ફક્ત અરજીઓ જ સ્વીકારવાનો સમય તે અરજીઓને જવાબ દેવાની કામગીરી થઈ શકતી નથી
એનસીસીડીની અરજીઓ કે જે ઓફિસ ટાઈમે સ્વીકારાતી હતી તેના બદલે સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી સ્વીકારાશે.
WatchGujarat. રાજકોટ શહેરમાં કોરોનામાં સહાય માટે કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ લેવા માટે હજારો ફોર્મ ઉપડ્યા છે તેમાંથી 22 તારીખે સાંજ સુધીમાં એટલે કે 4 જ દિવસમાં 922 અરજી આવી છે. હજુ પણ પ્રવાહ ચાલુ રહેતા હવે જન્મ-મરણ શાખામાં સાંજ સુધી ફક્ત અરજીઓ જ સ્વીકારવાનો સમય તે અરજીઓને જવાબ દેવાની કામગીરી થઈ શકતી નથી. તેથી શાખાની કામગીરીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આવ્યા બાદ સહાય માટે જિલ્લા કલેક્ટર કચેરીએથી ફોર્મ મેળવી જમા કરવાનું હોય છે. પ્રથમ દિવસે આવા 40 ફોર્મ ઉપડ્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ, સહાયની શરત છે કે, એક કરતા વધુ વારસદારો હોય તો બધાનું સોગંદનામું કરીને એક ખાતામાં સહાય જમા કરવા વિગત ભરવાની હોવાથી આ કામગીરી માટે પરિવારો દસ્તાવેજો એકઠા કરી રહ્યા છે. કોઝ ઓફ ડેથ સર્ટિફિકે આપવાના શરૂ થશે ત્યારબાદ આ સંખ્યામાં વધારો આવવો નિશ્ચિત છે. તો જન્મ-મરણ શાખાના જણાવ્યા અનુસાર હવે એનસીસીડીની અરજીઓ કે જે ઓફિસ ટાઈમે સ્વીકારાતી હતી તેના બદલે સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી સ્વીકારાશે.
ત્યારબાદ જન્મ-મરણ શાખાનો સ્ટાફ સાંજે 4થી 6 દરમિયાન ફક્ત આવેલી અરજીની છણાવટ કરીને જે તે મરણ જનારના દસ્તાવેજો કાઢીને તેની નકલ કરાવી પ્રમાણિત કરી મોકલવાનું ચાલુ કરશે. જોકે હાલ સુધી જન્મ-મરણ શાખામાં કોઝ ઓફ ડેથ સર્ટી માટે આવેલા હજાર ફોર્મ પૈકી હજુ કોઈ અરજદારને કોઝ ઓફ ડેથ સર્ટી મળ્યું નહીં હોવાનું સામે આવ્યું છે.
- હવે જન્મ-મરણ શાખામાં સાંજ સુધી ફક્ત અરજીઓ જ સ્વીકારવાનો સમય તે અરજીઓને જવાબ દેવાની કામગીરી થઈ શકતી નથી
- એનસીસીડીની અરજીઓ કે જે ઓફિસ ટાઈમે સ્વીકારાતી હતી તેના બદલે સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી સ્વીકારાશે.
WatchGujarat. રાજકોટ શહેરમાં કોરોનામાં સહાય માટે કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ લેવા માટે હજારો ફોર્મ ઉપડ્યા છે તેમાંથી 22 તારીખે સાંજ સુધીમાં એટલે કે 4 જ દિવસમાં 922 અરજી આવી છે. હજુ પણ પ્રવાહ ચાલુ રહેતા હવે જન્મ-મરણ શાખામાં સાંજ સુધી ફક્ત અરજીઓ જ સ્વીકારવાનો સમય તે અરજીઓને જવાબ દેવાની કામગીરી થઈ શકતી નથી. તેથી શાખાની કામગીરીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આવ્યા બાદ સહાય માટે જિલ્લા કલેક્ટર કચેરીએથી ફોર્મ મેળવી જમા કરવાનું હોય છે. પ્રથમ દિવસે આવા 40 ફોર્મ ઉપડ્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ, સહાયની શરત છે કે, એક કરતા વધુ વારસદારો હોય તો બધાનું સોગંદનામું કરીને એક ખાતામાં સહાય જમા કરવા વિગત ભરવાની હોવાથી આ કામગીરી માટે પરિવારો દસ્તાવેજો એકઠા કરી રહ્યા છે. કોઝ ઓફ ડેથ સર્ટિફિકે આપવાના શરૂ થશે ત્યારબાદ આ સંખ્યામાં વધારો આવવો નિશ્ચિત છે. તો જન્મ-મરણ શાખાના જણાવ્યા અનુસાર હવે એનસીસીડીની અરજીઓ કે જે ઓફિસ ટાઈમે સ્વીકારાતી હતી તેના બદલે સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી સ્વીકારાશે.
ત્યારબાદ જન્મ-મરણ શાખાનો સ્ટાફ સાંજે 4થી 6 દરમિયાન ફક્ત આવેલી અરજીની છણાવટ કરીને જે તે મરણ જનારના દસ્તાવેજો કાઢીને તેની નકલ કરાવી પ્રમાણિત કરી મોકલવાનું ચાલુ કરશે. જોકે હાલ સુધી જન્મ-મરણ શાખામાં કોઝ ઓફ ડેથ સર્ટી માટે આવેલા હજાર ફોર્મ પૈકી હજુ કોઈ અરજદારને કોઝ ઓફ ડેથ સર્ટી મળ્યું નહીં હોવાનું સામે આવ્યું છે.