ખોડલધામ ખાતે પાટોત્સવની ઉજવણીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે
નરેશ પટેલનો સમાજ જોગ સંદેશો 21 જાન્યુઆરી 2022ના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે
ખોડલધામ મંદિરે હાલમાં પંચમ પાટોસત્વની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે
મંદિર સહિત પટાંગણને સેનેટાઈઝ કરવા સહિત મંદિરને ફુલોથી શણગાર કરવા સહિતનાં વિવિધ કામ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે
WatchGujarat. પાટીદાર સમાજની આસ્થાનાં પ્રતીક એવા ખોડલધામ મંદિરમાં બિરાજમાન માઁ ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય આવતીકાલે ભવ્ય પાટોત્સવનું આયોજન કરાયું છે. હાલની કોરોનાની પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને આ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગામેગામ 10 હજાર એલઇડી સ્ક્રીન અને 7 ચેનલમાં લાઈવ પ્રસારણ દ્વારા લાખો ભક્તો જોડાશે. હાલમાં આ પાટોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ તકે ટ્રસ્ટનાં ચેરમેન નરેશ પટેલ દ્વારા કરવામાં આવનાર સંબોધન પર પાટીદાર સમાજ નજર માંડીને બેઠો છે.
ખોડલધામ ખાતે પાટોત્સવની ઉજવણીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. તેમજ ધ્વજારોહણ, મહાઆરતી, સહિતના કાર્યક્રમો યોજાશે. નરેશ પટેલનો સમાજ જોગ સંદેશો 21 જાન્યુઆરી 2022ના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે. જોકે મહાસભાનું આયોજન હાલ મોકૂફ રાખેલ છે. જેની નવી તારીખ સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે.
ગાઈડલાઈન પ્રમાણે ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008 થી વધુ સ્થળે માઁ ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેગ્લોરમાં માતાજીની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સીંગાપુર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ આ નિમિતે માઁ ખોડલની આરતીનું આયોજન કરાયું છે.
ખોડલધામ મંદિરે હાલમાં પંચમ પાટોસત્વની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. કાર્યક્રમને લઈ ખોડલધામ વોલેન્ટીયરસમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં મંદિર સહિત પટાંગણને સેનેટાઈઝ કરવા સહિત મંદિરને ફુલોથી શણગાર કરવા સહિતનાં વિવિધ કામ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે. ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ પણ પાટોત્સવની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. સાથે જ મંદિરમાં ભવ્ય રંગોળી અને લાઇટિંગ સહિત શણગાર કરવા અનેક સ્વયંસેવકો ફરજ બજાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં લેઉવા પાટીદાર સમાજના દિકરા દિકરીઓને દ્વારા પોતાના ઘરઆંગણે દીવડાઓ પ્રગટાવી દિવાળી જેવો માહોલ ઉભો કરાયો છે. સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં વાઘબારસથી લઈ ભાઈબીજ સુધી ઘર આંગણે રંગોળી કરવાનો રિવાજ છે. ત્યારે માતાજી ઘરે આવતા હોવાનાં ભાવ સાથે લેઉવા પાટીદાર સમાજના દિકરા દિકરીઓને દ્વારા પંચવર્ષીય પાટોત્સવ અંતર્ગત પોતાના ઘરઆંગણે જ રંગબેરંગી રંગોળી કરી દિવાળી જેવો માહોલ ઉભો કરવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.
ખોડલધામ ખાતે પાટોત્સવની ઉજવણીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે
નરેશ પટેલનો સમાજ જોગ સંદેશો 21 જાન્યુઆરી 2022ના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે
ખોડલધામ મંદિરે હાલમાં પંચમ પાટોસત્વની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે
મંદિર સહિત પટાંગણને સેનેટાઈઝ કરવા સહિત મંદિરને ફુલોથી શણગાર કરવા સહિતનાં વિવિધ કામ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે
WatchGujarat. પાટીદાર સમાજની આસ્થાનાં પ્રતીક એવા ખોડલધામ મંદિરમાં બિરાજમાન માઁ ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય આવતીકાલે ભવ્ય પાટોત્સવનું આયોજન કરાયું છે. હાલની કોરોનાની પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને આ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગામેગામ 10 હજાર એલઇડી સ્ક્રીન અને 7 ચેનલમાં લાઈવ પ્રસારણ દ્વારા લાખો ભક્તો જોડાશે. હાલમાં આ પાટોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ તકે ટ્રસ્ટનાં ચેરમેન નરેશ પટેલ દ્વારા કરવામાં આવનાર સંબોધન પર પાટીદાર સમાજ નજર માંડીને બેઠો છે.
ખોડલધામ ખાતે પાટોત્સવની ઉજવણીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. તેમજ ધ્વજારોહણ, મહાઆરતી, સહિતના કાર્યક્રમો યોજાશે. નરેશ પટેલનો સમાજ જોગ સંદેશો 21 જાન્યુઆરી 2022ના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે. જોકે મહાસભાનું આયોજન હાલ મોકૂફ રાખેલ છે. જેની નવી તારીખ સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે.
ગાઈડલાઈન પ્રમાણે ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008 થી વધુ સ્થળે માઁ ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેગ્લોરમાં માતાજીની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સીંગાપુર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ આ નિમિતે માઁ ખોડલની આરતીનું આયોજન કરાયું છે.
ખોડલધામ મંદિરે હાલમાં પંચમ પાટોસત્વની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. કાર્યક્રમને લઈ ખોડલધામ વોલેન્ટીયરસમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં મંદિર સહિત પટાંગણને સેનેટાઈઝ કરવા સહિત મંદિરને ફુલોથી શણગાર કરવા સહિતનાં વિવિધ કામ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે. ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ પણ પાટોત્સવની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. સાથે જ મંદિરમાં ભવ્ય રંગોળી અને લાઇટિંગ સહિત શણગાર કરવા અનેક સ્વયંસેવકો ફરજ બજાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં લેઉવા પાટીદાર સમાજના દિકરા દિકરીઓને દ્વારા પોતાના ઘરઆંગણે દીવડાઓ પ્રગટાવી દિવાળી જેવો માહોલ ઉભો કરાયો છે. સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં વાઘબારસથી લઈ ભાઈબીજ સુધી ઘર આંગણે રંગોળી કરવાનો રિવાજ છે. ત્યારે માતાજી ઘરે આવતા હોવાનાં ભાવ સાથે લેઉવા પાટીદાર સમાજના દિકરા દિકરીઓને દ્વારા પંચવર્ષીય પાટોત્સવ અંતર્ગત પોતાના ઘરઆંગણે જ રંગબેરંગી રંગોળી કરી દિવાળી જેવો માહોલ ઉભો કરવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.