રામનાથ મહાદેવ મંદિર શહેરીજનો માટે એક આસ્થાનુ પ્રતિક છે
રામનાથ મહાદેવ મંદિર ખાતે ગંદકીનો ગંજ તેમજ કચરાનો ઢગલાઓ મંદિરના પરિસરમાં નજરે પડ્યા જેને લઈ નાયબ કમિશ્નર એ. આર. સિંહની દેખરેખમાં સફાઈ કર્મચારીઓ સાથે સફાઈ કામ શરૂ કરવામાં આવ્યું – મેયર
મંદિરની આસપાસ ગંદકીની સફાઈ માટે ધારાસભ્ય તથા પદાધીકારીનો ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપે કાર્યવાહી શરૂ કરવામાં આવી
Watchgujarat. ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે આજી નદી ગાંડીતૂર બની હતી. જેને લઈને રામનાથ મહાદેવ મંદિર પર ગંદકીના ગંજ ફરી વળ્યાં હતા. ત્યારે આજે મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર ડો. દર્શિતા શાહ તેમજ ડે. કમિશ્નર સિંહ સહિતનાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. અને મનપા નાયબ કમિશ્નરની ટીમ દ્વારા સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગે મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, શહેરમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને આજીનદી બે કાંઠે વહી હતી. જેમાં રામનાથ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. તેમજ આજીનદીના પાણીના પ્રવાહ સાથે અનેક કચરો પણ તણાઇને આવ્યો હતો. ત્યારે આજરોજ પાણી ઉતરતા રામનાથ મહાદેવ મંદિર ખાતે ગંદકીનો ગંજ તેમજ કચરાનો ઢગલાઓ મંદિરના પરિસરમાં નજરે પડ્યા હતા. જેને લઈ નાયબ કમિશ્નર એ. આર. સિંહની દેખરેખમાં સફાઈ કર્મચારીઓ સાથે સફાઈ કામ શરૂ કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રામનાથ મહાદેવ મંદિર શહેરીજનો માટે એક આસ્થાનુ પ્રતિક છે. નદીમાં પુરના કારણે ઉપરવાસથી આવેલ કચરો, ગંદકી, ઝાડા-જાખરા વિગેરે મંદિર પાસે થર જામી જતા હોય છે. જેને પગલે મંદિર તથા મંદિરની આસપાસ ગંદકીની સફાઈ માટે ધારાસભ્ય તથા પદાધીકારીનો ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ મંદિર લાગુ રસ્તા પર પડેલા ખાડાની તાત્કાલિક મરામત કરવા, મંદિરના પરિસરમાં તેમજ આજુબાજુ સ્વચ્છ બંને તે માટે સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું છે.
રામનાથ મહાદેવ મંદિર શહેરીજનો માટે એક આસ્થાનુ પ્રતિક છે
રામનાથ મહાદેવ મંદિર ખાતે ગંદકીનો ગંજ તેમજ કચરાનો ઢગલાઓ મંદિરના પરિસરમાં નજરે પડ્યા જેને લઈ નાયબ કમિશ્નર એ. આર. સિંહની દેખરેખમાં સફાઈ કર્મચારીઓ સાથે સફાઈ કામ શરૂ કરવામાં આવ્યું – મેયર
મંદિરની આસપાસ ગંદકીની સફાઈ માટે ધારાસભ્ય તથા પદાધીકારીનો ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપે કાર્યવાહી શરૂ કરવામાં આવી
Watchgujarat. ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે આજી નદી ગાંડીતૂર બની હતી. જેને લઈને રામનાથ મહાદેવ મંદિર પર ગંદકીના ગંજ ફરી વળ્યાં હતા. ત્યારે આજે મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર ડો. દર્શિતા શાહ તેમજ ડે. કમિશ્નર સિંહ સહિતનાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. અને મનપા નાયબ કમિશ્નરની ટીમ દ્વારા સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગે મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, શહેરમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને આજીનદી બે કાંઠે વહી હતી. જેમાં રામનાથ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. તેમજ આજીનદીના પાણીના પ્રવાહ સાથે અનેક કચરો પણ તણાઇને આવ્યો હતો. ત્યારે આજરોજ પાણી ઉતરતા રામનાથ મહાદેવ મંદિર ખાતે ગંદકીનો ગંજ તેમજ કચરાનો ઢગલાઓ મંદિરના પરિસરમાં નજરે પડ્યા હતા. જેને લઈ નાયબ કમિશ્નર એ. આર. સિંહની દેખરેખમાં સફાઈ કર્મચારીઓ સાથે સફાઈ કામ શરૂ કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રામનાથ મહાદેવ મંદિર શહેરીજનો માટે એક આસ્થાનુ પ્રતિક છે. નદીમાં પુરના કારણે ઉપરવાસથી આવેલ કચરો, ગંદકી, ઝાડા-જાખરા વિગેરે મંદિર પાસે થર જામી જતા હોય છે. જેને પગલે મંદિર તથા મંદિરની આસપાસ ગંદકીની સફાઈ માટે ધારાસભ્ય તથા પદાધીકારીનો ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ મંદિર લાગુ રસ્તા પર પડેલા ખાડાની તાત્કાલિક મરામત કરવા, મંદિરના પરિસરમાં તેમજ આજુબાજુ સ્વચ્છ બંને તે માટે સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું છે.