WatchGujarat. ઘંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યાને લઈને ગુજરાતમાં ધેરા પ્રત્યાધાતો પડ્યા છે. ત્યારે રાજકોટમાં પણ હત્યારાઓને કડક સજા કરવા માંગ સાથે ભરવાડ સમાજ અને હિન્દુ સંગઠનના ચાર હજારથી વધુનું ટોળું કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરવા માટે પહોંચ્યું હતું. એટલું જ નહીં લગભગ 12 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ રીતે રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ આ પૈકીના કેટલાક લોકોએ ધરમ સિનેમા પાસે ચક્કાજામ કરતા મામલો ગરમાયો હતો. અને બાદમાં આ રજૂઆત હિંસક બની જતા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
ધરમ ટોકીઝ બાદ પ્રનગર પાસે પોલીસ વાનમાં ટોળાએ 12:35 આસપાસ અટકચાળો કર્યો હતો.
ધરમ ટોકીઝ પાસે ટોળાએ ચક્કાજામ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને સમજાવટથી ટોળાને ત્યાંથી વિખેરવામાં આવ્યું હતું. જો કે અંદાજે 12:35 આસપાસ આ પૈકીનાં કેટલાક શખ્સો દ્વારા પ્રનગર પોલીસ મથક પાસે જ પોલીસ વાનમાં કાંકરીચાળો કરવામાં આવતા ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ આ ટોળું 12:45 આસપાસ નજીકમાં આવેલા ફૂલછાબ ચોક પાસે પહોંચ્યું હતું. અને ત્યાંના મુસ્લિમ વિસ્તારમાં દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરીને તોડફોડ કરી પોલીસ કર્મચારીઓ સાથે હાથાપાઈ કરતા અંતે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. અને પોલીસ કમિશ્નર કચેરી સુધી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી આ ટોળાને વિખેરવામાં આવ્યું હતું.
12:55 આસપાસ ઉગ્ર બની ગયેલા ટોળાએ ગેલેક્સી ટોકીઝ સામે અમુક દુકાનોમાં તોડફોડ કરી
પોલીસે લાઠીચાર્જ કરતા આ ટોળા પૈકીના કેટલાક શખ્સો ગેલેક્સી સિનેમાની સામે એકઠા થયા હતા. અને ત્યાં ઠંડાપીણા અને પાનની દુકાનોને બંધ કરાવવા માટે પહોંચ્યા હતા. એટલું જ નહીં બે થી ત્રણ દુકાનોમાં તોડફોડ પણ કરી હતી. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઇ વિરલ ગઢવી સહિતનો કાફલો દોડી ગયો હતો. અને વિરલ ગઢવીએ એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં લાકડી લઈને ટોળાંને વિખેરવા ફરી લાઠીચાર્જ કર્યો હતો. જેને પગલે આખરે આ ટોળું વિખેરાયું હતું. બાદમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જો ટોળું મુસ્લિમ વિસ્તારમાં ઘુસ્યું હોત તો પરિસ્થિતિ કાબુ બહાર હોત !
રેસકોર્ષથી પોલીસ કમિશ્નર કચેરી તરફ ટોળું પહોંચ્યું હતું. પોલીસને હતું કે, ટોળું પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા માટે આવી રહ્યું છે. જેથી કચેરી બહાર બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. પરંતુ આ ટોળું સંવેદનશીલ ગણાતા ભીસ્તીવાડ તરફ પહોંચી ગયું હતું. જ્યાં મોટા ભાગે લઘુમતી સમાજના લોકો રહે છે, અને ટોળું ત્યાં ન પહોંચે તે માટે પોલીસે ફરજિયાત લાઠીચાર્જ કર્યો હતો. જેમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. જો કે લગભગ 1:15 મિનિટ સુધીમાં સ્થિતિ થાળે પડી ગઈ હતી.
રેલીની મંજૂરી ન હતી, મર્યાદિત સંખ્યામાં આવેદનપત્ર આપવાની છુટ આપી હતી-ડીસીપી
આ અંગે રાજકોટના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે ભરવાડ સમાજ અને કેટલાક હિન્દુ સંગઠનોએ સોમવારે રાજકોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. જો કે તેની સાથે વાતચીત કરીને આ બંધ પરત ખેંચાયું હતુ. સમાજના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારોને મર્યાદિત સંખ્યામાં આવેદન પત્ર લેવાની પરવાનગી આપવામાં આવી હતી. પણ એકત્ર થયેલાં ટોળાંએ મંજૂરી વગર રેલી કાઢી અને રસ્તા પર ચક્કાજામ, દુકાનોમાં તોડફોડ અને પોલીસ વેનને પણ નુકસાન પહોંચાડ્યું છે. જેને લઈને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો છે. શહેરમાં આ ઘટનાના વધુ પ્રત્યાઘાત ન થાય તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
WatchGujarat. ઘંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યાને લઈને ગુજરાતમાં ધેરા પ્રત્યાધાતો પડ્યા છે. ત્યારે રાજકોટમાં પણ હત્યારાઓને કડક સજા કરવા માંગ સાથે ભરવાડ સમાજ અને હિન્દુ સંગઠનના ચાર હજારથી વધુનું ટોળું કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરવા માટે પહોંચ્યું હતું. એટલું જ નહીં લગભગ 12 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ રીતે રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ આ પૈકીના કેટલાક લોકોએ ધરમ સિનેમા પાસે ચક્કાજામ કરતા મામલો ગરમાયો હતો. અને બાદમાં આ રજૂઆત હિંસક બની જતા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
ધરમ ટોકીઝ બાદ પ્રનગર પાસે પોલીસ વાનમાં ટોળાએ 12:35 આસપાસ અટકચાળો કર્યો હતો.
ધરમ ટોકીઝ પાસે ટોળાએ ચક્કાજામ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને સમજાવટથી ટોળાને ત્યાંથી વિખેરવામાં આવ્યું હતું. જો કે અંદાજે 12:35 આસપાસ આ પૈકીનાં કેટલાક શખ્સો દ્વારા પ્રનગર પોલીસ મથક પાસે જ પોલીસ વાનમાં કાંકરીચાળો કરવામાં આવતા ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ આ ટોળું 12:45 આસપાસ નજીકમાં આવેલા ફૂલછાબ ચોક પાસે પહોંચ્યું હતું. અને ત્યાંના મુસ્લિમ વિસ્તારમાં દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરીને તોડફોડ કરી પોલીસ કર્મચારીઓ સાથે હાથાપાઈ કરતા અંતે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. અને પોલીસ કમિશ્નર કચેરી સુધી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી આ ટોળાને વિખેરવામાં આવ્યું હતું.
12:55 આસપાસ ઉગ્ર બની ગયેલા ટોળાએ ગેલેક્સી ટોકીઝ સામે અમુક દુકાનોમાં તોડફોડ કરી
પોલીસે લાઠીચાર્જ કરતા આ ટોળા પૈકીના કેટલાક શખ્સો ગેલેક્સી સિનેમાની સામે એકઠા થયા હતા. અને ત્યાં ઠંડાપીણા અને પાનની દુકાનોને બંધ કરાવવા માટે પહોંચ્યા હતા. એટલું જ નહીં બે થી ત્રણ દુકાનોમાં તોડફોડ પણ કરી હતી. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઇ વિરલ ગઢવી સહિતનો કાફલો દોડી ગયો હતો. અને વિરલ ગઢવીએ એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં લાકડી લઈને ટોળાંને વિખેરવા ફરી લાઠીચાર્જ કર્યો હતો. જેને પગલે આખરે આ ટોળું વિખેરાયું હતું. બાદમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જો ટોળું મુસ્લિમ વિસ્તારમાં ઘુસ્યું હોત તો પરિસ્થિતિ કાબુ બહાર હોત !
રેસકોર્ષથી પોલીસ કમિશ્નર કચેરી તરફ ટોળું પહોંચ્યું હતું. પોલીસને હતું કે, ટોળું પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા માટે આવી રહ્યું છે. જેથી કચેરી બહાર બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. પરંતુ આ ટોળું સંવેદનશીલ ગણાતા ભીસ્તીવાડ તરફ પહોંચી ગયું હતું. જ્યાં મોટા ભાગે લઘુમતી સમાજના લોકો રહે છે, અને ટોળું ત્યાં ન પહોંચે તે માટે પોલીસે ફરજિયાત લાઠીચાર્જ કર્યો હતો. જેમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. જો કે લગભગ 1:15 મિનિટ સુધીમાં સ્થિતિ થાળે પડી ગઈ હતી.
રેલીની મંજૂરી ન હતી, મર્યાદિત સંખ્યામાં આવેદનપત્ર આપવાની છુટ આપી હતી-ડીસીપી
આ અંગે રાજકોટના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે ભરવાડ સમાજ અને કેટલાક હિન્દુ સંગઠનોએ સોમવારે રાજકોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. જો કે તેની સાથે વાતચીત કરીને આ બંધ પરત ખેંચાયું હતુ. સમાજના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારોને મર્યાદિત સંખ્યામાં આવેદન પત્ર લેવાની પરવાનગી આપવામાં આવી હતી. પણ એકત્ર થયેલાં ટોળાંએ મંજૂરી વગર રેલી કાઢી અને રસ્તા પર ચક્કાજામ, દુકાનોમાં તોડફોડ અને પોલીસ વેનને પણ નુકસાન પહોંચાડ્યું છે. જેને લઈને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો છે. શહેરમાં આ ઘટનાના વધુ પ્રત્યાઘાત ન થાય તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.