રાજકોટમાં સમલૈંગિક સમુદાયને શિક્ષિત કરવાની નવતર પહેલ કરવામાં આવી
સમલૈંગિક સમુદાયના લોકોને શિક્ષણ અપાશે અને પગભર કરવાની દિશામાં કામ કરવામાં આવશે
રાજપીપળાના રાજકુમાર અને લક્ષ્ય ટ્રસ્ટના ટ્રસ્ટી માનવેન્દ્રસિંહ ગોહિલ, કલેક્ટર સહિતના મહાનુભવોના હસ્તે આ બેચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
WatchGujarat. ડિસ્ટ્રીક્ટ સ્કિલ કમિટી આઈ.એમ.સી. ઓફ આઇ.ટી.આઇ. રાજકોટ અને લક્ષ્ય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન નીચે ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ ખાતે એલ.જી.બી.ટી. સમુદાય (સમલૈંગિક સમુદાય)ની ‘કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ્સ’ (સીસીસી)ની પ્રથમ બેચ આગામી તા. 23 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ માટે આજરોજ માનવેન્દ્રસિંહ ગોહિલ રાજકોટ આવ્યા હતા. અને આ કોર્ષની બેચનો પ્રારંભ કરાવ્યો હતો. 20 સમલૈંગિકોને આ બેચમાં તાલીમ આપી પગભર બનાવાશે.
https://youtu.be/4faQlpr46ck
રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટમાં સમલૈંગિક સમુદાયને શિક્ષિત કરવાની નવતર પહેલ કરવામાં આવી છે. આ પાઇલટ પ્રોજેક્ટમાં પ્રથમ બેચમાં 20 લોકોને વિનામૂલ્યે આઈટીઆઈ ખાતે એક મહિનાની તાલીમ આપવામાં આવશે. આ પહેલથી સમલૈંગિક સમુદાયના લોકોને શિક્ષણ અપાશે અને પગભર કરવાની દિશામાં કામ કરવામાં આવશે. સીસીસીની તાલીમ આપ્યા બાદ લક્ષ્ય સંસ્થા તમામને રોજગારી પણ આપશે તેવું આયોજન કરાયું છે. આજે 4:30 કલાકે કલેક્ટર કચેરી ખાતે રાજપીપળાના રાજકુમાર અને લક્ષ્ય ટ્રસ્ટના ટ્રસ્ટી માનવેન્દ્રસિંહ ગોહિલ, કલેક્ટર અરુણ મહેશ બાબુ, રાજકોટ રિજનના નાયબ નિયામક (તાલીમ) મનીષકુમાર દવે અને ઈન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન સુરેશભાઈ સંતોકીના હસ્તે આ બેચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ આઈટીઆઈમાં હાલ માત્ર ઈલેક્ટ્રિશિયન કે વાયરમેનના કોર્સ ભણાવાય છે, પરંતુ સમયની સાથે અનેક ટેક્નોલોજીયુક્ત અને હાઈટેક તાલીમના કોર્સ પણ હવે આઈટીઆઈમાં કરાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં મોટી કંપનીઓ અને ઉદ્યોગો સાથે એમઓયુ કરી આઈટીઆઈના છાત્રોને તાલીમ બાદ રોજગારી મળી શકે આ ઉપરાંત પોતે પણ આત્મનિર્ભર બની શકે તે પ્રકારનાં કોર્સ કરાવાય છે.
આઈટીઆઈનાં પ્રિન્સિપાલ નિપુણ રાવલનાં જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટને સાકાર કરવામાં મહાત્મા ગાંધી નેશનલ ફેલો હિરલચંદ્ર મારૂ (IIM બેંગ્લોર)નું યોગદાન છે. આ પાયલોટ બેચમાં એલ.જી.બી.ટી. સમુદાયના 18થી 20 જેટલા ઉમેદવારો માટે તૈયાર કરાયેલા કોર્ષ અંગે ITI રાજકોટ ખાતે તાલીમબદ્ધ કરાશે. ત્યારબાદ તેઓ લક્ષ્ય ટ્રસ્ટ સાથે કામ કરશે. સમલૈંગિક સમુદાયનાં લોકો આ પ્રોજેક્ટથી પગભર બનશે સાથે-સાથે તેમને રોજગારી પણ મળશે.
રાજકોટમાં સમલૈંગિક સમુદાયને શિક્ષિત કરવાની નવતર પહેલ કરવામાં આવી
સમલૈંગિક સમુદાયના લોકોને શિક્ષણ અપાશે અને પગભર કરવાની દિશામાં કામ કરવામાં આવશે
રાજપીપળાના રાજકુમાર અને લક્ષ્ય ટ્રસ્ટના ટ્રસ્ટી માનવેન્દ્રસિંહ ગોહિલ, કલેક્ટર સહિતના મહાનુભવોના હસ્તે આ બેચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
WatchGujarat. ડિસ્ટ્રીક્ટ સ્કિલ કમિટી આઈ.એમ.સી. ઓફ આઇ.ટી.આઇ. રાજકોટ અને લક્ષ્ય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન નીચે ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ ખાતે એલ.જી.બી.ટી. સમુદાય (સમલૈંગિક સમુદાય)ની ‘કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ્સ’ (સીસીસી)ની પ્રથમ બેચ આગામી તા. 23 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ માટે આજરોજ માનવેન્દ્રસિંહ ગોહિલ રાજકોટ આવ્યા હતા. અને આ કોર્ષની બેચનો પ્રારંભ કરાવ્યો હતો. 20 સમલૈંગિકોને આ બેચમાં તાલીમ આપી પગભર બનાવાશે.
રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટમાં સમલૈંગિક સમુદાયને શિક્ષિત કરવાની નવતર પહેલ કરવામાં આવી છે. આ પાઇલટ પ્રોજેક્ટમાં પ્રથમ બેચમાં 20 લોકોને વિનામૂલ્યે આઈટીઆઈ ખાતે એક મહિનાની તાલીમ આપવામાં આવશે. આ પહેલથી સમલૈંગિક સમુદાયના લોકોને શિક્ષણ અપાશે અને પગભર કરવાની દિશામાં કામ કરવામાં આવશે. સીસીસીની તાલીમ આપ્યા બાદ લક્ષ્ય સંસ્થા તમામને રોજગારી પણ આપશે તેવું આયોજન કરાયું છે. આજે 4:30 કલાકે કલેક્ટર કચેરી ખાતે રાજપીપળાના રાજકુમાર અને લક્ષ્ય ટ્રસ્ટના ટ્રસ્ટી માનવેન્દ્રસિંહ ગોહિલ, કલેક્ટર અરુણ મહેશ બાબુ, રાજકોટ રિજનના નાયબ નિયામક (તાલીમ) મનીષકુમાર દવે અને ઈન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન સુરેશભાઈ સંતોકીના હસ્તે આ બેચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ આઈટીઆઈમાં હાલ માત્ર ઈલેક્ટ્રિશિયન કે વાયરમેનના કોર્સ ભણાવાય છે, પરંતુ સમયની સાથે અનેક ટેક્નોલોજીયુક્ત અને હાઈટેક તાલીમના કોર્સ પણ હવે આઈટીઆઈમાં કરાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં મોટી કંપનીઓ અને ઉદ્યોગો સાથે એમઓયુ કરી આઈટીઆઈના છાત્રોને તાલીમ બાદ રોજગારી મળી શકે આ ઉપરાંત પોતે પણ આત્મનિર્ભર બની શકે તે પ્રકારનાં કોર્સ કરાવાય છે.
આઈટીઆઈનાં પ્રિન્સિપાલ નિપુણ રાવલનાં જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટને સાકાર કરવામાં મહાત્મા ગાંધી નેશનલ ફેલો હિરલચંદ્ર મારૂ (IIM બેંગ્લોર)નું યોગદાન છે. આ પાયલોટ બેચમાં એલ.જી.બી.ટી. સમુદાયના 18થી 20 જેટલા ઉમેદવારો માટે તૈયાર કરાયેલા કોર્ષ અંગે ITI રાજકોટ ખાતે તાલીમબદ્ધ કરાશે. ત્યારબાદ તેઓ લક્ષ્ય ટ્રસ્ટ સાથે કામ કરશે. સમલૈંગિક સમુદાયનાં લોકો આ પ્રોજેક્ટથી પગભર બનશે સાથે-સાથે તેમને રોજગારી પણ મળશે.