બપોરના ત્રણેક વાગ્યા આસપાસ મળેલ કોલનાં આધારે ફાયર વિભાગ દ્વારા આજી 2 ડેમ ખાતે પહોંચી એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી
મોરબી રોડ પર તિરૂપતી બાલાજી પાર્કમાં રહેતા ઇમિટેશનના ધંધાર્થી પટેલ યુવાન રવિવારે ઘરેથી એકટીવા લઇ નીકળ્યા બાદ ગૂમ થઇ ગયો
જાણ જાગૃત નાગરિકે પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી
WatchGujarat. શહેરમાં આજે જુદા-જુદા બે બનાવમાં બે યુવકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જેમાં આજી 2 ડેમમાંથી એક યુવાનની લાશ મળી છે. જ્યારે બીજા યુવાનનો મૃતદેહ લાલપરી તળાવમાંથી મળી આવતા અરેરાટી ફેલાઈ છે. આજીડેમ ખાતેથી ફાયરનાં જવાનો દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવતો હોવાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. હાલ તો પોલીસે બંને મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
https://youtu.be/VSd2KEkF2_0
પ્રથમ બનાવની વાત કરીએ તો બપોરના ત્રણેક વાગ્યા આસપાસ મળેલ કોલનાં આધારે ફાયર વિભાગ દ્વારા આજી 2 ડેમ ખાતે પહોંચી એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી. તપાસ કરતા યુવાન પાસેથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં કેમેસ્ટ્રી વિભાગના આદિત્ય રાવલનું આઈકાર્ડ મળી આવ્યું હતું. જે બાદ ફાયર વિભાગે પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં મોરબી રોડ પર તિરૂપતી બાલાજી પાર્કમાં રહેતા ઇમિટેશનના ધંધાર્થી પટેલ યુવાન રવિવારે ઘરેથી એકટીવા લઇ નીકળ્યા બાદ ગૂમ થઇ ગયો હતો. દરમિયાન એક યુવાનની લાશ લાલપરી તળાવ મચ્છો માતાજીના મંદિર પાસે તરતી હોવાની જાણ જાગૃત નાગરિકે પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. અને એક યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બી-ડિવીઝનના પીએસઆઇ જે. પી. સરવૈયા અને કિશનભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
તપાસ દરમિયાન મૃતક પાસેથી એક ચુંટણી કાર્ડ મળ્યું હતું. જેના આધારે મૃતક ઓળખ થઇ હતી. તે મોરબી રોડ તિરૂપતી બાલાજી પાર્ક-7માં રહેતો પ્રવિણભાઇ લક્ષમણભાઇ સંઘાણી હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૃતક પાસેથી મળેલા પર્સને ચેક કરતાં એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે-હું મારા જીવનથી કંટાળી ગયો છું, મને જીવવામાં રસ નથી, મારા પરિવાર પૈકી કોઇને હેરાન કરતાં નહિ, આમા કોઇનો વાંક નથી.
ગઇકાલે જ પ્રવિણભાઇ ગૂમ થયાની જાણ પોલીસમાં કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. રવિવારે બપોર બાદ પ્રવિણભાઇ એકટીવા લઇ ઘરેથી નીકળ્યા પછી પાછા ન આવતાં બે દિવસ સુધી શોધખોળ કર્યા બાદ ગત સાંજે પોલીસને જાણ કરાઇ હતી. ત્યાં આજે લાલપરીમાંથી તેની લાશ મળી આવતાં કલ્પાંત સર્જાયો છે. પ્રવિણભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ઇમિટેશનનું કામ કરતાં હતાં. તેને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.
બપોરના ત્રણેક વાગ્યા આસપાસ મળેલ કોલનાં આધારે ફાયર વિભાગ દ્વારા આજી 2 ડેમ ખાતે પહોંચી એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી
મોરબી રોડ પર તિરૂપતી બાલાજી પાર્કમાં રહેતા ઇમિટેશનના ધંધાર્થી પટેલ યુવાન રવિવારે ઘરેથી એકટીવા લઇ નીકળ્યા બાદ ગૂમ થઇ ગયો
WatchGujarat. શહેરમાં આજે જુદા-જુદા બે બનાવમાં બે યુવકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જેમાં આજી 2 ડેમમાંથી એક યુવાનની લાશ મળી છે. જ્યારે બીજા યુવાનનો મૃતદેહ લાલપરી તળાવમાંથી મળી આવતા અરેરાટી ફેલાઈ છે. આજીડેમ ખાતેથી ફાયરનાં જવાનો દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવતો હોવાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. હાલ તો પોલીસે બંને મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવની વાત કરીએ તો બપોરના ત્રણેક વાગ્યા આસપાસ મળેલ કોલનાં આધારે ફાયર વિભાગ દ્વારા આજી 2 ડેમ ખાતે પહોંચી એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી. તપાસ કરતા યુવાન પાસેથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં કેમેસ્ટ્રી વિભાગના આદિત્ય રાવલનું આઈકાર્ડ મળી આવ્યું હતું. જે બાદ ફાયર વિભાગે પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં મોરબી રોડ પર તિરૂપતી બાલાજી પાર્કમાં રહેતા ઇમિટેશનના ધંધાર્થી પટેલ યુવાન રવિવારે ઘરેથી એકટીવા લઇ નીકળ્યા બાદ ગૂમ થઇ ગયો હતો. દરમિયાન એક યુવાનની લાશ લાલપરી તળાવ મચ્છો માતાજીના મંદિર પાસે તરતી હોવાની જાણ જાગૃત નાગરિકે પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. અને એક યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બી-ડિવીઝનના પીએસઆઇ જે. પી. સરવૈયા અને કિશનભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
તપાસ દરમિયાન મૃતક પાસેથી એક ચુંટણી કાર્ડ મળ્યું હતું. જેના આધારે મૃતક ઓળખ થઇ હતી. તે મોરબી રોડ તિરૂપતી બાલાજી પાર્ક-7માં રહેતો પ્રવિણભાઇ લક્ષમણભાઇ સંઘાણી હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૃતક પાસેથી મળેલા પર્સને ચેક કરતાં એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે-હું મારા જીવનથી કંટાળી ગયો છું, મને જીવવામાં રસ નથી, મારા પરિવાર પૈકી કોઇને હેરાન કરતાં નહિ, આમા કોઇનો વાંક નથી.
ગઇકાલે જ પ્રવિણભાઇ ગૂમ થયાની જાણ પોલીસમાં કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. રવિવારે બપોર બાદ પ્રવિણભાઇ એકટીવા લઇ ઘરેથી નીકળ્યા પછી પાછા ન આવતાં બે દિવસ સુધી શોધખોળ કર્યા બાદ ગત સાંજે પોલીસને જાણ કરાઇ હતી. ત્યાં આજે લાલપરીમાંથી તેની લાશ મળી આવતાં કલ્પાંત સર્જાયો છે. પ્રવિણભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ઇમિટેશનનું કામ કરતાં હતાં. તેને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.