કોરોના વાયરસ નબળો પડવાની સાથે જ ડેંગ્યુ, ચિકનગુનિયા અને ફ્લુના વાયરસ વધુ સક્રિય થયા
ગત સપ્તાહમાં ચિકનગુનિયાના 4 પોઝીટીવ કેસ નોંધાયા, જ્યારે પાણીજન્ય ચેપી ઝાડાઉલ્ટીના કેસો વધીને 113 થયા
સૌથી વધુ વાયરલ શરદી, તાવના 569 કેસો નોંધાયા
WatchGujarat. શહેરમાં સાતમ-આઠમનાં તહેવરોની લોકો દ્વારા મન ભરીને ઉજવણી કરવામાં આવી હતી. જોકે તેમ છતાં સારી વાત છે કે, કોરોના સંપૂર્ણપણે કાબૂમાં રહ્યો છે. પરંતુ તહેવારોમાં લીધેલા અનઆરોગ્યપ્રદ આહાર-વિહારથી અન્ય ચેપી રોગચાળો બેકાબૂ બન્યો છે. રાજકોટમાં ડેંગ્યુ, ઝાડાઉલ્ટી, શરદી-તાવના કેસો બે સપ્તાહમાં ત્રણ ગણા થયા બાદ આજે ચિકનગુનિયાનાં 4 કેસો પણ સામે આવ્યા છે.
મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, ગત સપ્તાહમાં મચ્છરથી ફેલાતા અને અત્યંત પીડાદાયક ચિકનગુનિયાના 4 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે પાણીજન્ય ચેપી ઝાડાઉલ્ટીના કેસો વધીને 113 થયા છે. જે અગાઉના સપ્તાહ કરતા 20% અને તે પહેલાનાં સપ્તાહ કરતા 120% વધુ છે. તો ડેંગ્યુના 7 પોઝીટીવ કેસ પણ સામે આવ્યા છે. જો કે સૌથી વધુ વાયરલ શરદી, તાવના 569 કેસો નોંધાયા છે. જે ગત સપ્તાહે 436 હતા. એટલે કે તેમાં આશરે 25%નો વધારો થયો છે. શહેરનાં ખાનગી દવાખાના, હોસ્પિટલોમાં કેસોની સંખ્યા અનેકગણી વધારે હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
મનપાન આરોગ્ય કેન્દ્રોમાં ગત તા.16-8થી 22-8નાં સપ્તાહમાં શરદી, તાવ વગેરે રોગના 10 હજારથી વધુ દર્દીઓને સારવાર અપાઈ હતી. તા.17થી 29 સુધીનાં ગત સપ્તાહમાં આ સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. અને 14,078 દર્દીઓ નોંધાયા છે. એકંદરે જેનો ડર હતો તે કોરોના વધ્યો નથી. પણ અન્ય ચેપી રોગચાળો બેકાબુ બની રહ્યો છે. કોરોના વાયરસ નબળો પડવાની સાથે જ ડેંગ્યુ, ચિકનગુનિયા અને ફ્લુના વાયરસ વધુ સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના ગયો નથી, અન્ય રોગચાળો વધ્યો છે. ત્યારે લોકો નીચેની બાબતોનું ધ્યાન રાખે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
(1) ડેંગ્યુ-ચિકનગુનિયાથી બચવા મચ્છર ન કરડે, ઘરમાં મચ્છર ન રહે તેનું ધ્યાન રાખવું.
(2) અજાણ્યા લોકો વચ્ચે જાઓ ત્યારે માસ્ક અચૂક પહેરવું.
(3) ફરવા કે શોખ ખાતર ભીડમાં જવું આ ઋતુમાં આરોગ્ય માટે જોખમી છે.
(4) રોગના લક્ષણો જાણી તપાસતા રહેવું, આરોગ્ય કેન્દ્રમાં દરેક રોગની નિ:શૂલ્ક સારવાર અપાય છે તેમાં ઢીલ ન કરવી.
(5) તાજો, હળવો-સુપાચ્ય ખોરાક લેવો. ઉકાળેલું અને ચોખ્ખુ પાણી જ પીવું. ઠંડાપીણાનો ઉપયોગ ઘટાડવો
(6) કોરોના રસીના બન્ને ડોઝ અચૂક લઈ લેવા.
કોરોના વાયરસ નબળો પડવાની સાથે જ ડેંગ્યુ, ચિકનગુનિયા અને ફ્લુના વાયરસ વધુ સક્રિય થયા
ગત સપ્તાહમાં ચિકનગુનિયાના 4 પોઝીટીવ કેસ નોંધાયા, જ્યારે પાણીજન્ય ચેપી ઝાડાઉલ્ટીના કેસો વધીને 113 થયા
સૌથી વધુ વાયરલ શરદી, તાવના 569 કેસો નોંધાયા
WatchGujarat. શહેરમાં સાતમ-આઠમનાં તહેવરોની લોકો દ્વારા મન ભરીને ઉજવણી કરવામાં આવી હતી. જોકે તેમ છતાં સારી વાત છે કે, કોરોના સંપૂર્ણપણે કાબૂમાં રહ્યો છે. પરંતુ તહેવારોમાં લીધેલા અનઆરોગ્યપ્રદ આહાર-વિહારથી અન્ય ચેપી રોગચાળો બેકાબૂ બન્યો છે. રાજકોટમાં ડેંગ્યુ, ઝાડાઉલ્ટી, શરદી-તાવના કેસો બે સપ્તાહમાં ત્રણ ગણા થયા બાદ આજે ચિકનગુનિયાનાં 4 કેસો પણ સામે આવ્યા છે.
મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, ગત સપ્તાહમાં મચ્છરથી ફેલાતા અને અત્યંત પીડાદાયક ચિકનગુનિયાના 4 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે પાણીજન્ય ચેપી ઝાડાઉલ્ટીના કેસો વધીને 113 થયા છે. જે અગાઉના સપ્તાહ કરતા 20% અને તે પહેલાનાં સપ્તાહ કરતા 120% વધુ છે. તો ડેંગ્યુના 7 પોઝીટીવ કેસ પણ સામે આવ્યા છે. જો કે સૌથી વધુ વાયરલ શરદી, તાવના 569 કેસો નોંધાયા છે. જે ગત સપ્તાહે 436 હતા. એટલે કે તેમાં આશરે 25%નો વધારો થયો છે. શહેરનાં ખાનગી દવાખાના, હોસ્પિટલોમાં કેસોની સંખ્યા અનેકગણી વધારે હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
મનપાન આરોગ્ય કેન્દ્રોમાં ગત તા.16-8થી 22-8નાં સપ્તાહમાં શરદી, તાવ વગેરે રોગના 10 હજારથી વધુ દર્દીઓને સારવાર અપાઈ હતી. તા.17થી 29 સુધીનાં ગત સપ્તાહમાં આ સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. અને 14,078 દર્દીઓ નોંધાયા છે. એકંદરે જેનો ડર હતો તે કોરોના વધ્યો નથી. પણ અન્ય ચેપી રોગચાળો બેકાબુ બની રહ્યો છે. કોરોના વાયરસ નબળો પડવાની સાથે જ ડેંગ્યુ, ચિકનગુનિયા અને ફ્લુના વાયરસ વધુ સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના ગયો નથી, અન્ય રોગચાળો વધ્યો છે. ત્યારે લોકો નીચેની બાબતોનું ધ્યાન રાખે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
(1) ડેંગ્યુ-ચિકનગુનિયાથી બચવા મચ્છર ન કરડે, ઘરમાં મચ્છર ન રહે તેનું ધ્યાન રાખવું.
(2) અજાણ્યા લોકો વચ્ચે જાઓ ત્યારે માસ્ક અચૂક પહેરવું.
(3) ફરવા કે શોખ ખાતર ભીડમાં જવું આ ઋતુમાં આરોગ્ય માટે જોખમી છે.
(4) રોગના લક્ષણો જાણી તપાસતા રહેવું, આરોગ્ય કેન્દ્રમાં દરેક રોગની નિ:શૂલ્ક સારવાર અપાય છે તેમાં ઢીલ ન કરવી.
(5) તાજો, હળવો-સુપાચ્ય ખોરાક લેવો. ઉકાળેલું અને ચોખ્ખુ પાણી જ પીવું. ઠંડાપીણાનો ઉપયોગ ઘટાડવો