8મીએ ઢાંકી સ્ટેશન પર જેટકોનું શટ ડાઉન હોવાથી ન્યારા પ્લાન્ટ પર પાણીની આવક બંધ રહેશે
રાજકોટને રોજ 325 MLD પાણીની જરૂરિયાત સામે નર્મદામાંથી રોજનું આશરે 115 MLD એમએલડી પાણી મળે છે
વોર્ડ નં. 7, 1, 9 અને 10 નાં અમુક વિસ્તારોમાં પાણી વિતરણ નહિ કરવામાં આવે
WatchGujarat. ચાલુ વર્ષે ચોમાસામાં મેઘમહેર થતા નદી - નાળા અને ડેમો છલકાઈ ગયા છે. આમ છતાં તંત્રની અણઆવડતથી રાજકોટવાસીઓને વધુ એક વખત બુધવારે પાણી કાપ સહન કરવો પડશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઢાંકી હેઠળનાં પમ્પીંગ સ્ટેશનો પર જેટકોનું શટડાઉન હોવાથી રાજકોટને પુરૂ પાડવામાં આવતુ પાણી નહીં મળતા તા. 8 મીએ દસ જેટલા વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે.
રાજકોટ મહાપાલિકાનાં જણાવ્યા મુજબ, તા. 8મીએ ઢાંકી સ્ટેશન પર જેટકોનું શટ ડાઉન હોવાથી ન્યારા પ્લાન્ટ પર પાણીની આવક બંધ રહેશે. તો બેડી ફિલ્ટર પર પણ ખુબ ઓછો જથ્થો મળવાને કારણે બુધવારે જયુબેલી અને રૈયા વોટર વર્કસ હેઠળનાં વોર્ડ નં. 1, 2, 3 , 7, 8, 9, 10 , 11, 13અને 14 માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. રાજકોટને રોજ 325 MLD પાણીની જરૂરિયાત સામે નર્મદામાંથી રોજનું આશરે 115 MLD એમએલડી પાણી મળે છે. તા. 8 મીએ નર્મદાનું આ પાણી નહીં મળે.
ઉપરાંત વોર્ડ નં. 7, 1, 9 અને 10 નાં અમુક વિસ્તારોમાં પાણી વિતરણ નહિ કરવામાં આવે. જેને લઈ રૈયાધાર, ગાંધીગ્રામ, માયાણીનગર, રૈયા, ધરમનગર, નિવેદીતા નગર, શિલ્પન આઈકોન, ચંદન પાર્ક, જનકપુરી, સાધુવાસવાણી રોડની સોસાયટીઓ, વોર્ડ નં. ૮માં લક્ષ્મીનગર, ભકિતધામ, વોર્ડ નં. ૧૧ માં ચંદેશનગર, અલકા સોસાયટી, મવડી વિસ્તાર, સોજીત્રાનગર, કરણપરા, સોની બજાર, દિવાનપરા, હાથીખાના, કેવડા વાડી, બાપુનગર, બજરંગ વાડી, ભોમેશ્વર પ્લોટ સહિતનાં વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. આમ બુધવારે અડધા રાજકોટમાં પાણી નહીં આપવામાં આવે તેવી જાહેરાતથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
- 8મીએ ઢાંકી સ્ટેશન પર જેટકોનું શટ ડાઉન હોવાથી ન્યારા પ્લાન્ટ પર પાણીની આવક બંધ રહેશે
- રાજકોટને રોજ 325 MLD પાણીની જરૂરિયાત સામે નર્મદામાંથી રોજનું આશરે 115 MLD એમએલડી પાણી મળે છે
- વોર્ડ નં. 7, 1, 9 અને 10 નાં અમુક વિસ્તારોમાં પાણી વિતરણ નહિ કરવામાં આવે
WatchGujarat. ચાલુ વર્ષે ચોમાસામાં મેઘમહેર થતા નદી - નાળા અને ડેમો છલકાઈ ગયા છે. આમ છતાં તંત્રની અણઆવડતથી રાજકોટવાસીઓને વધુ એક વખત બુધવારે પાણી કાપ સહન કરવો પડશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઢાંકી હેઠળનાં પમ્પીંગ સ્ટેશનો પર જેટકોનું શટડાઉન હોવાથી રાજકોટને પુરૂ પાડવામાં આવતુ પાણી નહીં મળતા તા. 8 મીએ દસ જેટલા વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે.
રાજકોટ મહાપાલિકાનાં જણાવ્યા મુજબ, તા. 8મીએ ઢાંકી સ્ટેશન પર જેટકોનું શટ ડાઉન હોવાથી ન્યારા પ્લાન્ટ પર પાણીની આવક બંધ રહેશે. તો બેડી ફિલ્ટર પર પણ ખુબ ઓછો જથ્થો મળવાને કારણે બુધવારે જયુબેલી અને રૈયા વોટર વર્કસ હેઠળનાં વોર્ડ નં. 1, 2, 3 , 7, 8, 9, 10 , 11, 13અને 14 માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. રાજકોટને રોજ 325 MLD પાણીની જરૂરિયાત સામે નર્મદામાંથી રોજનું આશરે 115 MLD એમએલડી પાણી મળે છે. તા. 8 મીએ નર્મદાનું આ પાણી નહીં મળે.
ઉપરાંત વોર્ડ નં. 7, 1, 9 અને 10 નાં અમુક વિસ્તારોમાં પાણી વિતરણ નહિ કરવામાં આવે. જેને લઈ રૈયાધાર, ગાંધીગ્રામ, માયાણીનગર, રૈયા, ધરમનગર, નિવેદીતા નગર, શિલ્પન આઈકોન, ચંદન પાર્ક, જનકપુરી, સાધુવાસવાણી રોડની સોસાયટીઓ, વોર્ડ નં. ૮માં લક્ષ્મીનગર, ભકિતધામ, વોર્ડ નં. ૧૧ માં ચંદેશનગર, અલકા સોસાયટી, મવડી વિસ્તાર, સોજીત્રાનગર, કરણપરા, સોની બજાર, દિવાનપરા, હાથીખાના, કેવડા વાડી, બાપુનગર, બજરંગ વાડી, ભોમેશ્વર પ્લોટ સહિતનાં વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. આમ બુધવારે અડધા રાજકોટમાં પાણી નહીં આપવામાં આવે તેવી જાહેરાતથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.