વરસાદ ખેંચાતા જગતનો તાત દુ:ખી થવાની સાથે પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઇ રહી છે
રાજકોટના આજી 1 ડેમમાં 27 ટકા પાણીનો જથ્થો અને ન્યારી 1 ડેમમાં 50 ટકા પાણી છે
એકાદ સપ્તાહમાં જ નર્મદાનાં 335 MCFT પાણીનો જથ્થો રાજકોટનાં બે મુખ્ય જળાશયોમાં પહોંચાડવામાં આવનાર છે – મેયર
WatchGujarat. શહેરમાં વરસાદ ખેંચાતા હવે જળસંકટ તોળાઈ રહ્યું છે. અને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં જળનો જથ્થો ખૂટી રહ્યો છે. જો કે આ કપરા સમયમાં એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત સરકારે પદાધિકારીઓની રજુઆતને ધ્યાનમાં રાખીને રાજકોટને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ સૌની યોજના મારફતે 335 MCFT પાણીનો જથ્થા આપવામાં આવનાર છે. આગામી સપ્તાહમાં જ સૌની યોજનાનાં પાણી નર્મદા કેનાલ મારફતે આજી અને ન્યારી ખાતે પહોંચાડવામાં આવનાર હોવાનું મેયરે જણાવ્યું છે.
વરસાદ ખેંચાતા જગતનો તાત દુ:ખી છે. તેની સાથે સાથે પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઇ રહી છે. રાજકોટને પાણી પુરૂ પાડતા ડેમો તળિયા ઝાટક જોવા મળ્યા છે. રાજકોટના આજી 1 ડેમમાં 27 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે ન્યારી 1 ડેમમાં 50 ટકા પાણી છે. ત્યારે જો વરસાદ ખેંચાયો તો જળસંકટ ઉભું થઇ શકે છે. હાલ રાજકોટનાં આજી 1 ડેમની કુલ સપાટી 29 ફૂટ છે જે હાલમાં 15 ફૂટ પહોંચી છે. ડેડ સ્ટોકને બાદ કરતા 27 ટકા પાણીનો જથ્થો રહેલો છે. જ્યારે ન્યારી 1 ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો રહેલો છે.
આ અંગે મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, વરસાદ ધારણા કરતા વધુ ખેંચાઈ ગયો છે. જેને લઈને અમે રાજ્ય સરકાર પાસે નર્મદાનાં પાણીની માંગ કરી હતી. એટલું જ નહીં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમટાઉન હોવાને કારણે તેઓ પણ રાજકોટમાં પાણીનાં પ્રશ્નને લઈને ખાસ ચિંતિત છે. જેના અનુસંધાને રાજકોટને સૌની યોજના મારફતે પાણી પૂરું પાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને એકાદ સપ્તાહમાં જ નર્મદાનાં 335 MCFT પાણીનો જથ્થો રાજકોટનાં બે મુખ્ય જળાશયોમાં પહોંચાડવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, પહેલા પણ રાજકોટને નર્મદામાંથી 300 MCFT પાણીના જથ્થાની ફાળવણી કરવામાં આવી હતી. જોકે વરસાદ ખેંચાતા ફરી પાણીનો જથ્થો ખૂટી પડ્યો છે. જેના કારણે ખાસ મહાનગરપાલિકાનાં શાસકો-અધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના થકી પાણી પુરૂ પાડવાની માંગ કરવામાં આવી હતી. અને રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી સુધી સૌની યોજનાનું પાણી આપવાની બાહેંધરી આપવામાં આવી છે.
વરસાદ ખેંચાતા જગતનો તાત દુ:ખી થવાની સાથે પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઇ રહી છે
રાજકોટના આજી 1 ડેમમાં 27 ટકા પાણીનો જથ્થો અને ન્યારી 1 ડેમમાં 50 ટકા પાણી છે
એકાદ સપ્તાહમાં જ નર્મદાનાં 335 MCFT પાણીનો જથ્થો રાજકોટનાં બે મુખ્ય જળાશયોમાં પહોંચાડવામાં આવનાર છે – મેયર
WatchGujarat. શહેરમાં વરસાદ ખેંચાતા હવે જળસંકટ તોળાઈ રહ્યું છે. અને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં જળનો જથ્થો ખૂટી રહ્યો છે. જો કે આ કપરા સમયમાં એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત સરકારે પદાધિકારીઓની રજુઆતને ધ્યાનમાં રાખીને રાજકોટને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ સૌની યોજના મારફતે 335 MCFT પાણીનો જથ્થા આપવામાં આવનાર છે. આગામી સપ્તાહમાં જ સૌની યોજનાનાં પાણી નર્મદા કેનાલ મારફતે આજી અને ન્યારી ખાતે પહોંચાડવામાં આવનાર હોવાનું મેયરે જણાવ્યું છે.
વરસાદ ખેંચાતા જગતનો તાત દુ:ખી છે. તેની સાથે સાથે પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઇ રહી છે. રાજકોટને પાણી પુરૂ પાડતા ડેમો તળિયા ઝાટક જોવા મળ્યા છે. રાજકોટના આજી 1 ડેમમાં 27 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે ન્યારી 1 ડેમમાં 50 ટકા પાણી છે. ત્યારે જો વરસાદ ખેંચાયો તો જળસંકટ ઉભું થઇ શકે છે. હાલ રાજકોટનાં આજી 1 ડેમની કુલ સપાટી 29 ફૂટ છે જે હાલમાં 15 ફૂટ પહોંચી છે. ડેડ સ્ટોકને બાદ કરતા 27 ટકા પાણીનો જથ્થો રહેલો છે. જ્યારે ન્યારી 1 ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો રહેલો છે.
આ અંગે મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, વરસાદ ધારણા કરતા વધુ ખેંચાઈ ગયો છે. જેને લઈને અમે રાજ્ય સરકાર પાસે નર્મદાનાં પાણીની માંગ કરી હતી. એટલું જ નહીં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમટાઉન હોવાને કારણે તેઓ પણ રાજકોટમાં પાણીનાં પ્રશ્નને લઈને ખાસ ચિંતિત છે. જેના અનુસંધાને રાજકોટને સૌની યોજના મારફતે પાણી પૂરું પાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને એકાદ સપ્તાહમાં જ નર્મદાનાં 335 MCFT પાણીનો જથ્થો રાજકોટનાં બે મુખ્ય જળાશયોમાં પહોંચાડવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, પહેલા પણ રાજકોટને નર્મદામાંથી 300 MCFT પાણીના જથ્થાની ફાળવણી કરવામાં આવી હતી. જોકે વરસાદ ખેંચાતા ફરી પાણીનો જથ્થો ખૂટી પડ્યો છે. જેના કારણે ખાસ મહાનગરપાલિકાનાં શાસકો-અધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના થકી પાણી પુરૂ પાડવાની માંગ કરવામાં આવી હતી. અને રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી સુધી સૌની યોજનાનું પાણી આપવાની બાહેંધરી આપવામાં આવી છે.