રાજકોટમાં હિના નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ ડો.નર્સિગ કરશનભાઈ કમલ, સસરા કરશનભાઈ કમલ અને સાસુ અનસુયા બેન સામે ત્રાસની ફરિયાદ નોંધાવી
લગ્નના પહેલા દિવસે પતિએ શરીર સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી
સાસુ- સસરાને સસરાને વાત કરતા તેઓએ તો છૂટાછેડા લઈ લેવાનું જણાવ્યું
WatchGujarat. રાજકોટમાં પિયર ધરાવતી ઉચ્ચ અભ્યાસ કરેલી પરિણીતાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચીફ મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા તબીબ પતિ અને સાસુ-સસરા સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પતિ વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું અને નપૂંસક હોવાનું જણાવ્યું છે. સાથે લગ્નની પહેલી રાત્રે જ સંબંધ બંધવાની ના પાડી દીધી હોવાનો તેમજ લેપટોપમાં મોદી રાત સુધી બિભત્સ વિડીયો જોયા કરતો હોવાના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે. આ મુદ્દે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, કાલાવડ રોડ પર છેલ્લા 8 મહિનાથી માવતરે રહેતી હિના નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ ડો.નર્સિગ કરશનભાઈ કમલ, સસરા કરશનભાઈ કમલ અને સાસુ અનસુયા બેન સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીએ એમસીએ સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેના લગ્ન 2018માં અમદાવાદની અસારવા સિવિલમાં ચીફ મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.નિસર્ગ સાથે થયા હતા.
લગ્નના પહેલા દિવસે પતિએ શરીર સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ અવાર-નવાર ખોટા બહાના બતાવી તેનાથી દૂર રહેતો હતો. તેમજ મોડી રાત સુધી લેપટોપમાં બિભત્સ વિડીયો જોતો રહેતો હતો. સાસુ- સસરાને સસરાને વાત કરતા તેઓએ તો છૂટાછેડા લઈ લેવાનું જણાવ્યું હતું. અને મેણા-ટોણા મારી કરીયાવર બાબતે ત્રાસ આપી છૂટાછેડા લઈ લેવા દબાણ કરતા હતા. આથી કંટાળેલી પરિણીતા માવતરે આવી ગઈ હતી. અને વિકૃત માનસિકતા ધરાવતા તબીબ પતિ સાહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
- રાજકોટમાં હિના નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ ડો.નર્સિગ કરશનભાઈ કમલ, સસરા કરશનભાઈ કમલ અને સાસુ અનસુયા બેન સામે ત્રાસની ફરિયાદ નોંધાવી
- લગ્નના પહેલા દિવસે પતિએ શરીર સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી
- સાસુ- સસરાને સસરાને વાત કરતા તેઓએ તો છૂટાછેડા લઈ લેવાનું જણાવ્યું
WatchGujarat. રાજકોટમાં પિયર ધરાવતી ઉચ્ચ અભ્યાસ કરેલી પરિણીતાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચીફ મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા તબીબ પતિ અને સાસુ-સસરા સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પતિ વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું અને નપૂંસક હોવાનું જણાવ્યું છે. સાથે લગ્નની પહેલી રાત્રે જ સંબંધ બંધવાની ના પાડી દીધી હોવાનો તેમજ લેપટોપમાં મોદી રાત સુધી બિભત્સ વિડીયો જોયા કરતો હોવાના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે. આ મુદ્દે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, કાલાવડ રોડ પર છેલ્લા 8 મહિનાથી માવતરે રહેતી હિના નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ ડો.નર્સિગ કરશનભાઈ કમલ, સસરા કરશનભાઈ કમલ અને સાસુ અનસુયા બેન સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીએ એમસીએ સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેના લગ્ન 2018માં અમદાવાદની અસારવા સિવિલમાં ચીફ મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.નિસર્ગ સાથે થયા હતા.
લગ્નના પહેલા દિવસે પતિએ શરીર સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ અવાર-નવાર ખોટા બહાના બતાવી તેનાથી દૂર રહેતો હતો. તેમજ મોડી રાત સુધી લેપટોપમાં બિભત્સ વિડીયો જોતો રહેતો હતો. સાસુ- સસરાને સસરાને વાત કરતા તેઓએ તો છૂટાછેડા લઈ લેવાનું જણાવ્યું હતું. અને મેણા-ટોણા મારી કરીયાવર બાબતે ત્રાસ આપી છૂટાછેડા લઈ લેવા દબાણ કરતા હતા. આથી કંટાળેલી પરિણીતા માવતરે આવી ગઈ હતી. અને વિકૃત માનસિકતા ધરાવતા તબીબ પતિ સાહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી છે.