ગત ગુરુવારે શીતલબેન ચનીયારા શાપરના કિસાન ગેઇટ નજીકથી અર્ધબેભાન હાલતમાં મળી આવી હતી
પ્રથમ સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં ગતરાત્રે તેણીનું મોત નિપજ્યું છે
શિતલ દરરોજ બપોર બાદ ઘરેથી માલવીયા ચોક પાસેની લાયબ્રેરીમાં વાંચન માટે જતી હતી
WatchGujarat. ગત 13 જાન્યુઆરીનાં રોજ શાપર વેરાવળ નજીકથી એક પરિણીતા બેભાન હાલતમાં મળી આવી હતી. જેને પગલે તેણીને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ મોત થતા ફોરેન્સિક પીએમ કરાવાયું હતું. જેમાં એસિડને કારણે મોત નિપજ્યાનું સામે આવ્યું છે. જેને પગલે પરિવાર દ્વારા તેને લૂંટના ઇરાદે કોઈએ એસિડ પીવરાવી દીધું હોવાનો આરોપ લગાવવામાં આવતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક પરિણીતાનું નામ શિતલબેન ચનીયારા હોવાનું અને તેણી પતિ મહેશ સાથે જીપીએસસીની પરિક્ષાની તૈયારી કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ ગત ગુરુવારે શીતલબેન ચનીયારા શાપરના કિસાન ગેઇટ નજીકથી અર્ધબેભાન હાલતમાં મળી આવી હતી. તેણીને પ્રથમ સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ગતરાત્રે તેણીનું મોત નિપજ્યું છે. મૃત્યુ પામનાર શિતલના માવતર બાબરા રહે છે. તેણીના ત્રણ વર્ષ પહેલા રાજકોટના મહેશ ચનીયારા સાથે લગ્ન થયા હતાં. શિતલ અને પતિ મહેશ બંને જીપીએસસીની પરિક્ષાની તૈયારી કરતાં હતાં.
શિતલ દરરોજ બપોર બાદ ઘરેથી માલવીયા ચોક પાસેની લાયબ્રેરીમાં વાંચન માટે જતી હતી. અને સાંજે 6 વાગ્યે પરત આવી જતી હતી. 13મીએ લાયબ્રેરીએ ગયા બાદ પાછી ન આવતાં શોધખોળ શરૂ કરાઇ હતી અને બાદમાં ગૂમ થયાની પોલીસને જાણ કરાઇ હતી. જેમાં શિતલ છેલ્લે ભુતખાના ચોકમાંથી કોઇ રિક્ષામાં બેઠી હતી. તેમાં બીજી બે મહિલા પણ હોવાની વાત તે થોડી ભાનમાં આવી ત્યારે કરી હતી. જો કે શાપરના કિસાન ગેઇટ સુધી કઇ રીતે પહોંચી? બેભાન શા માટે થઇ ગઇ? આ બધા મુદ્દે પોલીસે તપાસ આદરી છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ થતાં શિતલનું મોત એસિડથી થયાનું ખુલતાં તેણીએ એસિડ જાતે પીધુ તો શા માટે? અને કોઇ પીવડાવ્યું તો શા કારણે? તેની તપાસ શાપર પોલીસે શરૂ કરી છે.
બનાવને પગલે કોળી સમાજના લોકો પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે એકઠા થયા હતાં અને દિકરી શિતલ જાતે એસિડ પીવે તેવુ કોઇ કારણ નહિ હોવાનું જણાવી તેનો ફોન અને પર્સ ગાયબ હોઇ લૂંટના ઇરાદે કોઇએ તેને પરાણે એસિડ પાઇ દીધાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં એક તબક્કે લાશ સંભાળવાનો ઇન્કાર પણ કર્યો હતો. જો કે શાપર પોલીસે ઉંડી તપાસની ખાત્રી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
ગત ગુરુવારે શીતલબેન ચનીયારા શાપરના કિસાન ગેઇટ નજીકથી અર્ધબેભાન હાલતમાં મળી આવી હતી
પ્રથમ સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં ગતરાત્રે તેણીનું મોત નિપજ્યું છે
શિતલ દરરોજ બપોર બાદ ઘરેથી માલવીયા ચોક પાસેની લાયબ્રેરીમાં વાંચન માટે જતી હતી
WatchGujarat. ગત 13 જાન્યુઆરીનાં રોજ શાપર વેરાવળ નજીકથી એક પરિણીતા બેભાન હાલતમાં મળી આવી હતી. જેને પગલે તેણીને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ મોત થતા ફોરેન્સિક પીએમ કરાવાયું હતું. જેમાં એસિડને કારણે મોત નિપજ્યાનું સામે આવ્યું છે. જેને પગલે પરિવાર દ્વારા તેને લૂંટના ઇરાદે કોઈએ એસિડ પીવરાવી દીધું હોવાનો આરોપ લગાવવામાં આવતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક પરિણીતાનું નામ શિતલબેન ચનીયારા હોવાનું અને તેણી પતિ મહેશ સાથે જીપીએસસીની પરિક્ષાની તૈયારી કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ ગત ગુરુવારે શીતલબેન ચનીયારા શાપરના કિસાન ગેઇટ નજીકથી અર્ધબેભાન હાલતમાં મળી આવી હતી. તેણીને પ્રથમ સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ગતરાત્રે તેણીનું મોત નિપજ્યું છે. મૃત્યુ પામનાર શિતલના માવતર બાબરા રહે છે. તેણીના ત્રણ વર્ષ પહેલા રાજકોટના મહેશ ચનીયારા સાથે લગ્ન થયા હતાં. શિતલ અને પતિ મહેશ બંને જીપીએસસીની પરિક્ષાની તૈયારી કરતાં હતાં.
શિતલ દરરોજ બપોર બાદ ઘરેથી માલવીયા ચોક પાસેની લાયબ્રેરીમાં વાંચન માટે જતી હતી. અને સાંજે 6 વાગ્યે પરત આવી જતી હતી. 13મીએ લાયબ્રેરીએ ગયા બાદ પાછી ન આવતાં શોધખોળ શરૂ કરાઇ હતી અને બાદમાં ગૂમ થયાની પોલીસને જાણ કરાઇ હતી. જેમાં શિતલ છેલ્લે ભુતખાના ચોકમાંથી કોઇ રિક્ષામાં બેઠી હતી. તેમાં બીજી બે મહિલા પણ હોવાની વાત તે થોડી ભાનમાં આવી ત્યારે કરી હતી. જો કે શાપરના કિસાન ગેઇટ સુધી કઇ રીતે પહોંચી? બેભાન શા માટે થઇ ગઇ? આ બધા મુદ્દે પોલીસે તપાસ આદરી છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ થતાં શિતલનું મોત એસિડથી થયાનું ખુલતાં તેણીએ એસિડ જાતે પીધુ તો શા માટે? અને કોઇ પીવડાવ્યું તો શા કારણે? તેની તપાસ શાપર પોલીસે શરૂ કરી છે.
બનાવને પગલે કોળી સમાજના લોકો પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે એકઠા થયા હતાં અને દિકરી શિતલ જાતે એસિડ પીવે તેવુ કોઇ કારણ નહિ હોવાનું જણાવી તેનો ફોન અને પર્સ ગાયબ હોઇ લૂંટના ઇરાદે કોઇએ તેને પરાણે એસિડ પાઇ દીધાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં એક તબક્કે લાશ સંભાળવાનો ઇન્કાર પણ કર્યો હતો. જો કે શાપર પોલીસે ઉંડી તપાસની ખાત્રી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.