WatchGujarat. ગત વર્ષે ગુજરાતના બે રાજ્યસભા સાંસદના મૃત્યુ થયા હતા. જેમાં રાજકોટના અભય ભારદ્વાજ અને ભરૂચના અહેમદ પટેલનું મૃત્યુ થયું હતું. ચુંટણીપંચ દ્વારા રાજ્યસભાની બે બેઠકો માટે 1 માર્ચ, 2021 ના રોજ ચુંટણી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ રાજ્યસભા બે બેઠકો માટેની ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે.
કોરોના કાળમાં ગુજરાતના લોકપ્રીય રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ અને અહેમદ પટેલનું મૃત્યુ થયું હતું. રાષ્ટ્રીયનેતા અહેમદ પટેલ કોરોનાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ તેઓને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. એક તબક્કે તેમની રીકવરી સારી થઇ રહી હતી. પરંતુ કોરોના સામેની લડતમાં તેઓનું દેહાંત થયું હતું. રાજકોટના રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજને કોરોના થતા તેઓને સીવીલ હોસ્પિટલ ત્યાર બાદ વધુ સારવાર અર્થે દક્ષિણ ભારતમાં આવેલી જાણીતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેઓ કોરોના સામે જંગ હારી ગયા હતા.
સ્વ. અહેમદ પટેલના પુત્રએ સક્રિય રાજકારણમાં નહિ આવવાની જાહેરાત પોતાના ટ્વિટર હેન્ડલ પરથી જાહેર કરી હતી. હવે તેમની જગ્યાએ કોણ ઉમેદવારી કરશે તેના પર સૌની નજર રહેશે. સ્વ અભય ભારદ્વાજના પરિવારજનોમાંથી કોઇ દાવેદારી કરશે કે પછી કોઇ નવા ઉમેદવાર રાજ્યસભા માટેની દાવેદારી કરશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.
WatchGujarat. ગત વર્ષે ગુજરાતના બે રાજ્યસભા સાંસદના મૃત્યુ થયા હતા. જેમાં રાજકોટના અભય ભારદ્વાજ અને ભરૂચના અહેમદ પટેલનું મૃત્યુ થયું હતું. ચુંટણીપંચ દ્વારા રાજ્યસભાની બે બેઠકો માટે 1 માર્ચ, 2021 ના રોજ ચુંટણી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ રાજ્યસભા બે બેઠકો માટેની ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે.
કોરોના કાળમાં ગુજરાતના લોકપ્રીય રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ અને અહેમદ પટેલનું મૃત્યુ થયું હતું. રાષ્ટ્રીયનેતા અહેમદ પટેલ કોરોનાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ તેઓને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. એક તબક્કે તેમની રીકવરી સારી થઇ રહી હતી. પરંતુ કોરોના સામેની લડતમાં તેઓનું દેહાંત થયું હતું. રાજકોટના રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજને કોરોના થતા તેઓને સીવીલ હોસ્પિટલ ત્યાર બાદ વધુ સારવાર અર્થે દક્ષિણ ભારતમાં આવેલી જાણીતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેઓ કોરોના સામે જંગ હારી ગયા હતા.
સ્વ. અહેમદ પટેલના પુત્રએ સક્રિય રાજકારણમાં નહિ આવવાની જાહેરાત પોતાના ટ્વિટર હેન્ડલ પરથી જાહેર કરી હતી. હવે તેમની જગ્યાએ કોણ ઉમેદવારી કરશે તેના પર સૌની નજર રહેશે. સ્વ અભય ભારદ્વાજના પરિવારજનોમાંથી કોઇ દાવેદારી કરશે કે પછી કોઇ નવા ઉમેદવાર રાજ્યસભા માટેની દાવેદારી કરશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.