સુરતમાં કોરોનાનો કહેર યથાવત, કૂંદકે ને ભૂંસકે વધી રહેલા કોરોના કેસના કારણે આરોગ્ય તંત્રની ચિંતા વધી
વિવિધ સંસ્થાઓ સાથે તંત્રએ બેઠક યોજી, મનપા કમિશ્નર, મેયર અને ધારાસભ્યો હાજર રહ્યા
શહેરમાં આઈસોલેશન સેન્ટર ફરી એક વખત શરૂ કરવા હાંકલ કરાઈ
WatchGujarat. સુરતમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઈ રહ્યો છે. ત્યારે તંત્ર દોડતું થયું છે. સુરતમાં વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મનપા કમિશ્નર, મેયર અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં શહેરમાં આઈસોલેશન સેન્ટર ફરી એક વખત શરૂ કરવા હાંકલ કરાઈ હતી
સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી. અને એક તબક્કે બે હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. બીજી લહેરમાં લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની ખુબ જ જરૂર પડી હતી જેથી એક તબક્કે હોસ્પિટલમાં બેડની પણ અછત સામે આવી હતી. જેથી સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને એનજીઓ આગળ આવી હતી અને અલગ અલગ વિસ્તારમાં કોવીડ કેર સેન્ટર એટલે કે આઈસોલેશન સેન્ટર શરુ કર્યા હતા. જે લોકો માટે ખુબ ફાયદાકારણ સાબિત થયા હતા. આ આઈસોલેશન સેન્ટરમાં લોકોને મેડીકલ સારવારથી લઈને રહેવાની અને જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. જેથી લોકોને પણ ખુબ ફાયદો થયો હતો. સાથે સાથે તંત્રને પણ રાહત થઇ હતી. પરંતુ હવે જયારે સુરતમાં ફરીથી સંક્રમણ વધ્યું છે અને ૨ હજાર જેટલા કેસો ફરી એક વખત સામે આવી રહ્યા છે ત્યારે મનપા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. આજે સુરત મનપા કચેરી ખાતે વિવિધ એનજીઓ, સામાજિક આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મનપા કમિશ્નર, મેયર, ધારાસભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સુરત શહેરમાં ફરી એક વખત આઈસોલેશન સેન્ટર શરુ કરવાની હાંકલ કરવામાં આવી હતી.
મનપા કમિશનરે જણાવ્યું હતું કે સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરમાં આઈસોલેશન સેન્ટર શરુ કરવામાં આવ્યા હતા. આ સેન્ટર થકી ત્યાં રહેવાથી સંક્રમણ પણ ઘટ્યું હતું આ ઉપરાંત લોકોને સારવાર પણ મળી રહેતી હતી. આ વખતે પણ જયારે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સુરતની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે આઈસોલેશન સેન્ટર શરુ કરવા માટે મીટીંગ યોજવામાં આવી હતી. અને તેમાં તમામ એનજીઓ અને આગેવાનોનો સહકાર પણ મળ્યો છે. આઈસોલેશન સેન્ટરમાં એડમીશનથી લઈને ડીસ્ચાર્જ સુધીની વ્યવસ્થિત જાળવણી હશે.
આ ઉપરાંત આગામી ૨૫ દિવસ પણ ખુબ અગત્યના છે. ખાસ કરીને લોકો કામ વગર બહાર ન નીકળે અને બહાર નીકળે તો ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવે. કોઈ પણ રીતે પોતે સંક્રમિત ન થાય તે જરૂરી છે. જો કોઈ વ્યક્તિને લક્ષણ જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લે. લોકો ઓપન એરિયામાં પણ ખુબ જ ધ્યાન રાખે. અને લોકો શોશ્યલ ડીસટન્સનું ખુબ જ પાલન કરે. ઉતરાયણ પર્વ દરમ્યાન પણ લોકો ખુબ જ તકેદારી રાખે તેવી અપીલ પણ મનપા કમિશ્નર દ્વારા કરાઈ છે. સુરતમાં ધન્વતરી રથ અને સંજીવની રથ પણ વધારવામાં આવી રહી છે. અને ટેસ્ટીંગ પણ વધારવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલમાં દવા, ઓક્સીજન સહિતની વસ્તુઓની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.
સુરતમાં કોરોનાનો કહેર યથાવત, કૂંદકે ને ભૂંસકે વધી રહેલા કોરોના કેસના કારણે આરોગ્ય તંત્રની ચિંતા વધી
વિવિધ સંસ્થાઓ સાથે તંત્રએ બેઠક યોજી, મનપા કમિશ્નર, મેયર અને ધારાસભ્યો હાજર રહ્યા
શહેરમાં આઈસોલેશન સેન્ટર ફરી એક વખત શરૂ કરવા હાંકલ કરાઈ
WatchGujarat. સુરતમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઈ રહ્યો છે. ત્યારે તંત્ર દોડતું થયું છે. સુરતમાં વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મનપા કમિશ્નર, મેયર અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં શહેરમાં આઈસોલેશન સેન્ટર ફરી એક વખત શરૂ કરવા હાંકલ કરાઈ હતી
સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી. અને એક તબક્કે બે હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. બીજી લહેરમાં લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની ખુબ જ જરૂર પડી હતી જેથી એક તબક્કે હોસ્પિટલમાં બેડની પણ અછત સામે આવી હતી. જેથી સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને એનજીઓ આગળ આવી હતી અને અલગ અલગ વિસ્તારમાં કોવીડ કેર સેન્ટર એટલે કે આઈસોલેશન સેન્ટર શરુ કર્યા હતા. જે લોકો માટે ખુબ ફાયદાકારણ સાબિત થયા હતા. આ આઈસોલેશન સેન્ટરમાં લોકોને મેડીકલ સારવારથી લઈને રહેવાની અને જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. જેથી લોકોને પણ ખુબ ફાયદો થયો હતો. સાથે સાથે તંત્રને પણ રાહત થઇ હતી. પરંતુ હવે જયારે સુરતમાં ફરીથી સંક્રમણ વધ્યું છે અને ૨ હજાર જેટલા કેસો ફરી એક વખત સામે આવી રહ્યા છે ત્યારે મનપા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. આજે સુરત મનપા કચેરી ખાતે વિવિધ એનજીઓ, સામાજિક આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મનપા કમિશ્નર, મેયર, ધારાસભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સુરત શહેરમાં ફરી એક વખત આઈસોલેશન સેન્ટર શરુ કરવાની હાંકલ કરવામાં આવી હતી.
મનપા કમિશનરે જણાવ્યું હતું કે સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરમાં આઈસોલેશન સેન્ટર શરુ કરવામાં આવ્યા હતા. આ સેન્ટર થકી ત્યાં રહેવાથી સંક્રમણ પણ ઘટ્યું હતું આ ઉપરાંત લોકોને સારવાર પણ મળી રહેતી હતી. આ વખતે પણ જયારે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સુરતની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે આઈસોલેશન સેન્ટર શરુ કરવા માટે મીટીંગ યોજવામાં આવી હતી. અને તેમાં તમામ એનજીઓ અને આગેવાનોનો સહકાર પણ મળ્યો છે. આઈસોલેશન સેન્ટરમાં એડમીશનથી લઈને ડીસ્ચાર્જ સુધીની વ્યવસ્થિત જાળવણી હશે.
આ ઉપરાંત આગામી ૨૫ દિવસ પણ ખુબ અગત્યના છે. ખાસ કરીને લોકો કામ વગર બહાર ન નીકળે અને બહાર નીકળે તો ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવે. કોઈ પણ રીતે પોતે સંક્રમિત ન થાય તે જરૂરી છે. જો કોઈ વ્યક્તિને લક્ષણ જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લે. લોકો ઓપન એરિયામાં પણ ખુબ જ ધ્યાન રાખે. અને લોકો શોશ્યલ ડીસટન્સનું ખુબ જ પાલન કરે. ઉતરાયણ પર્વ દરમ્યાન પણ લોકો ખુબ જ તકેદારી રાખે તેવી અપીલ પણ મનપા કમિશ્નર દ્વારા કરાઈ છે. સુરતમાં ધન્વતરી રથ અને સંજીવની રથ પણ વધારવામાં આવી રહી છે. અને ટેસ્ટીંગ પણ વધારવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલમાં દવા, ઓક્સીજન સહિતની વસ્તુઓની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.