watchgujarat: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ મસ્જિદોના લાઉડ સ્પીકરના મોટા અવાજ સામે વાંધો ઉઠાવ્યો છે. MNS વડા રાજ ઠાકરેએ તેમની એક રેલી દરમિયાન મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની માંગ કરી હતી.
રાજ ઠાકરેએ શિવાજી પાર્કમાં એક રેલીમાં કહ્યું, ‘મસ્જિદોમાં લાઉડસ્પીકર આટલા જોરથી કેમ વગાડવામાં આવે છે? જો આને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેણે કહ્યું, હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરુદ્ધ નથી. મને મારા ધર્મ પર ગર્વ છે.
Raj Thackeray asks Maha govt to remove loudspeakers from mosques, warns of playing 'Hanuman Chalisa' in front of mosques
Read @ANI Story | https://t.co/gQx4IkLP85#Maharashtra #Mosque #HanumanChalisa #RajThackrey pic.twitter.com/wtFAJlBF80
— ANI Digital (@ani_digital) April 3, 2022
NCP ચીફથી નારાજગી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડાએ NSP વડા શરદ પવારની પણ ટીકા કરી હતી અને તેમના પર સમયાંતરે જાતિનો મુદ્દો ઉઠાવવાનો અને સમાજમાં ભાગલા પાડવાનો આરોપ મૂક્યો હતો.
પિતરાઈ ભાઈ પર સાધ્યું નિશાન
રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે પર પણ કટાક્ષ કર્યો, જેમની પાર્ટી શિવસેનાએ 2019 માં મુખ્ય પ્રધાન પદને લઈને ભાજપથી અલગ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહી રહ્યા હતા કે દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે મંચ પર હાજર હતા પરંતુ તેમણે ક્યારેય સીટ શેરિંગ ફોર્મ્યુલાનો ઉલ્લેખ કર્યો ન હતો.
ઉદ્ધવે તેને ત્યારે જ ઉભો કર્યો જ્યારે તેમને સમજાયું કે ભાજપ તેમની મદદ વિના (2019ની ચૂંટણી પછી) સરકાર બનાવી શકશે નહીં. MNS નેતાએ આરોપ લગાવ્યો કે સરકારમાં ત્રણ પક્ષો (શિવસેના, NCP અને કોંગ્રેસ)એ “લોકોના આદેશની અવગણના કરી છે”.