ભારત માત્ર એક ભૌગોલિક એકમ નથી પરંતુ આદર્શો, વિભાવનાઓ, સંસ્કૃતિ અને સંસ્કૃતિના ઉદાર ધોરણોથી ભરેલું રાષ્ટ્ર : વડાપ્રધાન
પૃથ્વીનો વિસ્તાર કે જેના પર આપણે 130 કરોડથી વધુ ભારતીયો રહીએ છીએ જે આપણા આત્માનો, આપણા સપનાનો, આપણી આકાંક્ષાઓનો અભિન્ન ભાગ છે
કેવડિયા રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે એકીકરણના આ મહાયજ્ઞમા સૌ દેશવાસીઓ સંકલ્પબધ્ધ બને
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ યોજાયેલ રાષ્ટ્રીય એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાઠવ્યો પ્રજાજોગ સંદેશ
દેશની એકતા-અખંડિતતા માટે સૌ નાગરિકો પોતાના કર્તવ્યો રાષ્ટ્રહિતમાં નિષ્ઠાપૂર્વક બજાવે એ જ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ
WatchGujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પનોતા પુત્ર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીને ભારતના આઝાદીના આ અમૃત મહોત્સવ દરમિયાન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે એકીકરણના મહાયજ્ઞમાં દેશવાસીઓને સંકલ્પબદ્ધ બનવા આહવાન કર્યુ હતું.
[caption id="attachment_1421344" align="aligncenter" width="1600"] Sardar Patel Birth Anniversary[/caption]
કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ સમારોહમા સંદેશો પાઠવતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારતના ઇતિહાસમાં જ નહીં પરંતુ દેશવાસીઓના હૃદયમાં વસેલું વ્યક્તિત્વ છે. આજે દેશભરમાં તેમના એકતાના સંદેશાને મૂર્તિમંત કરવા માટે આપણે સૌ સહિયારા પ્રયાસો થકી જ સમૃધ્ધ રાષ્ટ્ર બનાવી શકીશુ.
તેમણે ઉમેર્યુ કે, સરદાર સાહેબના સશકત ભારત, સંવેદનશીલ ભારત, સતર્ક ભારત અને વિનમ્ર ભારત નિર્માણના મંત્રને સાકાર કરવા માટે 130 કરોડ દેશવાસીઓ આજે એક-એક સંકલ્પ કરીને, પોતાના કર્તવ્યો નિષ્ઠાપૂર્વક બજાવશુ એ જ સાચી શ્રધ્ધાંજલી હશે. સરદાર સાહેબે દેશહિતને જ પ્રાધાન્ય આપ્યુ હતુ તો એમની ભાવનાને આપણે બળવત્તર બનાવવા સહિયારા પ્રયાસો કરીએ.
PM મોદીએ કહ્યુ કે, સરદાર સાહેબના અખંડ ભારતના સપનાને મૂર્તિમંત કરવા માટે આપણે આજે દેશભરમા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ માટે છેલ્લા સાત વર્ષમા અનેક નવતર આયામો હાથ ધરીને તમામ રાજયોના છેવાડાના ગામ સુધી જનસુખાકારીના લાભો પુરા પાડયા છે. જન ભાગીદારી અને સૌના સાથ થકી અનેક વિટંબણાઓ વચ્ચે પણ આપણે દેશને વૈશ્વિક ઉંચાઈએ પહોચાડયો છે. તાજેતરમા કોરોના વૈશ્વિક મહામારીમા પણ સૌ દેશવાસીઓએ એકજુટ થઇને પોતાનુ યોગદાન આપ્યુ, જેથી આપણે સૌ સુરક્ષિત રહ્યા. આત્મનિર્ભર ભારતના મંત્ર થકી વેકસીન બનાવીને 100 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપીને રસીકરણ ક્ષેત્રે પણ દેશે વિશ્વમા નામના મેળવી છે.
રાષ્ટ્રનાયક સરદાર પટેલ એ માત્ર ઈતિહાસમાં જ નહીં પરંતુ દરેક દેશવાસીના હૃદયમાં છે. ભારત માત્ર એક ભૌગોલિક એકમ નથી પરંતુ આદર્શો, વિભાવનાઓ, સંસ્કૃતિ અને સંસ્કૃતિના ઉદાર ધોરણોથી ભરેલું રાષ્ટ્ર છે. પૃથ્વીનો વિસ્તાર કે જેના પર આપણે 130 કરોડથી વધુ ભારતીયો રહીએ છીએ જે આપણા આત્માનો, આપણા સપનાનો, આપણી આકાંક્ષાઓનો અભિન્ન ભાગ છે.
તેમણે ઉમેર્યુ કે, સરદાર પટેલ હંમેશા ઇચ્છતા હતા કે, ભારત મજબૂત, સર્વસમાવેશક, સંવેદનશીલ, સતર્ક, નમ્ર અને વિકસિત બને. તેમણે હંમેશા દેશના હિતને પ્રથમ સ્થાન આપ્યું છે. આજે તેમની પ્રેરણાથી, ભારત બાહ્ય અને આંતરિક તમામ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ બની રહ્યું છે. સમૃધ્ધ ભારતના નિર્માણ માટે દરેક વ્યક્તિએ કરેલા પ્રયાસો આઝાદીના આ અમૃત કાળમાં તે સમય કરતાં વધુ સુસંગત બનશે.
સરદાર સાહેબ આપણા દેશને એક શરીર તરીકે, એક જીવંત અસ્તિત્વ તરીકે જોતા હતા. તેથી તેમના 'એક ભારત'નો અર્થ એ પણ હતો કે દરેક વર્ગ, દરેક સંપ્રદાયને સમાન તક, સમાન સ્વપ્ન જોવાનો અધિકાર મળે.
દેશને વધુ સામર્થ્યવાન બનાવવા માટે પીએમ ગતિશક્તિ નેશનલ પ્લેટફોર્મ અંતર્ગત દેશને એક મંચ પર લાવવા માટેની કામગીરી શરૂ થઈ ચૂકી છે. અહીં ગતિ શક્તિની સાથે સરકારે સામાજિક શક્તિને પણ સાથે જોડવાનો સંકલ્પ હાથ ધર્યો છે. તેમણે દેશના તમામ નાગરિકોને કોઈપણ કામ કરો કે વિચાર કરો ત્યારે તેને વ્યાપક દ્રષ્ટિએ રાષ્ટ્ર હિતના લક્ષ્યાંકો પાર પાડીને તેને દેશને આત્મનિર્ભર બનાવવા તરફ લઈ જવાનો PM મોદીએ અનુરોધ કર્યો હતો.
ભારત માત્ર એક ભૌગોલિક એકમ નથી પરંતુ આદર્શો, વિભાવનાઓ, સંસ્કૃતિ અને સંસ્કૃતિના ઉદાર ધોરણોથી ભરેલું રાષ્ટ્ર : વડાપ્રધાન
પૃથ્વીનો વિસ્તાર કે જેના પર આપણે 130 કરોડથી વધુ ભારતીયો રહીએ છીએ જે આપણા આત્માનો, આપણા સપનાનો, આપણી આકાંક્ષાઓનો અભિન્ન ભાગ છે
કેવડિયા રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે એકીકરણના આ મહાયજ્ઞમા સૌ દેશવાસીઓ સંકલ્પબધ્ધ બને
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ યોજાયેલ રાષ્ટ્રીય એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાઠવ્યો પ્રજાજોગ સંદેશ
દેશની એકતા-અખંડિતતા માટે સૌ નાગરિકો પોતાના કર્તવ્યો રાષ્ટ્રહિતમાં નિષ્ઠાપૂર્વક બજાવે એ જ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ
WatchGujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પનોતા પુત્ર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીને ભારતના આઝાદીના આ અમૃત મહોત્સવ દરમિયાન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે એકીકરણના મહાયજ્ઞમાં દેશવાસીઓને સંકલ્પબદ્ધ બનવા આહવાન કર્યુ હતું.
કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ સમારોહમા સંદેશો પાઠવતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારતના ઇતિહાસમાં જ નહીં પરંતુ દેશવાસીઓના હૃદયમાં વસેલું વ્યક્તિત્વ છે. આજે દેશભરમાં તેમના એકતાના સંદેશાને મૂર્તિમંત કરવા માટે આપણે સૌ સહિયારા પ્રયાસો થકી જ સમૃધ્ધ રાષ્ટ્ર બનાવી શકીશુ.
તેમણે ઉમેર્યુ કે, સરદાર સાહેબના સશકત ભારત, સંવેદનશીલ ભારત, સતર્ક ભારત અને વિનમ્ર ભારત નિર્માણના મંત્રને સાકાર કરવા માટે 130 કરોડ દેશવાસીઓ આજે એક-એક સંકલ્પ કરીને, પોતાના કર્તવ્યો નિષ્ઠાપૂર્વક બજાવશુ એ જ સાચી શ્રધ્ધાંજલી હશે. સરદાર સાહેબે દેશહિતને જ પ્રાધાન્ય આપ્યુ હતુ તો એમની ભાવનાને આપણે બળવત્તર બનાવવા સહિયારા પ્રયાસો કરીએ.
PM મોદીએ કહ્યુ કે, સરદાર સાહેબના અખંડ ભારતના સપનાને મૂર્તિમંત કરવા માટે આપણે આજે દેશભરમા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ માટે છેલ્લા સાત વર્ષમા અનેક નવતર આયામો હાથ ધરીને તમામ રાજયોના છેવાડાના ગામ સુધી જનસુખાકારીના લાભો પુરા પાડયા છે. જન ભાગીદારી અને સૌના સાથ થકી અનેક વિટંબણાઓ વચ્ચે પણ આપણે દેશને વૈશ્વિક ઉંચાઈએ પહોચાડયો છે. તાજેતરમા કોરોના વૈશ્વિક મહામારીમા પણ સૌ દેશવાસીઓએ એકજુટ થઇને પોતાનુ યોગદાન આપ્યુ, જેથી આપણે સૌ સુરક્ષિત રહ્યા. આત્મનિર્ભર ભારતના મંત્ર થકી વેકસીન બનાવીને 100 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપીને રસીકરણ ક્ષેત્રે પણ દેશે વિશ્વમા નામના મેળવી છે.
રાષ્ટ્રનાયક સરદાર પટેલ એ માત્ર ઈતિહાસમાં જ નહીં પરંતુ દરેક દેશવાસીના હૃદયમાં છે. ભારત માત્ર એક ભૌગોલિક એકમ નથી પરંતુ આદર્શો, વિભાવનાઓ, સંસ્કૃતિ અને સંસ્કૃતિના ઉદાર ધોરણોથી ભરેલું રાષ્ટ્ર છે. પૃથ્વીનો વિસ્તાર કે જેના પર આપણે 130 કરોડથી વધુ ભારતીયો રહીએ છીએ જે આપણા આત્માનો, આપણા સપનાનો, આપણી આકાંક્ષાઓનો અભિન્ન ભાગ છે.
તેમણે ઉમેર્યુ કે, સરદાર પટેલ હંમેશા ઇચ્છતા હતા કે, ભારત મજબૂત, સર્વસમાવેશક, સંવેદનશીલ, સતર્ક, નમ્ર અને વિકસિત બને. તેમણે હંમેશા દેશના હિતને પ્રથમ સ્થાન આપ્યું છે. આજે તેમની પ્રેરણાથી, ભારત બાહ્ય અને આંતરિક તમામ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ બની રહ્યું છે. સમૃધ્ધ ભારતના નિર્માણ માટે દરેક વ્યક્તિએ કરેલા પ્રયાસો આઝાદીના આ અમૃત કાળમાં તે સમય કરતાં વધુ સુસંગત બનશે.
સરદાર સાહેબ આપણા દેશને એક શરીર તરીકે, એક જીવંત અસ્તિત્વ તરીકે જોતા હતા. તેથી તેમના 'એક ભારત'નો અર્થ એ પણ હતો કે દરેક વર્ગ, દરેક સંપ્રદાયને સમાન તક, સમાન સ્વપ્ન જોવાનો અધિકાર મળે.
દેશને વધુ સામર્થ્યવાન બનાવવા માટે પીએમ ગતિશક્તિ નેશનલ પ્લેટફોર્મ અંતર્ગત દેશને એક મંચ પર લાવવા માટેની કામગીરી શરૂ થઈ ચૂકી છે. અહીં ગતિ શક્તિની સાથે સરકારે સામાજિક શક્તિને પણ સાથે જોડવાનો સંકલ્પ હાથ ધર્યો છે. તેમણે દેશના તમામ નાગરિકોને કોઈપણ કામ કરો કે વિચાર કરો ત્યારે તેને વ્યાપક દ્રષ્ટિએ રાષ્ટ્ર હિતના લક્ષ્યાંકો પાર પાડીને તેને દેશને આત્મનિર્ભર બનાવવા તરફ લઈ જવાનો PM મોદીએ અનુરોધ કર્યો હતો.