પથ્થરમારા અને લોખંડના સપાટા વડે હુમલામાં 3 મહિલાને ઇજામાં બે મહિલા સહિત 4 આરોપી સામે અલગથી ફરિયાદ
સરઘસ નીકળતા બે આરોપીઓએ લોખંડના સપાટા વડે જ્યારે 2 મહિલાઓએ ધાબા પરથી પથ્થરો માર્યા હતા
Watchgujarat.જંબુસર તાલુકાના કાવી ગામે સરપંચ અને ઉપસરપંચે સત્તાવાર ચાર્જ સંભાળ્યા બાદ નીકળેલા વિજય સરઘસ અને પથ્થરમારામાં પોલીસે જાહેરનામા ભંગ અને પથરાવની બે અલગ અલગ ફરિયાદ નોંધી 6 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.
મંગળવારે જંબુસર તાલુકાના કાવી ગામે પણ ઉપસરપંચની નિમણુંકની પ્રક્રિયા હાથ ધર્યા બાદ સરપંચ મીનાજબેન મુન્શી અને ડે. સરપંચે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ સમર્થકો અને ટેકેદારો દ્વારા ગામમાં વિજયી સરઘસ કાઢવામાં આવ્યું હતું.
વિજય સરઘસમાં આખું ગામ ઉમટી પડતા કોરોનાની ગાઈડલાઈનના પણ ધજાગરા ઉડયા હતા. સરઘસમાં શાંતિમાં પલિતો ત્યારે ચીપાયો હતો જ્યારે તેમાં પથ્થર મારો કરાયો હતો. જેમાં 3 મહિલાને ઇજા થઈ હતી.
ઘટનામાં કાવી પોલીસે પરવાનગી વગર વિજય સરઘસ યોજી, ભીડ ભેગી કરવા અને કોવિડ ગાઈડલાઈનના ધજાગરા બદલ મહિલા સરપંચના પતિ સાજીદ યાકુબ મુન્શી, ડે. સરપંચના પતિ વિક્રમસિંહ સિંધા અને તેમની પેનલના સમર્થકો સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે પથ્થરમારા અંગે અલગથી ફરિયાદ નોંધી ઇકબાલ શેખ,યુસુફ, સુકીયાબેન અને મહેરૂનબેન સામે ગુનો દાખલ કર્યો છે.
પથ્થરમારા અને લોખંડના સપાટા વડે હુમલામાં 3 મહિલાને ઇજામાં બે મહિલા સહિત 4 આરોપી સામે અલગથી ફરિયાદ
સરઘસ નીકળતા બે આરોપીઓએ લોખંડના સપાટા વડે જ્યારે 2 મહિલાઓએ ધાબા પરથી પથ્થરો માર્યા હતા
Watchgujarat.જંબુસર તાલુકાના કાવી ગામે સરપંચ અને ઉપસરપંચે સત્તાવાર ચાર્જ સંભાળ્યા બાદ નીકળેલા વિજય સરઘસ અને પથ્થરમારામાં પોલીસે જાહેરનામા ભંગ અને પથરાવની બે અલગ અલગ ફરિયાદ નોંધી 6 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.
મંગળવારે જંબુસર તાલુકાના કાવી ગામે પણ ઉપસરપંચની નિમણુંકની પ્રક્રિયા હાથ ધર્યા બાદ સરપંચ મીનાજબેન મુન્શી અને ડે. સરપંચે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ સમર્થકો અને ટેકેદારો દ્વારા ગામમાં વિજયી સરઘસ કાઢવામાં આવ્યું હતું.
વિજય સરઘસમાં આખું ગામ ઉમટી પડતા કોરોનાની ગાઈડલાઈનના પણ ધજાગરા ઉડયા હતા. સરઘસમાં શાંતિમાં પલિતો ત્યારે ચીપાયો હતો જ્યારે તેમાં પથ્થર મારો કરાયો હતો. જેમાં 3 મહિલાને ઇજા થઈ હતી.
ઘટનામાં કાવી પોલીસે પરવાનગી વગર વિજય સરઘસ યોજી, ભીડ ભેગી કરવા અને કોવિડ ગાઈડલાઈનના ધજાગરા બદલ મહિલા સરપંચના પતિ સાજીદ યાકુબ મુન્શી, ડે. સરપંચના પતિ વિક્રમસિંહ સિંધા અને તેમની પેનલના સમર્થકો સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે પથ્થરમારા અંગે અલગથી ફરિયાદ નોંધી ઇકબાલ શેખ,યુસુફ, સુકીયાબેન અને મહેરૂનબેન સામે ગુનો દાખલ કર્યો છે.