Mehulkumar Vyas. સત્તાધારીઓ સામે સવાલ ઉઠાવવાનો તો કોઈ સવાલ જ હવે રહ્યો નથી. કારણકે, સત્તાધીશ નફ્ફટાઈથી કહી દે કે ‘તું તારું કામ કરને...’. એમને એવું કહેવાનો પુરો હક્ક છે કારણકે, લોકોએ ખોબલે ખોબલાં વોટ આપીને એમને વિજયી બનાવ્યા છે. (ખોબલે ખોબલાં વોટ કેવી રીતે મળ્યાં? એ તો સાહેબ જાણે)
મૂળ વાત પર આવતાં પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે, સત્તાધારીઓને ખોટું લાગે એ માટે હું આ લેખ લખી રહ્યો નથી. (સોરી, સત્તાધારીઓને ખોટું લાગે છે એવો મને હજી ભ્રમ છે. સાહેબધારી સત્તાધારીઓ ભગવો ઝંડો પકડીને જનસેવાને નામે સ્વ-વિકાસમાં મસ્ત છે. આ સંજોગોમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના રાજકીય મહાનુભાવોથી માંડી નાનામાં નાના અગ્રણીને કોઈ વાતનું ખોટું લાગતું હોય એવું જોવા મળતું નથી. બાકી, જનસેવા માટે જાહેર જીવનમાં આવેલાં રાજકારણીને ખોટું લાગતું હોય છે અને એ કાર્યો થકી પોતાની જાત સાબિત કરતાં હોય છે. આવી કોઈ અપેક્ષા હાલના સંજોગોમાં દેખાતી નથી. છતાં કહી દેવું સારું કે ખોટું લગાડતાં નહીં અને લગાડશો તો તમને સાહેબના સમ...) માતા – પિતા, ભગવાન કરતાં સાહેબને વધુ મહત્વના ગણતાં લોકો માટે ‘સાહેબના સમ’ અકસીર છે એવી માન્યતા સાથે સમ આપ્યાં છે.
હાં તો, મૂળ વાત એવી છે કે, કોરોના કાળ પહેલાં હું દિવસમાં એકાદ બોસ પંક્તિ લખી શકતો હતો. પરંતુ, આ કોરોનાએ મારું મગજ બંધ કરી દીધું હોય એમ લાગે છે. કંઈ લખવાનો મૂડ જ નથી આવતો... ભલુ થજો નાયબ મુખ્યમંત્રી (વધુ એકવાર સોરી) આજરોજ આરોગ્ય મંત્રી તરીકે અને વડોદરા જિલ્લાના પ્રભારી તરીકે વડોદરા પધારેલાં શ્રી નિતીનભાઈ પટેલનું ભલું થાય. એમણે પત્રકારો સાથેની વાતચીતમાં જે વાત કરી... એણે મારી લેખીનીને (ટાઈપીની – ટાઈપ કરતાં આવડ્યું છે એટલે) લખવા માટે પ્રેરણાં પૂરી પાડી.
[caption id="attachment_827881" align="aligncenter" width="1366"] (શ્રી નિતીનભાઈ પટેલનું વક્તવ્ય સાંભળવું હોય તો આ તસવીર પર ક્લિક કરો. અથવા વોચ ગુજરાતના ફેસબુક પેજ પર જઈ નિહાળી શકો છો. માનનિય શ્રી નિતીનભાઈ 39 મિનીટ અને 45 સેકન્ડથી મને પ્રેરણાં પહોંચાડનારી વાત કરતાં જોવા મળશે. ) https://www.facebook.com/watchgujaratnews/videos/456486642337374/[/caption]
તો સૌથી પહેલાં, શ્રી નાયબ મુખ્યમંત્રી નહીં, માત્ર આરોગ્ય મંત્રી અને વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે વડોદરા પધારેલાં નિતીનભાઈ પટેલ કરેલી વાત. સ્મશાનગૃહોમાં કોવિડ ગાઈડલાઈન મુજબ રોજ 10થી વધુ મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરાય છે. અને ડેથ ઓડિટ પ્રમાણે કોરોના મૃત્યુ આંક 1 – 2 દર્શાવાય છે. (આ પ્રશ્ને ઘણાં ભાજપ વિરોધી – સરકાર વિરોધી લોકો અને કોંગ્રેસીઓ ખોટો હોબાળો મચાવતાં હોય છે. શ્રી નિતીનભાઈના મતે કોંગ્રેસ પાસે બીજું કોઈ કામ જ નથી.) હાં, તો કોરોના મૃત્યુની વિસંગતતા અંગેના પ્રશ્નના ઉત્તરમાં શ્રી નિતીનભાઈ પટેલે પોતાના તેજસ્વી તેવરમાં ઉત્તર આપ્યો હતો.
શ્રી પટેલે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, કોરોનાને કારણે કયા વ્યક્તિનું મૃત્યુ થયું? એનો નિર્ણય જે કોવિડ હોસ્પિટલમાં પેશન્ટનું મૃત્યુ થયું હોય, ત્યાં નિષ્ણાંત ડોક્ટરનોની ઓડિટ કમિટી મૃત્યુનું કારણ નક્કી કરતી હોય છે. આ પ્રશ્ન આજનો નથી કોરોના શરૂ થયો ત્યારથી છે. કોરોના શરૂ થયો ત્યારથી.. આખા દેશ માટે છે. પ્રશ્ન એ રીતનો છે કે, સમજી લો કે, કોઈ વ્યક્તિને ગંભીર પ્રકારની કેન્સરની બિમારી છે, 95 ટકા કેન્સરગ્રસ્ત શરીર થઈ ગયું છે. કમનસીબે યોગાનુંયોગ એ વ્યક્તિને કોરોના થાય છે. તો કોરોના થવાના કારણે એ કેન્સરગ્રસ્ત 95 વ્યક્તિને કોરોના હોસ્પિટલમાં દાખલ કરાય છે, સારવાર ચાલુ કરવામાં આવે છે કેન્સરની સારવાર ચાલુ રાખવામાં આવે છે અને કોરોનાની સારવાર પણ ચાલુ રાખવામાં આવે છે. આવી જ રીતે સમજી લો કે કિડની ફેઈલ છે. જો કિડની ફેઈલ હોય અને કોરોના થાય. તો કિડની હોસ્પિટલમાં પણ અમદાવાદમાં કોરોના સાથે કિડનીની સારવાર આપવાની વ્યવસ્થા કરાઈ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, હવે સમજી લો કે, બે કિડની ફેઈલ દર્દી કોરોનાની હોસ્પિટલમાં મૃત્યુ પામે તો ડોક્ટરોની ઓડિટ કમિટી નક્કી કરે છે કે ફક્ત કોરોનાને કારણે થયું કે, કિડની ફેઈલના કારણે થયું કે કેન્સરના કારણે થયું. અન્ય ગંભીર પ્રકારના રોગોથી પિડીતા વ્યક્તિઓ હોસ્પિટલમાં મૃત્યુ થાય તો કોરોના ગાઈડલાઈન એવી છે કે, કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય તો એની ડેડબોડીને પ્લાસ્ટિકમાં ઢાંકી નક્કી કરેલી પદ્ધતિથી એની અંતિમ ક્રિયા કરવાની હોય છે. વ્યક્તિ ભલે કિડની કે કેન્સરથી મૃત્યુ પામ્યા પરંતુ કોરોનાગ્રસ્ત હતાં એટલે એમને અંતિમવિધી કોવિડ ગાઈડલાઈન પ્રમાણે કરાય છે. ICMRની ગાઈડલાઈન પ્રમાણે કરાય છે.
શ્રી નિતીનભાઈ પટેલની વાત પરથી મને એટલું સમજાયું કે, જો 95 ટકા કેન્સરગ્રસ્ત દર્દીને કોરોના થાય અને તેનું મૃત્યુ થાય ત્યારે કોરોના ગાઈડલાઈન પ્રમાણે તેની અંતિમક્રિયા કરવામાં આવે. પરંતુ, નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ ડેથ ઓડિટ કરીને નક્કી કરે કે એનું મૃત્યુ કેન્સરના કારણે થયું છે માટે કોરોના મૃત્યુ આંકમાં આનો ઉમેરો ના કરાય. જો આવું જ હોય તો... કેન્દ્ર સરકારે જોરદાર યુક્તિ લગાડી છે કોરોના મૃત્યુ આંક ઓછો દર્શાવવામાં એવું કહી શકાય. વાહ ક્યા આઈડિયા હૈ...
શ્રી નિતીનભાઈ પટેલની વાત પરથી મને વિચાર આવ્યો કે, કેન્દ્ર સરકાર આ આઈડિયાથી માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ આંક પણ ઘટાડી શકે છે. સમજી લો કે, કોઈ વ્યક્તિનું હૃદય નબળું છે. તેનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય તો ડેથ ઓડિટ કરવાનું. નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ ડેથ ઓડિટ કરીને જાહેર કરે કે ભલે અકસ્માત સર્જાયો પરંતુ અકસ્માત સર્જાતા પહેલાં, અકસ્માતની સ્થિતિ જોઈને એનું હૃદય બંધ પડી ગયું હતું. માટે તેનું મોત અકસ્માતમાં ના ગણી શકાય. ચાલે જોરદાર ચાલે... વિશ્વભરમાં આપણી છબી સુધરે કે ભારતમાં માર્ગ અકસ્માતમાં ખૂબ ઓછા મૃત્યુ થાય છે.
પૂર, આગ જેવી તમામ આકસ્મિક આપદાઓમાં મૃત્યુનો આંકડાને ડેથ ઓડિટ કરીને જ જાહેર કરવો જોઈએ. મૃત્યુનો સાચો આંકડો બહાર લાવવા માટે સાચું કારણ પણ સામે હોવું જોઈએ અને સરકારી નિર્દેશોનું પાલન કરવાને બદલે નિષ્ઠાપૂર્વક કામ કરતાં નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા કરાયેલું ડેથ ઓડિટ ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ કરે એટલે સત્યએ કાદવમાંથી પણ બહાર આવવું જ પડે.
આમ તો થોડું વધારે પડતું લાગી શકે... પણ હત્યાના ગુનાઓમાં પણ શક્ય હોય તો ડેથ ઓડિટ કરાવવું જોઈએ... મારો ઈરાદો તો એટલો જ છે કે, ગુનાખોરીનું પ્રમાણ ઓછું બતાવીએ એટલું સારું... બીજા રાજ્યોની વાત જવા દઉં, પણ ગુજરાતની ચિંતા જરૂર છે. ગુજરાતમાં ડેથ ઓડિટથી ગુનાખોરીનું પ્રમાણ ઓછું બતાવી શકીએ તો પેલું સ્હેજ ખોંખારીને કહી શકાય... કુછ વક્ત બિતાઈએ ગુજરાત મેં...
એકંદરે... કોરોના કાળમાં ચૂંટણીની રેલીઓનું તેમજ વડોદરાના એક માત્ર શિવભક્ત હોવાનો જાતે જ ગર્વ લેતાં મંત્રી શ્રી યોગેશભાઈ પટેલની ‘શિવજી કી સવારી’નું રિપોર્ટિંગ કરવા છતાં સ્વસ્થ રહેલાં અને સારી રીતે ધબકતાં મારા હૃદયપૂર્વક શ્રી નિતીનભાઈ પટેલનો આભાર માનતાં અત્રે વિરમું છું.
ભારતમાતા કી જય... વંદેમાતરમ્...
Mehulkumar Vyas. સત્તાધારીઓ સામે સવાલ ઉઠાવવાનો તો કોઈ સવાલ જ હવે રહ્યો નથી. કારણકે, સત્તાધીશ નફ્ફટાઈથી કહી દે કે ‘તું તારું કામ કરને...’. એમને એવું કહેવાનો પુરો હક્ક છે કારણકે, લોકોએ ખોબલે ખોબલાં વોટ આપીને એમને વિજયી બનાવ્યા છે. (ખોબલે ખોબલાં વોટ કેવી રીતે મળ્યાં? એ તો સાહેબ જાણે)
મૂળ વાત પર આવતાં પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે, સત્તાધારીઓને ખોટું લાગે એ માટે હું આ લેખ લખી રહ્યો નથી. (સોરી, સત્તાધારીઓને ખોટું લાગે છે એવો મને હજી ભ્રમ છે. સાહેબધારી સત્તાધારીઓ ભગવો ઝંડો પકડીને જનસેવાને નામે સ્વ-વિકાસમાં મસ્ત છે. આ સંજોગોમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના રાજકીય મહાનુભાવોથી માંડી નાનામાં નાના અગ્રણીને કોઈ વાતનું ખોટું લાગતું હોય એવું જોવા મળતું નથી. બાકી, જનસેવા માટે જાહેર જીવનમાં આવેલાં રાજકારણીને ખોટું લાગતું હોય છે અને એ કાર્યો થકી પોતાની જાત સાબિત કરતાં હોય છે. આવી કોઈ અપેક્ષા હાલના સંજોગોમાં દેખાતી નથી. છતાં કહી દેવું સારું કે ખોટું લગાડતાં નહીં અને લગાડશો તો તમને સાહેબના સમ...) માતા – પિતા, ભગવાન કરતાં સાહેબને વધુ મહત્વના ગણતાં લોકો માટે ‘સાહેબના સમ’ અકસીર છે એવી માન્યતા સાથે સમ આપ્યાં છે.
હાં તો, મૂળ વાત એવી છે કે, કોરોના કાળ પહેલાં હું દિવસમાં એકાદ બોસ પંક્તિ લખી શકતો હતો. પરંતુ, આ કોરોનાએ મારું મગજ બંધ કરી દીધું હોય એમ લાગે છે. કંઈ લખવાનો મૂડ જ નથી આવતો... ભલુ થજો નાયબ મુખ્યમંત્રી (વધુ એકવાર સોરી) આજરોજ આરોગ્ય મંત્રી તરીકે અને વડોદરા જિલ્લાના પ્રભારી તરીકે વડોદરા પધારેલાં શ્રી નિતીનભાઈ પટેલનું ભલું થાય. એમણે પત્રકારો સાથેની વાતચીતમાં જે વાત કરી... એણે મારી લેખીનીને (ટાઈપીની – ટાઈપ કરતાં આવડ્યું છે એટલે) લખવા માટે પ્રેરણાં પૂરી પાડી.
[caption id="attachment_827881" align="aligncenter" width="1366"](શ્રી નિતીનભાઈ પટેલનું વક્તવ્ય સાંભળવું હોય તો આ તસવીર પર ક્લિક કરો. અથવા વોચ ગુજરાતના ફેસબુક પેજ પર જઈ નિહાળી શકો છો. માનનિય શ્રી નિતીનભાઈ 39 મિનીટ અને 45 સેકન્ડથી મને પ્રેરણાં પહોંચાડનારી વાત કરતાં જોવા મળશે. ) https://www.facebook.com/watchgujaratnews/videos/456486642337374/[/caption]
તો સૌથી પહેલાં, શ્રી નાયબ મુખ્યમંત્રી નહીં, માત્ર આરોગ્ય મંત્રી અને વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે વડોદરા પધારેલાં નિતીનભાઈ પટેલ કરેલી વાત. સ્મશાનગૃહોમાં કોવિડ ગાઈડલાઈન મુજબ રોજ 10થી વધુ મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરાય છે. અને ડેથ ઓડિટ પ્રમાણે કોરોના મૃત્યુ આંક 1 – 2 દર્શાવાય છે. (આ પ્રશ્ને ઘણાં ભાજપ વિરોધી – સરકાર વિરોધી લોકો અને કોંગ્રેસીઓ ખોટો હોબાળો મચાવતાં હોય છે. શ્રી નિતીનભાઈના મતે કોંગ્રેસ પાસે બીજું કોઈ કામ જ નથી.) હાં, તો કોરોના મૃત્યુની વિસંગતતા અંગેના પ્રશ્નના ઉત્તરમાં શ્રી નિતીનભાઈ પટેલે પોતાના તેજસ્વી તેવરમાં ઉત્તર આપ્યો હતો.
શ્રી પટેલે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, કોરોનાને કારણે કયા વ્યક્તિનું મૃત્યુ થયું? એનો નિર્ણય જે કોવિડ હોસ્પિટલમાં પેશન્ટનું મૃત્યુ થયું હોય, ત્યાં નિષ્ણાંત ડોક્ટરનોની ઓડિટ કમિટી મૃત્યુનું કારણ નક્કી કરતી હોય છે. આ પ્રશ્ન આજનો નથી કોરોના શરૂ થયો ત્યારથી છે. કોરોના શરૂ થયો ત્યારથી.. આખા દેશ માટે છે. પ્રશ્ન એ રીતનો છે કે, સમજી લો કે, કોઈ વ્યક્તિને ગંભીર પ્રકારની કેન્સરની બિમારી છે, 95 ટકા કેન્સરગ્રસ્ત શરીર થઈ ગયું છે. કમનસીબે યોગાનુંયોગ એ વ્યક્તિને કોરોના થાય છે. તો કોરોના થવાના કારણે એ કેન્સરગ્રસ્ત 95 વ્યક્તિને કોરોના હોસ્પિટલમાં દાખલ કરાય છે, સારવાર ચાલુ કરવામાં આવે છે કેન્સરની સારવાર ચાલુ રાખવામાં આવે છે અને કોરોનાની સારવાર પણ ચાલુ રાખવામાં આવે છે. આવી જ રીતે સમજી લો કે કિડની ફેઈલ છે. જો કિડની ફેઈલ હોય અને કોરોના થાય. તો કિડની હોસ્પિટલમાં પણ અમદાવાદમાં કોરોના સાથે કિડનીની સારવાર આપવાની વ્યવસ્થા કરાઈ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, હવે સમજી લો કે, બે કિડની ફેઈલ દર્દી કોરોનાની હોસ્પિટલમાં મૃત્યુ પામે તો ડોક્ટરોની ઓડિટ કમિટી નક્કી કરે છે કે ફક્ત કોરોનાને કારણે થયું કે, કિડની ફેઈલના કારણે થયું કે કેન્સરના કારણે થયું. અન્ય ગંભીર પ્રકારના રોગોથી પિડીતા વ્યક્તિઓ હોસ્પિટલમાં મૃત્યુ થાય તો કોરોના ગાઈડલાઈન એવી છે કે, કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય તો એની ડેડબોડીને પ્લાસ્ટિકમાં ઢાંકી નક્કી કરેલી પદ્ધતિથી એની અંતિમ ક્રિયા કરવાની હોય છે. વ્યક્તિ ભલે કિડની કે કેન્સરથી મૃત્યુ પામ્યા પરંતુ કોરોનાગ્રસ્ત હતાં એટલે એમને અંતિમવિધી કોવિડ ગાઈડલાઈન પ્રમાણે કરાય છે. ICMRની ગાઈડલાઈન પ્રમાણે કરાય છે.
શ્રી નિતીનભાઈ પટેલની વાત પરથી મને એટલું સમજાયું કે, જો 95 ટકા કેન્સરગ્રસ્ત દર્દીને કોરોના થાય અને તેનું મૃત્યુ થાય ત્યારે કોરોના ગાઈડલાઈન પ્રમાણે તેની અંતિમક્રિયા કરવામાં આવે. પરંતુ, નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ ડેથ ઓડિટ કરીને નક્કી કરે કે એનું મૃત્યુ કેન્સરના કારણે થયું છે માટે કોરોના મૃત્યુ આંકમાં આનો ઉમેરો ના કરાય. જો આવું જ હોય તો... કેન્દ્ર સરકારે જોરદાર યુક્તિ લગાડી છે કોરોના મૃત્યુ આંક ઓછો દર્શાવવામાં એવું કહી શકાય. વાહ ક્યા આઈડિયા હૈ...
શ્રી નિતીનભાઈ પટેલની વાત પરથી મને વિચાર આવ્યો કે, કેન્દ્ર સરકાર આ આઈડિયાથી માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ આંક પણ ઘટાડી શકે છે. સમજી લો કે, કોઈ વ્યક્તિનું હૃદય નબળું છે. તેનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય તો ડેથ ઓડિટ કરવાનું. નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ ડેથ ઓડિટ કરીને જાહેર કરે કે ભલે અકસ્માત સર્જાયો પરંતુ અકસ્માત સર્જાતા પહેલાં, અકસ્માતની સ્થિતિ જોઈને એનું હૃદય બંધ પડી ગયું હતું. માટે તેનું મોત અકસ્માતમાં ના ગણી શકાય. ચાલે જોરદાર ચાલે... વિશ્વભરમાં આપણી છબી સુધરે કે ભારતમાં માર્ગ અકસ્માતમાં ખૂબ ઓછા મૃત્યુ થાય છે.
પૂર, આગ જેવી તમામ આકસ્મિક આપદાઓમાં મૃત્યુનો આંકડાને ડેથ ઓડિટ કરીને જ જાહેર કરવો જોઈએ. મૃત્યુનો સાચો આંકડો બહાર લાવવા માટે સાચું કારણ પણ સામે હોવું જોઈએ અને સરકારી નિર્દેશોનું પાલન કરવાને બદલે નિષ્ઠાપૂર્વક કામ કરતાં નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા કરાયેલું ડેથ ઓડિટ ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ કરે એટલે સત્યએ કાદવમાંથી પણ બહાર આવવું જ પડે.
આમ તો થોડું વધારે પડતું લાગી શકે... પણ હત્યાના ગુનાઓમાં પણ શક્ય હોય તો ડેથ ઓડિટ કરાવવું જોઈએ... મારો ઈરાદો તો એટલો જ છે કે, ગુનાખોરીનું પ્રમાણ ઓછું બતાવીએ એટલું સારું... બીજા રાજ્યોની વાત જવા દઉં, પણ ગુજરાતની ચિંતા જરૂર છે. ગુજરાતમાં ડેથ ઓડિટથી ગુનાખોરીનું પ્રમાણ ઓછું બતાવી શકીએ તો પેલું સ્હેજ ખોંખારીને કહી શકાય... કુછ વક્ત બિતાઈએ ગુજરાત મેં...
એકંદરે... કોરોના કાળમાં ચૂંટણીની રેલીઓનું તેમજ વડોદરાના એક માત્ર શિવભક્ત હોવાનો જાતે જ ગર્વ લેતાં મંત્રી શ્રી યોગેશભાઈ પટેલની ‘શિવજી કી સવારી’નું રિપોર્ટિંગ કરવા છતાં સ્વસ્થ રહેલાં અને સારી રીતે ધબકતાં મારા હૃદયપૂર્વક શ્રી નિતીનભાઈ પટેલનો આભાર માનતાં અત્રે વિરમું છું.