WatchGujarat. મૃત્યુ એ એક સનાતન સત્ય છે પરંતુ એ સત્ય સ્વીકારવા માટેની દરેક લોકો પાસે સહન શક્તિ હોતી નથી. ઘણા સમયથી જે મૃત્યુના આકડાઓ આવે છે અને ઘણી વખત વ્યક્તિ પોતાના અંગત લોકોના મૃત્યુ સમયે પણ ત્યાં હાજર ન રહી શકતા હોય તેની ગીલ્ટ તેઓને અનુભવાતી હોય છે. મૃત્યુના ભય માંથી મોટા તો ઠીક નાના બાળકો પણ બાકાત નથી જેમ કે એક સાતમાં ધોરણમાં ભણતું બાળક જયારે તેના માતા પિતા ઘરની બહાર નીકળે ત્યારે ભય અનુભવી મારા મમ્મી અને પપ્પા મને મૂકી જતા રહેશે તો એ ભયે સતત જીવતું. આમ મૃત્યુનો ભય એ સતત ઘણા લોકોના મનમાં હાવી થતો જોવા મળ્યો જેના કારણે મનોવિજ્ઞાન ભવનના ડૉ.ધારા આર. દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ દ્બારા 720 લોકો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં જોવા મળ્યું કે કોઈપણ અન્યના મૃત્યુના સમાચાર સાંભળી તેમને પણ ક્યાંક મૃત્યુનો ભય અનુભવાય છે.
સર્વે માં મળેલ માહિતી આ મુજબની રહી
નિષેધક વિચારો અને મૃત્યુના સમાચારોથી ડર અનુભવાય છે? જેમાં 66.7% એ હા અને ૩૩.૩% એ ના જણાવ્યું
ત્રીજી લહેરની ભયાનક લહેર આવશે એવું સાંભળીને 70.2% લોકો ભય અનુભવે છે
અડધી રાત્રે મોબાઈલની રીંગ વાગે તો 60% લોકો અમંગળના એંધાણ સમજે છે
કોઈ નજીકના સગા સબંધીના મૃત્યુ પછી 81.18% લોકો સતત ભય અનુભવે છે
હું મૃત્યુ વિશે ભાગ્યે જ વિચારું છુ કારણકે હું મૃત્યુથી ખુબ ડરુ છુ જેમાં 60% લોકોએ સહમતી દર્શાવી
પાડોશીમાં કોઈનું મૃત્યુ થયું હોય તો 70% લોકોએ જણાવ્યું કે હું ખુબ જ અસ્વસ્થ રહું છુ
કોઈના મૃત્યુ પછી તે આત્માનું શું થયું હશે એ વિચારીને 63% લોકોને ધ્રુજારી અનુભવાય છે
કોઈનો મૃતદેહ જોયો હોય તો 72% એ સ્વીકાર્યું કે તે ઘણા દિવસો અસ્વસ્થ રહે છે
વહેલી સવારે ખરા બપોરે અને મોડી રાત્રે ફોન આવે તો 54% એ સ્વીકાર્યું કે તે અને તેમનો પરિવાર બેબાકળા બની જઈએ છીએ.
કોઈનું મૃત્યુ થયાનું જાણ્યા પછી ઘરના લોકોના પણ મૃત્યુના વિચારો આવવા લાગે છે જેમાં 81% લોકોએ હા જણાવી
મનોવિજ્ઞાન ભવનમાં આવેલ મૃત્યુનાં ભય અંગેના કેસનું વર્ણન
કેસ 1: એક 58 વર્ષના બહેને જ્યારથી સાંભળ્યું કે કોરોનાનો નવો વેરીયન્ટ જોખમી છે ત્યારથી સતત તેમના વર્તનમાં પરિવર્તન જોવા મળ્યું. પોતાના સંતાનોને વિદેશ ભણવા દેવા પણ તેમને મોકલવા નથી બસ એક જ રટણ સતત શરુ છે કે અમે અહી મરી ગયા તો છેલ્લે અમારા બાળકોનું મોઢું પણ ન જોઈ શકી અને કોણ અમારી ચિતા ને અગ્નિ દેશે? બસ આ ભયથી તેઓ સતત પીડાયા કરતા
કેસ 2: એક વિદ્યાર્થી જે સતત એક્ટીવ રહેતી પરંતુ તેણે પોતાના શિક્ષકના માતાનું અવસાનના સમાચાર સાંભળ્યા ત્યારથી એકદમ શાંત બની જતા અન્ય શિક્ષકો દ્વારા તે વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું તો એકદમ રુદન સાથે તે વિદ્યાર્થી એ જણાવ્યું કે આ રીતે મારા માતા પિતા કે કોઈ ઘરના સભ્યો જતા રહેશે તો હું કેમ જીવીશ? મરે ભણવાનું મૂકી તેમની પાસે જતું રહેવું છે. ખુબ સમજાવ્યા અને સતત તેને વાતો દ્વારા હૂફ આપ્યા બાદ ધીરે ધીરે તે સ્વસ્થ થવા તરફ આગળ વધી રહી છે.
WatchGujarat. મૃત્યુ એ એક સનાતન સત્ય છે પરંતુ એ સત્ય સ્વીકારવા માટેની દરેક લોકો પાસે સહન શક્તિ હોતી નથી. ઘણા સમયથી જે મૃત્યુના આકડાઓ આવે છે અને ઘણી વખત વ્યક્તિ પોતાના અંગત લોકોના મૃત્યુ સમયે પણ ત્યાં હાજર ન રહી શકતા હોય તેની ગીલ્ટ તેઓને અનુભવાતી હોય છે. મૃત્યુના ભય માંથી મોટા તો ઠીક નાના બાળકો પણ બાકાત નથી જેમ કે એક સાતમાં ધોરણમાં ભણતું બાળક જયારે તેના માતા પિતા ઘરની બહાર નીકળે ત્યારે ભય અનુભવી મારા મમ્મી અને પપ્પા મને મૂકી જતા રહેશે તો એ ભયે સતત જીવતું. આમ મૃત્યુનો ભય એ સતત ઘણા લોકોના મનમાં હાવી થતો જોવા મળ્યો જેના કારણે મનોવિજ્ઞાન ભવનના ડૉ.ધારા આર. દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ દ્બારા 720 લોકો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં જોવા મળ્યું કે કોઈપણ અન્યના મૃત્યુના સમાચાર સાંભળી તેમને પણ ક્યાંક મૃત્યુનો ભય અનુભવાય છે.
સર્વે માં મળેલ માહિતી આ મુજબની રહી
- નિષેધક વિચારો અને મૃત્યુના સમાચારોથી ડર અનુભવાય છે? જેમાં 66.7% એ હા અને ૩૩.૩% એ ના જણાવ્યું
- ત્રીજી લહેરની ભયાનક લહેર આવશે એવું સાંભળીને 70.2% લોકો ભય અનુભવે છે
- અડધી રાત્રે મોબાઈલની રીંગ વાગે તો 60% લોકો અમંગળના એંધાણ સમજે છે
- કોઈ નજીકના સગા સબંધીના મૃત્યુ પછી 81.18% લોકો સતત ભય અનુભવે છે
- હું મૃત્યુ વિશે ભાગ્યે જ વિચારું છુ કારણકે હું મૃત્યુથી ખુબ ડરુ છુ જેમાં 60% લોકોએ સહમતી દર્શાવી
- પાડોશીમાં કોઈનું મૃત્યુ થયું હોય તો 70% લોકોએ જણાવ્યું કે હું ખુબ જ અસ્વસ્થ રહું છુ
- કોઈના મૃત્યુ પછી તે આત્માનું શું થયું હશે એ વિચારીને 63% લોકોને ધ્રુજારી અનુભવાય છે
- કોઈનો મૃતદેહ જોયો હોય તો 72% એ સ્વીકાર્યું કે તે ઘણા દિવસો અસ્વસ્થ રહે છે
- વહેલી સવારે ખરા બપોરે અને મોડી રાત્રે ફોન આવે તો 54% એ સ્વીકાર્યું કે તે અને તેમનો પરિવાર બેબાકળા બની જઈએ છીએ.
- કોઈનું મૃત્યુ થયાનું જાણ્યા પછી ઘરના લોકોના પણ મૃત્યુના વિચારો આવવા લાગે છે જેમાં 81% લોકોએ હા જણાવી
મનોવિજ્ઞાન ભવનમાં આવેલ મૃત્યુનાં ભય અંગેના કેસનું વર્ણન
કેસ 1: એક 58 વર્ષના બહેને જ્યારથી સાંભળ્યું કે કોરોનાનો નવો વેરીયન્ટ જોખમી છે ત્યારથી સતત તેમના વર્તનમાં પરિવર્તન જોવા મળ્યું. પોતાના સંતાનોને વિદેશ ભણવા દેવા પણ તેમને મોકલવા નથી બસ એક જ રટણ સતત શરુ છે કે અમે અહી મરી ગયા તો છેલ્લે અમારા બાળકોનું મોઢું પણ ન જોઈ શકી અને કોણ અમારી ચિતા ને અગ્નિ દેશે? બસ આ ભયથી તેઓ સતત પીડાયા કરતા
કેસ 2: એક વિદ્યાર્થી જે સતત એક્ટીવ રહેતી પરંતુ તેણે પોતાના શિક્ષકના માતાનું અવસાનના સમાચાર સાંભળ્યા ત્યારથી એકદમ શાંત બની જતા અન્ય શિક્ષકો દ્વારા તે વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું તો એકદમ રુદન સાથે તે વિદ્યાર્થી એ જણાવ્યું કે આ રીતે મારા માતા પિતા કે કોઈ ઘરના સભ્યો જતા રહેશે તો હું કેમ જીવીશ? મરે ભણવાનું મૂકી તેમની પાસે જતું રહેવું છે. ખુબ સમજાવ્યા અને સતત તેને વાતો દ્વારા હૂફ આપ્યા બાદ ધીરે ધીરે તે સ્વસ્થ થવા તરફ આગળ વધી રહી છે.