રાજ્ય સરકારના 30થી વધુ કર્મચારીઓ, 15થી વધુ એપ્રેન્ટિસ, સેલ્ફ ફાઇનાન્સના કુલ 40 અને પરીક્ષા વિભાગના 250થી વધુ કર્મચારીઓના કરાર પૂર્ણ થતા મૌખિક રજા આપી દેવામાં આવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સહિતના કરાર આધારિત કર્મચારીને અચાનક જ છુટ્ટા કરી દેવાતા યુનિવર્સિટીની વહીવટી કામગીરી ખોરંભાય તેવી ભીતિ
નવી ભરતી કે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરતા પહેલા સરકારની મંજૂરી જરૂરી હોવાથી માર્ગદર્શન માગ્યું છે. શનિ-રવિની રજા બાદ ઝડપથી આ મુદ્દે નિર્ણય કરાશે - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી
WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 370થી વધુ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના કરાર 10 ડિસેમ્બરે પૂરા થઇ ગયા છે. જેને લઈને આ તમામને ફોન કરીને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. અને તારીખ 17મી સુધીમાં ફોન આવે તો જ યુનિવર્સિટીમાં ફરજ પર આવવાનું રહેશે તેવું જણાવી દેવામાં આવ્યું છે. જેને લઈ કર્મચારીઓ ઉપર નોકરીનું જોખમ છે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મોટાભાગની વહીવટી કામગીરી કરાર આધારિત નોન ટીચિંગ કર્મચારીઓ સંભાળતા હોય આ કામગીરીઓ ખોરવાય તેવી શક્યતા છે. જો કે આ મામલે સૌરાષ્ટ્ર યુનિ.નાં ઉપકુલપતિ વિજય દેશાણીએ કહ્યું હતું કે, આ કર્મચારીઓને પરત લેવા માટે સરકારની મંજૂરી જરૂરી હોવાથી આ મંજૂરી મળ્યા બાદ નિર્ણય કરાશે.
તાજેતરમાં સરકારે પરિપત્ર કરી જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં તમામ ભરતી હવે સરકારની પૂર્વ મંજૂરી બાદ જ કરવાની રહેશે. તેથી 370થી વધુ કર્મીઓને કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા કે કેમ તે માટે સરકારનું માર્ગદર્શન મગાયું છે. શુક્રવારે કરાર પૂરો થયેલા કર્મચારીઓને ફોન કરી જણાવાયું હતું કે, કરાર પૂરો થયો હોવાથી હમણાં આવવાનું નથી, હવે 17 તારીખે યુનિવર્સિટીમાંથી ફોન આવે તો જ આવવાનું રહેશે. 370થી વધુ કરાર આધારિત કર્મચારીઓ હાલ નોકરી વિહોણા થઇ જતા તેઓના પરિવાર ઉપર આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ છે.
રાજ્ય સરકારના 30થી વધુ કર્મચારીઓ, 15થી વધુ એપ્રેન્ટિસ, સેલ્ફ ફાઇનાન્સના કુલ 40 અને પરીક્ષા વિભાગના 250થી વધુ કર્મચારીઓના કરાર પૂર્ણ થતા મૌખિક રજા આપી દેવામાં આવી છે. હવે સરકારમાંથી મંજૂરી મળશે તો આ કર્મીઓના કરાર રિન્યૂ કરવામાં આવનાર હોવાથી તમામ નોન ટીચિંગ કર્મીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સહિતના કરાર આધારિત કર્મચારીને અચાનક જ છુટ્ટા કરી દેવાતા યુનિવર્સિટીની વહીવટી કામગીરી ખોરંભાય તેવી ભીતિ પ્રવર્તી રહી છે.
સરકારની મંજૂરી માગી છે, જલ્દી નિર્ણય થશે: ઉપકુલપતિ
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, કરાર આધારિત કર્મીઓના કોન્ટ્રાક્ટ પૂરા થતા તેમને થોડા દિવસોનો બ્રેક અપાયો છે. અને નવી ભરતી કે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરતા પહેલા સરકારની મંજૂરી જરૂરી હોવાથી માર્ગદર્શન માગ્યું છે. શનિ-રવિની રજા બાદ ઝડપથી આ મુદ્દે નિર્ણય કરાશે. અને સરકારની મંજૂરી મળશે તો આ કર્મચારીઓને પરત લેવાશે અથવા નવી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.
રાજ્ય સરકારના 30થી વધુ કર્મચારીઓ, 15થી વધુ એપ્રેન્ટિસ, સેલ્ફ ફાઇનાન્સના કુલ 40 અને પરીક્ષા વિભાગના 250થી વધુ કર્મચારીઓના કરાર પૂર્ણ થતા મૌખિક રજા આપી દેવામાં આવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સહિતના કરાર આધારિત કર્મચારીને અચાનક જ છુટ્ટા કરી દેવાતા યુનિવર્સિટીની વહીવટી કામગીરી ખોરંભાય તેવી ભીતિ
નવી ભરતી કે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરતા પહેલા સરકારની મંજૂરી જરૂરી હોવાથી માર્ગદર્શન માગ્યું છે. શનિ-રવિની રજા બાદ ઝડપથી આ મુદ્દે નિર્ણય કરાશે - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી
WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 370થી વધુ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના કરાર 10 ડિસેમ્બરે પૂરા થઇ ગયા છે. જેને લઈને આ તમામને ફોન કરીને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. અને તારીખ 17મી સુધીમાં ફોન આવે તો જ યુનિવર્સિટીમાં ફરજ પર આવવાનું રહેશે તેવું જણાવી દેવામાં આવ્યું છે. જેને લઈ કર્મચારીઓ ઉપર નોકરીનું જોખમ છે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મોટાભાગની વહીવટી કામગીરી કરાર આધારિત નોન ટીચિંગ કર્મચારીઓ સંભાળતા હોય આ કામગીરીઓ ખોરવાય તેવી શક્યતા છે. જો કે આ મામલે સૌરાષ્ટ્ર યુનિ.નાં ઉપકુલપતિ વિજય દેશાણીએ કહ્યું હતું કે, આ કર્મચારીઓને પરત લેવા માટે સરકારની મંજૂરી જરૂરી હોવાથી આ મંજૂરી મળ્યા બાદ નિર્ણય કરાશે.
તાજેતરમાં સરકારે પરિપત્ર કરી જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં તમામ ભરતી હવે સરકારની પૂર્વ મંજૂરી બાદ જ કરવાની રહેશે. તેથી 370થી વધુ કર્મીઓને કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા કે કેમ તે માટે સરકારનું માર્ગદર્શન મગાયું છે. શુક્રવારે કરાર પૂરો થયેલા કર્મચારીઓને ફોન કરી જણાવાયું હતું કે, કરાર પૂરો થયો હોવાથી હમણાં આવવાનું નથી, હવે 17 તારીખે યુનિવર્સિટીમાંથી ફોન આવે તો જ આવવાનું રહેશે. 370થી વધુ કરાર આધારિત કર્મચારીઓ હાલ નોકરી વિહોણા થઇ જતા તેઓના પરિવાર ઉપર આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ છે.
રાજ્ય સરકારના 30થી વધુ કર્મચારીઓ, 15થી વધુ એપ્રેન્ટિસ, સેલ્ફ ફાઇનાન્સના કુલ 40 અને પરીક્ષા વિભાગના 250થી વધુ કર્મચારીઓના કરાર પૂર્ણ થતા મૌખિક રજા આપી દેવામાં આવી છે. હવે સરકારમાંથી મંજૂરી મળશે તો આ કર્મીઓના કરાર રિન્યૂ કરવામાં આવનાર હોવાથી તમામ નોન ટીચિંગ કર્મીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સહિતના કરાર આધારિત કર્મચારીને અચાનક જ છુટ્ટા કરી દેવાતા યુનિવર્સિટીની વહીવટી કામગીરી ખોરંભાય તેવી ભીતિ પ્રવર્તી રહી છે.
સરકારની મંજૂરી માગી છે, જલ્દી નિર્ણય થશે: ઉપકુલપતિ
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, કરાર આધારિત કર્મીઓના કોન્ટ્રાક્ટ પૂરા થતા તેમને થોડા દિવસોનો બ્રેક અપાયો છે. અને નવી ભરતી કે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરતા પહેલા સરકારની મંજૂરી જરૂરી હોવાથી માર્ગદર્શન માગ્યું છે. શનિ-રવિની રજા બાદ ઝડપથી આ મુદ્દે નિર્ણય કરાશે. અને સરકારની મંજૂરી મળશે તો આ કર્મચારીઓને પરત લેવાશે અથવા નવી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.