WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમા ખરાખરીનો જંગ જામી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારનો માત્ર એક મતથી વિજય થયો છે. જેનાથી ભાજપનાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવારનો માત્ર એક જ વોટથી પરાજય થતાં કાર્યકર્તાઓ નિરાશ થયા છે.
સોમનાથની 4 નગપાલિકાની 128 બેઠકમાં ભાજપની 20 અને કોંગ્રેસની 2 બેઠક બિનહરિફ જાહેર થઇ
ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં 28 બેઠક પર 63.64 ટકા મતદાન નોંધાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં 6 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોડીનાર તાલુકા પંચાયતમાં 65.95 ટકા, સૂત્રાપાડામાં 69.46 ટકા, વેરાવળમાં 71.99 ટકા, તાલાલામાં 63.32 ટકા, ઉનામાં 63.57 ટકા, ગીરગઢડામાં 60.19 ટકા મતદાન થયું છે. જ્યારે નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉનામાં 49.4 ટકા, વેરાવળ-પાટણમાં 66.25 ટકા, સૂત્રાપાડામાં 72.82 ટકા અને તાલાલામાં 63.37 ટકા મતદાન નોંધાયું છે. ગીર સોમનાથની 4 નગપાલિકાની 128 બેઠકમાં ભાજપની 20 અને કોંગ્રેસની 2 બેઠક બિનહરિફ જાહેર થઇ છે.
અગાઉ બેઠક પર શું સ્થિતી હતી.
ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 13, કોંગ્રેસને 13 અને અન્યને 2 બેઠક મળી હતી. ગીર સોમનાથની ઉના અને વેરાવળ નગરપાલિકામાં 2015માં 61 બેઠક ભાજપને અને 18 બેઠક કૉંગ્રેસની મળી હતી. એક બેઠક અન્યને મળી હતી.
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમા ખરાખરીનો જંગ જામી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારનો માત્ર એક મતથી વિજય થયો છે. જેનાથી ભાજપનાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવારનો માત્ર એક જ વોટથી પરાજય થતાં કાર્યકર્તાઓ નિરાશ થયા છે.
સોમનાથની 4 નગપાલિકાની 128 બેઠકમાં ભાજપની 20 અને કોંગ્રેસની 2 બેઠક બિનહરિફ જાહેર થઇ
ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં 28 બેઠક પર 63.64 ટકા મતદાન નોંધાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં 6 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોડીનાર તાલુકા પંચાયતમાં 65.95 ટકા, સૂત્રાપાડામાં 69.46 ટકા, વેરાવળમાં 71.99 ટકા, તાલાલામાં 63.32 ટકા, ઉનામાં 63.57 ટકા, ગીરગઢડામાં 60.19 ટકા મતદાન થયું છે. જ્યારે નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉનામાં 49.4 ટકા, વેરાવળ-પાટણમાં 66.25 ટકા, સૂત્રાપાડામાં 72.82 ટકા અને તાલાલામાં 63.37 ટકા મતદાન નોંધાયું છે. ગીર સોમનાથની 4 નગપાલિકાની 128 બેઠકમાં ભાજપની 20 અને કોંગ્રેસની 2 બેઠક બિનહરિફ જાહેર થઇ છે.
અગાઉ બેઠક પર શું સ્થિતી હતી.
ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 13, કોંગ્રેસને 13 અને અન્યને 2 બેઠક મળી હતી. ગીર સોમનાથની ઉના અને વેરાવળ નગરપાલિકામાં 2015માં 61 બેઠક ભાજપને અને 18 બેઠક કૉંગ્રેસની મળી હતી. એક બેઠક અન્યને મળી હતી.