કાવી-કંબોઇ સ્થિત દક્ષિણના મીની સોમનાથમાં શ્રાવણના અંતિમ દિન અને સોમવતી અમાસના સુભગ સમન્વયે ભક્તોનો અવિરત પ્રવાહ
રવિવારે રાતથી જ દર્શન, સ્નાન અને મેળો મહાલવા લોકો ઊમટતા માર્ગ પર હજારો વાહનોથી 5 થી 7 કિમી સુધી ચક્કાજામ
ભરતીના પાણી ચઢતા દરિયા કિનારે પાર્ક કરેલી લકઝરી બસો રેતીમાં ખુંપી
[caption id="attachment_1393193" align="aligncenter" width="640"] Shree Stambheshwar Mahadev Temple[/caption]
WatchGujarat. કાવી-કંબોઇ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને શ્રાવણના અંતિમ દિવસ અને સોમવતી અમાવસ્યાએ રાજયભરમાંથી 60,000 શ્રદ્ધાળુઓએ ઉમટી પડી પવિત્ર સ્નાન સાથે સ્તંભેશ્વરદાદાનાં દર્શનનો લહાવો લીધો હતો. દક્ષિણનાં સોમનાથ ગણાતા તીર્થ સ્થાને સમુદ્ર દેવ સાથે મેઘરાજા પણ શિવલિંગ પર અભિષેક કરવા દોડી આવ્યા હતા. ઉમટી પડેલા માનવ મહેરામણે પૂજા, દર્શન, સ્નાન અને લઘુરૂદ્ર સાથે મહાપ્રસાદી લીધી હતી.
ગુજરાતના મીની સોમનાથ તરીકે જાણીતા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસ અને શ્રાવણ માસ ના છેલ્લા દિવસે શિવભકતોનું ઘોડાપૂર ઉમટી પડયુ હતું. સ્તંભેશ્વર મહાદેવસને દરીયા દેવ સાથે મેઘરાજા પણ અભિષેક કરવા દોડી આવ્યા હોય તેમ આકાશમાંથી થયેલી અમી વરસા વચ્ચે વહેલી સવારથી મોડી સાંજ સુધમાં લાખો લોકોએ પૂજા, દર્શન સાથે અહીના ગુપ્તતીર્થમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
કાયદો-વ્યવસ્થા જાળવવા રવિવારથી જ પોલીસ કાફલો બંદોબસ્ત અને વ્યવસ્થામાં તૈનાત રહ્યો હતો. હજારો વાહનોનો ખડકલો થઇ જતા કાવી-કંબોઇ માર્ગ પર ચક્કાજામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. સોમવતી અમાસે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે વિશેષ સજાવટ સાથે શિવલિંગને પણ શણગાર કરાયો હતો. ત્રણ દિવસથી ચાલતા લઘુરૂદ્રમાં પણ શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
શિવલિંગ પર દરીયા દેવે 11 ફૂટ સુધી જળાભિષેક કર્યો
સોમવતી અમાસે રાજયભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ બપોરે 4.30 કલાકથી શરૂ થયેલી ભરતી નીહાળી ધન્ય થયા હતા. સાંજે 6.20 કલાકે સમુદ્ર અને ગુપ્ત 8 નદીઓ સાબરમતી, હાથમતી, મેશ્વો, શેઢી, વાત્રક, ચંદ્રભાગા, મહી, ખારી દરીયા દેવને મળી ભગવાન ભોળાશંકર પર 11 ફૂટ સુધી જળાભિષેક કર્યો હતો.
દરિયા કિનારે પાર્ક કરેલી લકઝરી બસો ભરતી આવતા ફસાઈ
ભરૂચ જિલ્લા બહાર ગુજરાતના અન્ય રાજ્યોમાંથી આવેલી પ્રવાસીઓની લકઝરી બસો આજે દરિયા કિનારે જ પાર્ક કરવામાં આવી હતી. જોકે સાંજ બાદ અમાસની ભરતીના પાણી ચઢતા લકઝરી બસના ડ્રાઈવરો અને મુસાફરોમાં દોડધામ મચી ગઇ હતી. કેટલાક લકઝરી બસના ચાલકોએ સમયસર બસ કાઢી લીધી હતી. જ્યારે 4 થી 5 બસો ભરતી વચ્ચે કિનારે રેતીમાં ફસાઈ ગઈ હતી.
WatchGujarat. કાવી-કંબોઇ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને શ્રાવણના અંતિમ દિવસ અને સોમવતી અમાવસ્યાએ રાજયભરમાંથી 60,000 શ્રદ્ધાળુઓએ ઉમટી પડી પવિત્ર સ્નાન સાથે સ્તંભેશ્વરદાદાનાં દર્શનનો લહાવો લીધો હતો. દક્ષિણનાં સોમનાથ ગણાતા તીર્થ સ્થાને સમુદ્ર દેવ સાથે મેઘરાજા પણ શિવલિંગ પર અભિષેક કરવા દોડી આવ્યા હતા. ઉમટી પડેલા માનવ મહેરામણે પૂજા, દર્શન, સ્નાન અને લઘુરૂદ્ર સાથે મહાપ્રસાદી લીધી હતી.
ગુજરાતના મીની સોમનાથ તરીકે જાણીતા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસ અને શ્રાવણ માસ ના છેલ્લા દિવસે શિવભકતોનું ઘોડાપૂર ઉમટી પડયુ હતું. સ્તંભેશ્વર મહાદેવસને દરીયા દેવ સાથે મેઘરાજા પણ અભિષેક કરવા દોડી આવ્યા હોય તેમ આકાશમાંથી થયેલી અમી વરસા વચ્ચે વહેલી સવારથી મોડી સાંજ સુધમાં લાખો લોકોએ પૂજા, દર્શન સાથે અહીના ગુપ્તતીર્થમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
કાયદો-વ્યવસ્થા જાળવવા રવિવારથી જ પોલીસ કાફલો બંદોબસ્ત અને વ્યવસ્થામાં તૈનાત રહ્યો હતો. હજારો વાહનોનો ખડકલો થઇ જતા કાવી-કંબોઇ માર્ગ પર ચક્કાજામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. સોમવતી અમાસે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે વિશેષ સજાવટ સાથે શિવલિંગને પણ શણગાર કરાયો હતો. ત્રણ દિવસથી ચાલતા લઘુરૂદ્રમાં પણ શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
શિવલિંગ પર દરીયા દેવે 11 ફૂટ સુધી જળાભિષેક કર્યો
સોમવતી અમાસે રાજયભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ બપોરે 4.30 કલાકથી શરૂ થયેલી ભરતી નીહાળી ધન્ય થયા હતા. સાંજે 6.20 કલાકે સમુદ્ર અને ગુપ્ત 8 નદીઓ સાબરમતી, હાથમતી, મેશ્વો, શેઢી, વાત્રક, ચંદ્રભાગા, મહી, ખારી દરીયા દેવને મળી ભગવાન ભોળાશંકર પર 11 ફૂટ સુધી જળાભિષેક કર્યો હતો.
દરિયા કિનારે પાર્ક કરેલી લકઝરી બસો ભરતી આવતા ફસાઈ
ભરૂચ જિલ્લા બહાર ગુજરાતના અન્ય રાજ્યોમાંથી આવેલી પ્રવાસીઓની લકઝરી બસો આજે દરિયા કિનારે જ પાર્ક કરવામાં આવી હતી. જોકે સાંજ બાદ અમાસની ભરતીના પાણી ચઢતા લકઝરી બસના ડ્રાઈવરો અને મુસાફરોમાં દોડધામ મચી ગઇ હતી. કેટલાક લકઝરી બસના ચાલકોએ સમયસર બસ કાઢી લીધી હતી. જ્યારે 4 થી 5 બસો ભરતી વચ્ચે કિનારે રેતીમાં ફસાઈ ગઈ હતી.