WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના નામો જાહેર કરતા પહેલા સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ ઉમેદવારોની પસંદગી લોકશાહી પદ્ધતીથી કરી હોવાનો દાવો રજુ કર્યો હતો. ગુરૂવાર સાંજ સુધીમાં તબક્કાવાર રીતે ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કરવામાં આવશે.
સી. આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ લીધા બાદ લોકશાહી પદ્ધતિથી છણાવટ કરીને ઉમેદવારોના નામની પસંદગી કરવામાં આવી છે. ગુરૂવાર સાંજ સુધીમાં તબક્કાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. શુક્રવારે તમામ સ્થળોએ પાર્ટીના કાર્યાલય ખાતેથી મેન્ડેટ મેળવેલા ઉમેદવારો 12.39 કલાકો ફોર્મ ભરવા જવા માટે રવાના થશે. તમામ ઉમેદવારો કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરીને ફોર્મ ભરશે.
https://twitter.com/BJP4Gujarat/status/1357223648017448960?s=20
સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોને અનુસરીને ઉમેદવાનોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ વખતે તૈયાર કરવામાં આવેલા લિસ્ટમાં 50 ટકા મહિલાઓ અને 50 ટકા પુરૂષોને ટીકીટ સમાવવામાં આવ્યા છે. ભાજપાના જનપ્રતિનીધીઓ દ્વારા અન્ય રાજ્યોને ઇર્ષ્યા થાય તેવા કામો કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી સાથે રાજ્યમાં 1 કરોડ 14 લાખ રજીસ્ટર્ડ લોકો જોડાયેલા છે.
આખરે સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, જે લોકોની ત્રણ ટર્મ પુરી થઇ ગઇ છે. તેઓના રાજકીય અનુભવને ઉપયોગમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આમ, ચુંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરતા પહેલા સી. આર. પાટીલે ઉમેદવારોની પસંગદીની પ્રક્રિયા સહિતના મુદ્દે મહત્વની જાણકારી આપી હતી.
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના નામો જાહેર કરતા પહેલા સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ ઉમેદવારોની પસંદગી લોકશાહી પદ્ધતીથી કરી હોવાનો દાવો રજુ કર્યો હતો. ગુરૂવાર સાંજ સુધીમાં તબક્કાવાર રીતે ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કરવામાં આવશે.
સી. આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ લીધા બાદ લોકશાહી પદ્ધતિથી છણાવટ કરીને ઉમેદવારોના નામની પસંદગી કરવામાં આવી છે. ગુરૂવાર સાંજ સુધીમાં તબક્કાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. શુક્રવારે તમામ સ્થળોએ પાર્ટીના કાર્યાલય ખાતેથી મેન્ડેટ મેળવેલા ઉમેદવારો 12.39 કલાકો ફોર્મ ભરવા જવા માટે રવાના થશે. તમામ ઉમેદવારો કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરીને ફોર્મ ભરશે.
સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોને અનુસરીને ઉમેદવાનોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ વખતે તૈયાર કરવામાં આવેલા લિસ્ટમાં 50 ટકા મહિલાઓ અને 50 ટકા પુરૂષોને ટીકીટ સમાવવામાં આવ્યા છે. ભાજપાના જનપ્રતિનીધીઓ દ્વારા અન્ય રાજ્યોને ઇર્ષ્યા થાય તેવા કામો કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી સાથે રાજ્યમાં 1 કરોડ 14 લાખ રજીસ્ટર્ડ લોકો જોડાયેલા છે.
આખરે સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, જે લોકોની ત્રણ ટર્મ પુરી થઇ ગઇ છે. તેઓના રાજકીય અનુભવને ઉપયોગમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આમ, ચુંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરતા પહેલા સી. આર. પાટીલે ઉમેદવારોની પસંગદીની પ્રક્રિયા સહિતના મુદ્દે મહત્વની જાણકારી આપી હતી.