મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા કંઇક અલગ રીતે ઉજવણી કરી
મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામ ખાતે કેબિનેટ મંત્રી ઝોળી લઈને નીકળ્યા
પહેલીવાર કોઈ મંત્રી મકરસંક્રાતિની ઉજવણીમાં ધાબા કે અગાસી પર નહિ, પરંતુ ઘરે ઘરે ફરીને ઘાન્ય ઉઘરાવતા જોવા મળ્યા
WatchGujarat. રાજ્યભરમાં કોવિડ નિયમના પાલન સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં હતા. ‘કાઈપો છે.. લપેટ લપેટ…’ના નાદથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી હતી. એવામાં નેતાઓ પણ વિવિવ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત દેખાયા હતા. જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ઉતરાયણની અનોખી રીતે ઉજવણી કરી હતી.
મીડિયા અહેવાલ મુજબ, મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા કંઇક અલગ રીતે ઉજવણી કરી હતી. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પરંપરા મુજબ ઝોળી લઈને નીકળ્યા હતા. મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામ ખાતે કેબિનેટ મંત્રી ઝોળી લઈને નીકળ્યા હતા. આજે મકરસંક્રાંતિ પર્વના દિવસે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પરંપરાગત ઝોળી લઈ ઘરે ઘરે ફરી ધાન્ય ઉઘરાવ્યું હતું. કદાચ પહેલીવાર કોઈ મંત્રી મકરસંક્રાતિની ઉજવણીમાં ધાબા કે અગાસી પર નહિ, પરંતુ ઘરે ઘરે ફરીને ઘાન્ય ઉઘરાવતા જોવા મળ્યા હતા. ઝોળી પર્વના ભાગરૂપે ધાન ઉઘરાવતા નેતા ગલીએ ગલીએ ફર્યા હતા.
કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વર્ષોથી આ જ પ્રકારે ધાર્મિક પરંપરા મુજબ ઘેર ઘેર ફરી ઝોળીપર્વની ઉજવણી કરે છે. તેમના દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થા મુજબ મકરસંક્રાતીની ઉજવણી પોતાના ગામમાં કરી હતી. નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વહેલી સવારે અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને દર્શન કરી ગૌમાતાની પૂજા કરી ઘાસ ખવડાવ્યું હતું. તેમજ જરૂરિયાતમંદ લોકોને મિઠાઇનું વિતરણ પણ કર્યું હતું.
મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા કંઇક અલગ રીતે ઉજવણી કરી
મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામ ખાતે કેબિનેટ મંત્રી ઝોળી લઈને નીકળ્યા
પહેલીવાર કોઈ મંત્રી મકરસંક્રાતિની ઉજવણીમાં ધાબા કે અગાસી પર નહિ, પરંતુ ઘરે ઘરે ફરીને ઘાન્ય ઉઘરાવતા જોવા મળ્યા
WatchGujarat. રાજ્યભરમાં કોવિડ નિયમના પાલન સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં હતા. ‘કાઈપો છે.. લપેટ લપેટ…’ના નાદથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી હતી. એવામાં નેતાઓ પણ વિવિવ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત દેખાયા હતા. જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ઉતરાયણની અનોખી રીતે ઉજવણી કરી હતી.
મીડિયા અહેવાલ મુજબ, મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા કંઇક અલગ રીતે ઉજવણી કરી હતી. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પરંપરા મુજબ ઝોળી લઈને નીકળ્યા હતા. મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામ ખાતે કેબિનેટ મંત્રી ઝોળી લઈને નીકળ્યા હતા. આજે મકરસંક્રાંતિ પર્વના દિવસે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પરંપરાગત ઝોળી લઈ ઘરે ઘરે ફરી ધાન્ય ઉઘરાવ્યું હતું. કદાચ પહેલીવાર કોઈ મંત્રી મકરસંક્રાતિની ઉજવણીમાં ધાબા કે અગાસી પર નહિ, પરંતુ ઘરે ઘરે ફરીને ઘાન્ય ઉઘરાવતા જોવા મળ્યા હતા. ઝોળી પર્વના ભાગરૂપે ધાન ઉઘરાવતા નેતા ગલીએ ગલીએ ફર્યા હતા.
કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વર્ષોથી આ જ પ્રકારે ધાર્મિક પરંપરા મુજબ ઘેર ઘેર ફરી ઝોળીપર્વની ઉજવણી કરે છે. તેમના દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થા મુજબ મકરસંક્રાતીની ઉજવણી પોતાના ગામમાં કરી હતી. નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વહેલી સવારે અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને દર્શન કરી ગૌમાતાની પૂજા કરી ઘાસ ખવડાવ્યું હતું. તેમજ જરૂરિયાતમંદ લોકોને મિઠાઇનું વિતરણ પણ કર્યું હતું.