ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની શક્યતા વ્યક્ત કરી હતી
આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું
ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલે ચૂંટણી લડવી જોઈએ - લાલજી પટેલ
WatchGujarat. તાજેતરમાં ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની શક્યતા વ્યક્ત કરી હતી. સાથે જ પોતાના 4 મહિનાનાં ગુજરાતનાં પ્રવાસ દરમિયાન અનેક લોકોએ તેમને આ માટે આગ્રહ કર્યો હોવાનું જણાવી આ અંગે સમાજ દ્વારા આવનારા સમયમાં નિર્ણય લેવાનું પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલે ચૂંટણી લડવી જોઈએ.
લાલજી પટેલનાં જણાવ્યા મુજબ, પાટીદાર સમાજના હીત માટે સમાજને સમર્પિત હોય તેવા લોકોએ ચૂંટણી લડવા આગળ આવવું જરૂરી છે. ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલ સમાજ માટે જીવન જીવી રહ્યા છે. ત્યારે તેઓએ આગામી વિધાનસભા ચૂંટણી ચોક્કસ લડવી જોઈએ. એસપીજી દ્વારા પણ ત્રણેય પક્ષ પાસે ટીકીટ માટેની માંગ કરવામાં આવશે. જેમાં પાટીદાર સમાજના સમર્પિત અને સેવાભાવી અને એસપીજી ગ્રુપને વફાદાર હોય તેવા તમામને ચૂંટણી લડાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી સમયે રાજકારણનો સુર છેડે છે. ખોડલધામ જેવા ધાર્મિક સ્થળે અનેક વખત દરેક પક્ષના ટોચનાં નેતાઓ આવે ત્યારે બંધ બારણે બેઠકો પણ કરે છે. પણ પોતે કોની સાથે છે તે મગનું નામ મરી પાડતા નથી. આ વખતની ચૂંટણીને લઈને પણ તેમણે પ્રથમ વખત જાહેર કર્યું કે, સમાજ કહશે તો રાજકારણમાં આવીશ. પરંતુ હજુસુધી તેઓ ક્યાં પક્ષમાં જોડાશે તેની કોઈ જ સ્પષ્ટતા તેમણે કરી નથી.
ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની શક્યતા વ્યક્ત કરી હતી
આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું
WatchGujarat. તાજેતરમાં ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની શક્યતા વ્યક્ત કરી હતી. સાથે જ પોતાના 4 મહિનાનાં ગુજરાતનાં પ્રવાસ દરમિયાન અનેક લોકોએ તેમને આ માટે આગ્રહ કર્યો હોવાનું જણાવી આ અંગે સમાજ દ્વારા આવનારા સમયમાં નિર્ણય લેવાનું પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલે ચૂંટણી લડવી જોઈએ.
લાલજી પટેલનાં જણાવ્યા મુજબ, પાટીદાર સમાજના હીત માટે સમાજને સમર્પિત હોય તેવા લોકોએ ચૂંટણી લડવા આગળ આવવું જરૂરી છે. ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલ સમાજ માટે જીવન જીવી રહ્યા છે. ત્યારે તેઓએ આગામી વિધાનસભા ચૂંટણી ચોક્કસ લડવી જોઈએ. એસપીજી દ્વારા પણ ત્રણેય પક્ષ પાસે ટીકીટ માટેની માંગ કરવામાં આવશે. જેમાં પાટીદાર સમાજના સમર્પિત અને સેવાભાવી અને એસપીજી ગ્રુપને વફાદાર હોય તેવા તમામને ચૂંટણી લડાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી સમયે રાજકારણનો સુર છેડે છે. ખોડલધામ જેવા ધાર્મિક સ્થળે અનેક વખત દરેક પક્ષના ટોચનાં નેતાઓ આવે ત્યારે બંધ બારણે બેઠકો પણ કરે છે. પણ પોતે કોની સાથે છે તે મગનું નામ મરી પાડતા નથી. આ વખતની ચૂંટણીને લઈને પણ તેમણે પ્રથમ વખત જાહેર કર્યું કે, સમાજ કહશે તો રાજકારણમાં આવીશ. પરંતુ હજુસુધી તેઓ ક્યાં પક્ષમાં જોડાશે તેની કોઈ જ સ્પષ્ટતા તેમણે કરી નથી.