ગાંધીના ગુજરાતમાં જામનગરમાં ગોડસેની પ્રતિમા મૂકતા વિવાદ
હિન્દુ સેનાએ પ્રતિમાં મૂકી,કોંગ્રેસે પ્રતિમા હટાવવાની માંગ કરી
હિન્દુ સેનાએ નથુરામ ગોડ્સે અમર રહે ના નારા લગાવ્યા
WatchGujarat. ગુજરાત સહિત દેશ-દુનિયામાં ગાંધીનાં સમર્થકો વધુ જોવા મળશે પરંતુ ગોડ્સેનાં સમર્થકો પણ છે .જેની સંખ્યા નાની છે.ગાંધીના ગુજરાતમાં જામનગરમાં ગાંધી બાપુના હત્યારા નથૂરામ ગોડ્સેની પ્રતિમા મૂકાઇ હતી. હિન્દુ સેનાએ નથુરામ ગોડ્સે અમર રહે ના નારા લગાવી ખાનગી જગ્યામાં પ્રતિમા મૂકી છે. જ્યારે આ પ્રતિમા મૂકાતા કોંગ્રેસે આ સંગઠન ઉપર પ્રતિબંધની માંગ સાથે પ્રતિમા હટાવવાની પણ માંગ કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, જામનગરમાં કાલાવડ નાકા બહાર દુધીયા હનુમાન આશ્રમવાળી ખાનગી જગ્યામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા મૂકતા વિવાદ વકર્યો છે.
જામનગરમાં ગત સપ્ટેમ્બર મહિનામાં હિન્દુ સેના નામની સંસ્થાએ ગાંધીજીના હત્યારા નથુરામ ગોડ્સેની પ્રતિમા મુકવાની માંગણી મહાનગરપાલિકાના તંત્ર સમક્ષ કરતા વિવાદ વકર્યો છે. તે વખતે પણ કોંગ્રેસ દ્વારા સંસ્થાની આવી માંગણીનો ભારે વિરોધ થયો હતો. દરમ્યાન નથુરામ ગોડ્સેની પુણ્યનિથિ નિમિત્તે કાલાવડ નાકા બહાર મોરકંડા આશ્રમ રોડ પર આવેલા દુધીયા હનુમાન આશ્રમ નામની કોઇ સંપતબાપુ હસ્તકની ખાનગી જગ્યામાં નથુરામ ગોડસેની અર્ધ પ્રતિમા મૂકી હતી. અને સંસ્થાના કાર્યકરોએ નથુરામ ગોડસે અમર રહે ના નારા લગાવ્યા હતા.
જ્યારે આ મામલે શહેર ક્રોંગ્રેસે પ્રમુખ દિગુભા જાડેજાએ મિડીયાને જણાવ્યું હતુ કે, ગાંધીજી અહિંસાના પુજારી હતા તેના હત્યારાની પ્રતિમા મૂકીને આ લોકો શું સાબીત કરવા માંગે છે ?અમે એસ.પીને રજૂઆત કરીને આવા સંગઠન પર પ્રતિબંધની માંગણી કરીશું. પોલીસ ફરિયાદ અને જરૂર પડે તો કોર્ટ કાર્યવાહી પણ કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીજીના હત્યાનાં આટલા વર્ષો બાદ પણ સમગ્ર વિશ્વ ગાંધીજીને ભુલી શક્યું નથી કારણ કે ગાંધી એક નામ કે શરીર નહીં પરંતુ એક વિચાર છે.
- ગાંધીના ગુજરાતમાં જામનગરમાં ગોડસેની પ્રતિમા મૂકતા વિવાદ
- હિન્દુ સેનાએ પ્રતિમાં મૂકી,કોંગ્રેસે પ્રતિમા હટાવવાની માંગ કરી
- હિન્દુ સેનાએ નથુરામ ગોડ્સે અમર રહે ના નારા લગાવ્યા
WatchGujarat. ગુજરાત સહિત દેશ-દુનિયામાં ગાંધીનાં સમર્થકો વધુ જોવા મળશે પરંતુ ગોડ્સેનાં સમર્થકો પણ છે .જેની સંખ્યા નાની છે.ગાંધીના ગુજરાતમાં જામનગરમાં ગાંધી બાપુના હત્યારા નથૂરામ ગોડ્સેની પ્રતિમા મૂકાઇ હતી. હિન્દુ સેનાએ નથુરામ ગોડ્સે અમર રહે ના નારા લગાવી ખાનગી જગ્યામાં પ્રતિમા મૂકી છે. જ્યારે આ પ્રતિમા મૂકાતા કોંગ્રેસે આ સંગઠન ઉપર પ્રતિબંધની માંગ સાથે પ્રતિમા હટાવવાની પણ માંગ કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, જામનગરમાં કાલાવડ નાકા બહાર દુધીયા હનુમાન આશ્રમવાળી ખાનગી જગ્યામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા મૂકતા વિવાદ વકર્યો છે.
જામનગરમાં ગત સપ્ટેમ્બર મહિનામાં હિન્દુ સેના નામની સંસ્થાએ ગાંધીજીના હત્યારા નથુરામ ગોડ્સેની પ્રતિમા મુકવાની માંગણી મહાનગરપાલિકાના તંત્ર સમક્ષ કરતા વિવાદ વકર્યો છે. તે વખતે પણ કોંગ્રેસ દ્વારા સંસ્થાની આવી માંગણીનો ભારે વિરોધ થયો હતો. દરમ્યાન નથુરામ ગોડ્સેની પુણ્યનિથિ નિમિત્તે કાલાવડ નાકા બહાર મોરકંડા આશ્રમ રોડ પર આવેલા દુધીયા હનુમાન આશ્રમ નામની કોઇ સંપતબાપુ હસ્તકની ખાનગી જગ્યામાં નથુરામ ગોડસેની અર્ધ પ્રતિમા મૂકી હતી. અને સંસ્થાના કાર્યકરોએ નથુરામ ગોડસે અમર રહે ના નારા લગાવ્યા હતા.
જ્યારે આ મામલે શહેર ક્રોંગ્રેસે પ્રમુખ દિગુભા જાડેજાએ મિડીયાને જણાવ્યું હતુ કે, ગાંધીજી અહિંસાના પુજારી હતા તેના હત્યારાની પ્રતિમા મૂકીને આ લોકો શું સાબીત કરવા માંગે છે ?અમે એસ.પીને રજૂઆત કરીને આવા સંગઠન પર પ્રતિબંધની માંગણી કરીશું. પોલીસ ફરિયાદ અને જરૂર પડે તો કોર્ટ કાર્યવાહી પણ કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીજીના હત્યાનાં આટલા વર્ષો બાદ પણ સમગ્ર વિશ્વ ગાંધીજીને ભુલી શક્યું નથી કારણ કે ગાંધી એક નામ કે શરીર નહીં પરંતુ એક વિચાર છે.