આ વર્ષે દિવાળીની રજાઓમાં કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકોની પહેલી પસંદગી બન્યું
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ હાઉસફુલ થઇ, ઓનલાઈન ટિકિટ સ્લોટ પણ વધારાયો
SOU ઉપરાંત જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક જેવા તમામ ૧૭ પ્રોજેક્ટો પણ ૬ નવેમ્બર સુધી પ્રવાસીઓએ બુક કરાવી દીધા
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના ૩૦ થી ૩૫ હજાર પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ સીટી, રમાડા હોટલનું પણ બુકીંગ ફૂલ
WatchGujarat. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ દેશ-વિદેશથી પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. સામાન્ય દિવસો કરતાં તહેવારોના સમયમાં લોકો અન્ય પ્રવાસન સ્થળો પર જવાની જગ્યાએ નર્મદા જિલ્લાને પસંદ કરતાં થયા છે. આ વર્ષે દિવાળીની રજાઓમાં પણ કેવડિયા- સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકોની પહેલી પસંદગી બન્યું છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ હાઉસફુલ થઇ ચુકી છે. આ બાબતને ધ્યાને રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા ઓનલાઈન ટિકિટ સ્લોટ પણ વધારાયો છે.
જંગલ સફારીમાં જ ૩૦૦૦ થી વધુ ટિકિટ બુક થઈ ગઈ
ગુજરાતના નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં હાઉસફુલ થઈ ગયું છે. અહિં. દિવાળીની રજાઓમાં ખાસ પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ હાઉસફુલ થઇ ચુકી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવેલ જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક જેવા તમામ ૧૭ પ્રોજેક્ટો પણ ૬ નવેમ્બર સુધી પ્રવાસીઓએ બુક કરાવી દીધા છે. જેમાં જંગલ સફારીમાં જ ૩૦૦૦ થી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે. પ્રવાસીઓની ભારે ભીડના કારણે લોકો પોતાની સગવડ માટે અગાઉ થી જ ઓનલાઇન ટિકિટ લઈને આવી રહ્યાં છે. મહત્વનું છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું ત્યારથી જ તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધીમાં અહિંયા દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ સીટી, રમાડા હોટલનું પણ બુકીંગ ફૂલ થયું
દિવાળી પર પ્રવાસીઓની ભારે ભીડ કેવડિયામાં જોવા મળશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ વધારી દેવામાં આવી છે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના ૩૦ થી ૩૫ હજાર પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ સીટી, રમાડા હોટલનું પણ બુકીંગ ફૂલ થઇ ચૂક્યું છે. જેને જોતા લાગી રહ્યું છે કે આ વર્ષે દિવાળીમાં કેવડિયા ખાતે લોકોની ભારે ભીડ જોવા મળશે. જેથી તંત્ર પણ તેની માટે સજ્જ છે. મહત્વનું છે કે કોરોનાકાળ બાદ પણ કેવડિયામાં પ્રવાસીઓ ભારે સંખ્યામાં મુલાકાત માટે આવ્યા છે. જેને જોતા કેવડિયા પ્રવાસન તંત્ર દ્વારા પણ પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટેની તૈયારીઓ કરવામાં આવી છે.
કોરોનામાં ઓછા કરેલા ઓનલાઈન ટીકીટ સ્લોટ ખુલ્લા મુકાયા
દિવાળીની રજાઓમાં લોકો પ્રવાસન સ્થળો પર પરિવાર સાથે ફરવા જતાં હોય છે. જેમાં લોકો ખાસ કરીને કેવડિયા- સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખૂબ પસંદ કરે છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તમામ ઓનલાઇન ટીકીટના સ્લોટ વધારવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં આ ટીકીટ સ્લોટ ઓછા કર્યા હતા. જેને હવે ખુલ્લા કરી દેવાયા છે. એટલું જ નહીં દિવાળી વેકેશનમાં ખાસ સ્ટેચ્યુ પાસે મુકેલ ઈ-રીક્ષા, ઈ-કાર, ભુલભુલૈયા જેવા નવા પ્રોજેક્ટો પણ પ્રવાસીઓનું નવું આકર્ષણ રહેશે. કોરોના મહામારી બાદ પહેલી વખત આ વર્ષે સહેલાનીઓ દિવાળી વેકેશન કેવડીયા- નર્મદામાં મનાવી શકશે.
- આ વર્ષે દિવાળીની રજાઓમાં કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકોની પહેલી પસંદગી બન્યું
- સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ હાઉસફુલ થઇ, ઓનલાઈન ટિકિટ સ્લોટ પણ વધારાયો
- SOU ઉપરાંત જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક જેવા તમામ ૧૭ પ્રોજેક્ટો પણ ૬ નવેમ્બર સુધી પ્રવાસીઓએ બુક કરાવી દીધા
- સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના ૩૦ થી ૩૫ હજાર પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ સીટી, રમાડા હોટલનું પણ બુકીંગ ફૂલ
WatchGujarat. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ દેશ-વિદેશથી પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. સામાન્ય દિવસો કરતાં તહેવારોના સમયમાં લોકો અન્ય પ્રવાસન સ્થળો પર જવાની જગ્યાએ નર્મદા જિલ્લાને પસંદ કરતાં થયા છે. આ વર્ષે દિવાળીની રજાઓમાં પણ કેવડિયા- સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકોની પહેલી પસંદગી બન્યું છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ હાઉસફુલ થઇ ચુકી છે. આ બાબતને ધ્યાને રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા ઓનલાઈન ટિકિટ સ્લોટ પણ વધારાયો છે.
જંગલ સફારીમાં જ ૩૦૦૦ થી વધુ ટિકિટ બુક થઈ ગઈ
ગુજરાતના નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં હાઉસફુલ થઈ ગયું છે. અહિં. દિવાળીની રજાઓમાં ખાસ પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ હાઉસફુલ થઇ ચુકી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવેલ જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક જેવા તમામ ૧૭ પ્રોજેક્ટો પણ ૬ નવેમ્બર સુધી પ્રવાસીઓએ બુક કરાવી દીધા છે. જેમાં જંગલ સફારીમાં જ ૩૦૦૦ થી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે. પ્રવાસીઓની ભારે ભીડના કારણે લોકો પોતાની સગવડ માટે અગાઉ થી જ ઓનલાઇન ટિકિટ લઈને આવી રહ્યાં છે. મહત્વનું છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું ત્યારથી જ તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધીમાં અહિંયા દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ સીટી, રમાડા હોટલનું પણ બુકીંગ ફૂલ થયું
દિવાળી પર પ્રવાસીઓની ભારે ભીડ કેવડિયામાં જોવા મળશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ વધારી દેવામાં આવી છે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના ૩૦ થી ૩૫ હજાર પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ સીટી, રમાડા હોટલનું પણ બુકીંગ ફૂલ થઇ ચૂક્યું છે. જેને જોતા લાગી રહ્યું છે કે આ વર્ષે દિવાળીમાં કેવડિયા ખાતે લોકોની ભારે ભીડ જોવા મળશે. જેથી તંત્ર પણ તેની માટે સજ્જ છે. મહત્વનું છે કે કોરોનાકાળ બાદ પણ કેવડિયામાં પ્રવાસીઓ ભારે સંખ્યામાં મુલાકાત માટે આવ્યા છે. જેને જોતા કેવડિયા પ્રવાસન તંત્ર દ્વારા પણ પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટેની તૈયારીઓ કરવામાં આવી છે.
કોરોનામાં ઓછા કરેલા ઓનલાઈન ટીકીટ સ્લોટ ખુલ્લા મુકાયા
દિવાળીની રજાઓમાં લોકો પ્રવાસન સ્થળો પર પરિવાર સાથે ફરવા જતાં હોય છે. જેમાં લોકો ખાસ કરીને કેવડિયા- સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખૂબ પસંદ કરે છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તમામ ઓનલાઇન ટીકીટના સ્લોટ વધારવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં આ ટીકીટ સ્લોટ ઓછા કર્યા હતા. જેને હવે ખુલ્લા કરી દેવાયા છે. એટલું જ નહીં દિવાળી વેકેશનમાં ખાસ સ્ટેચ્યુ પાસે મુકેલ ઈ-રીક્ષા, ઈ-કાર, ભુલભુલૈયા જેવા નવા પ્રોજેક્ટો પણ પ્રવાસીઓનું નવું આકર્ષણ રહેશે. કોરોના મહામારી બાદ પહેલી વખત આ વર્ષે સહેલાનીઓ દિવાળી વેકેશન કેવડીયા- નર્મદામાં મનાવી શકશે.