UP માં BJP 300 થી વધુ સીટો જીતી બહુમત મેળવી ફરી સરકાર રચશેનો આઠવલેનો આશાવાદ
કોંગ્રેસના નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા ડરે છે, અને જો આવશે તો અદભુત ઇજનેરી કૌશલ્યને જોઈ ચક્કર ખાઈ પડી જશે
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષની ગુજરાતમાં ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવાની પણ મનસા
WatchGujarat. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા એકતાનગરની રવિવારે ભારતના સામાજિક અને ન્યાય અધિકારીકતા મંત્રી રામદાસ આઠવલે મુલાકાત લીધી હતી. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ પક્ષના નથી દેશના છે. પંજાબ સરકારે પ્રધાનમંત્રીની રોડ યાત્રામાં ખામી ઉભી કરી એ ઠીક નથી પંજાબ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવો મત મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો.
દેશના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી તેમજ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલે એ પોતાની પાર્ટીના કાર્યકરો સાથે SOU ની મુલાકાત લીધી હતી. SOU સત્તામંડળ દ્વારા કેન્દ્રિયમંત્રી અને તેમની સાથેના કાર્યકરોને VVIP સુવિધા પૂરી પાડી ડે. સીઇઓ નિલેશ દુબેએ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. સમગ્ર ટીમે 135 મીટરની ઉંચાઈ પર આવેલી વ્યઇંગ ગેલેરીમાં જઈ ને આકાશી નજારો માણ્યો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત વેળા ઇજનેરી કૌશલ્યના ભરપેટ વખાણ કર્યા હતા.
મીડિયા સમક્ષ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એ પંજાબ સરકાર પર કટાક્ષ મારતા જણાવ્યું હતું કે, પંજાબ સરકારે જે કર્યું એ મોટી ચૂક છે. પ્રધાનમંત્રી કોઈ પક્ષના નથી હોતા એ દેશના હોય છે. પંજાબ સરકારે રોડ ક્લિયર કરવાની જવાબદારી પંજાબ પોલીસ અને રાજ્ય સરકારને સોંપી હતી તેની ચૂક છે. જેતે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ અને સરકારને પણ સત્તા ભોગવવાનો કોઈ હક્ક નથી.
જ્યારે ઉત્તરપ્રદેશ UP ચૂંટણી ને લઈને તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગીજીએ ખૂબ જ કામ કર્યું છે. એટલે ફરી BJP જ સત્તામાં આવી જશે. બાકી જે લોકો પક્ષ છોડીને જાય છે. પરંતુ એનાથી કોઈ ફરક નથી પાડવાનો, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ યુ.પી ઇલેક્શન 300 થી વધુ સીટો જીતી બહુમતીથી સરકાર બનાવશે.
ગુજરાતમાં પાટીદારોને OBC માં સમાવવાનો ફરી રાગ કેન્દ્રીય મંત્રીએ આલાપ્યો હતો. તેઓએ ગુજરાત ચૂંટણીમાં પોતાની પાર્ટી ઉતારી ભાજપ સાથે ગઠબંધન કરવાની મનસા પણ વ્યક્ત કરી હતી. કોંગ્રેસીઓ SOU જોવા આવવાથી ડરતા હોવાનું પણ કહ્યું હતું. જો કોંગ્રેસ મુલાકાતે આવશે તો આ ઇજનેરી કૌશલ્ય જોઈ ચક્કર ખાઈ પડી જશે તેવો કટાક્ષ પણ કર્યો હતો.
UP માં BJP 300 થી વધુ સીટો જીતી બહુમત મેળવી ફરી સરકાર રચશેનો આઠવલેનો આશાવાદ
કોંગ્રેસના નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા ડરે છે, અને જો આવશે તો અદભુત ઇજનેરી કૌશલ્યને જોઈ ચક્કર ખાઈ પડી જશે
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષની ગુજરાતમાં ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવાની પણ મનસા
WatchGujarat. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા એકતાનગરની રવિવારે ભારતના સામાજિક અને ન્યાય અધિકારીકતા મંત્રી રામદાસ આઠવલે મુલાકાત લીધી હતી. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ પક્ષના નથી દેશના છે. પંજાબ સરકારે પ્રધાનમંત્રીની રોડ યાત્રામાં ખામી ઉભી કરી એ ઠીક નથી પંજાબ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવો મત મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો.
દેશના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી તેમજ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલે એ પોતાની પાર્ટીના કાર્યકરો સાથે SOU ની મુલાકાત લીધી હતી. SOU સત્તામંડળ દ્વારા કેન્દ્રિયમંત્રી અને તેમની સાથેના કાર્યકરોને VVIP સુવિધા પૂરી પાડી ડે. સીઇઓ નિલેશ દુબેએ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. સમગ્ર ટીમે 135 મીટરની ઉંચાઈ પર આવેલી વ્યઇંગ ગેલેરીમાં જઈ ને આકાશી નજારો માણ્યો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત વેળા ઇજનેરી કૌશલ્યના ભરપેટ વખાણ કર્યા હતા.
મીડિયા સમક્ષ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એ પંજાબ સરકાર પર કટાક્ષ મારતા જણાવ્યું હતું કે, પંજાબ સરકારે જે કર્યું એ મોટી ચૂક છે. પ્રધાનમંત્રી કોઈ પક્ષના નથી હોતા એ દેશના હોય છે. પંજાબ સરકારે રોડ ક્લિયર કરવાની જવાબદારી પંજાબ પોલીસ અને રાજ્ય સરકારને સોંપી હતી તેની ચૂક છે. જેતે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ અને સરકારને પણ સત્તા ભોગવવાનો કોઈ હક્ક નથી.
જ્યારે ઉત્તરપ્રદેશ UP ચૂંટણી ને લઈને તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગીજીએ ખૂબ જ કામ કર્યું છે. એટલે ફરી BJP જ સત્તામાં આવી જશે. બાકી જે લોકો પક્ષ છોડીને જાય છે. પરંતુ એનાથી કોઈ ફરક નથી પાડવાનો, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ યુ.પી ઇલેક્શન 300 થી વધુ સીટો જીતી બહુમતીથી સરકાર બનાવશે.
ગુજરાતમાં પાટીદારોને OBC માં સમાવવાનો ફરી રાગ કેન્દ્રીય મંત્રીએ આલાપ્યો હતો. તેઓએ ગુજરાત ચૂંટણીમાં પોતાની પાર્ટી ઉતારી ભાજપ સાથે ગઠબંધન કરવાની મનસા પણ વ્યક્ત કરી હતી. કોંગ્રેસીઓ SOU જોવા આવવાથી ડરતા હોવાનું પણ કહ્યું હતું. જો કોંગ્રેસ મુલાકાતે આવશે તો આ ઇજનેરી કૌશલ્ય જોઈ ચક્કર ખાઈ પડી જશે તેવો કટાક્ષ પણ કર્યો હતો.