સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ અર્પવાની સાથે વ્યક્ત કર્યો ધન્યતાનો ભાવ
SOU સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું એક ખુબજ દૂરંદેશીથી નિર્માણ પામેલું સ્થાપત્યની દ્રષ્ટિએ અજોડ સ્મારક : ઉદ્યોગ મંત્રી
કેન્દ્રીય મંત્રી રાણેની સાથે કોઇર બોર્ડના અધ્યક્ષ ડી . કુપુરામુ , સચિવ એમ કુમાર રાજા ઉપરાંત બોર્ડના સભ્યો પણ મુલાકાતમાં જોડાયાં
WatchGujarat. કેન્દ્રીય મધ્યમ , લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ વિશ્વ પ્રવાસન દિવસે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલા સ્ટેગ્યુ ઓફ યુનિટી SOU ની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ અર્પવાની સાથે ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
https://twitter.com/souindia/status/1442476699375996939?s=20
ત્યારબાદ રાણેએ 45 માળની ઉંચાઇએ સ્ટેગ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. નંબર વન ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્થળે વિધ્યાંચલ - સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. રાણે સાથે કોઇર બોર્ડના અધ્યક્ષ ડી . કુપુરામુ , સચિવ એમ . કુમાર રાજા તેમજ બોર્ડના સભ્યો પણ મુલાકાતમાં જોડાયાં હતાં.
દરમિયાન નાયબ કલેક્ટર નિલેશ દુબે અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે મંત્રી રાણેને સ્ટેગ્યુ ઓફ યુનિટીના નિર્માણની ટેકનીકલ વિગતોથી વાકેફ કરી જરૂરી જાણકારી પુરી પાડી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીને SOUNDATGA તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે સ્ટેગ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરાઈ હતી. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ સ્ટેગ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે , સ્ટેચ્યું ઓફ યુનિટી એ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું એક ખુબજ દૂરંદેશીથી નિર્માણ પામેલું અને સ્થાપત્યની દ્રષ્ટિએ અજોડ સ્મારક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિથી તે આકાર પામ્યું છે. ભારતમાં આ વિશ્વની સહુથી મોટી પ્રતિમા છે અને આપણા માટે ગર્વની વાત છે . જેમના લીધે આ અજોડ પ્રતિમા સાકાર થઈ એ સમગ્ર ટીમને અભિનંદન આપું છું . સ્ટેગ્યુ ઓફ યુનિટીની જાળવણી અને તેને નવી ઉંચાઈઓ સુધી લઈ જતા વિકાસ માટે પ્રયત્નશીલ સહુનો આભાર માનું છું . સ્ટેગ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રીએ કેવડીયા કોલોની ખાતે યોજાયેલી કોઇર બોર્ડની બેઠકમાં પણ ભાગ લીધો હતો. મંત્રી રાણેએ આજે પ્રધાનમંત્રીની પરિકલ્પના ઇ - વેહિકલ સિટીને વધાવતા ઇ - કારમાં કેવડીયાની સફર કરી હતી.
સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ અર્પવાની સાથે વ્યક્ત કર્યો ધન્યતાનો ભાવ
SOU સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું એક ખુબજ દૂરંદેશીથી નિર્માણ પામેલું સ્થાપત્યની દ્રષ્ટિએ અજોડ સ્મારક : ઉદ્યોગ મંત્રી
કેન્દ્રીય મંત્રી રાણેની સાથે કોઇર બોર્ડના અધ્યક્ષ ડી . કુપુરામુ , સચિવ એમ કુમાર રાજા ઉપરાંત બોર્ડના સભ્યો પણ મુલાકાતમાં જોડાયાં
WatchGujarat. કેન્દ્રીય મધ્યમ , લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ વિશ્વ પ્રવાસન દિવસે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલા સ્ટેગ્યુ ઓફ યુનિટી SOU ની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ અર્પવાની સાથે ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ રાણેએ 45 માળની ઉંચાઇએ સ્ટેગ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. નંબર વન ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્થળે વિધ્યાંચલ - સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. રાણે સાથે કોઇર બોર્ડના અધ્યક્ષ ડી . કુપુરામુ , સચિવ એમ . કુમાર રાજા તેમજ બોર્ડના સભ્યો પણ મુલાકાતમાં જોડાયાં હતાં.
દરમિયાન નાયબ કલેક્ટર નિલેશ દુબે અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે મંત્રી રાણેને સ્ટેગ્યુ ઓફ યુનિટીના નિર્માણની ટેકનીકલ વિગતોથી વાકેફ કરી જરૂરી જાણકારી પુરી પાડી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીને SOUNDATGA તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે સ્ટેગ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરાઈ હતી. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ સ્ટેગ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે , સ્ટેચ્યું ઓફ યુનિટી એ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું એક ખુબજ દૂરંદેશીથી નિર્માણ પામેલું અને સ્થાપત્યની દ્રષ્ટિએ અજોડ સ્મારક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિથી તે આકાર પામ્યું છે. ભારતમાં આ વિશ્વની સહુથી મોટી પ્રતિમા છે અને આપણા માટે ગર્વની વાત છે . જેમના લીધે આ અજોડ પ્રતિમા સાકાર થઈ એ સમગ્ર ટીમને અભિનંદન આપું છું . સ્ટેગ્યુ ઓફ યુનિટીની જાળવણી અને તેને નવી ઉંચાઈઓ સુધી લઈ જતા વિકાસ માટે પ્રયત્નશીલ સહુનો આભાર માનું છું . સ્ટેગ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રીએ કેવડીયા કોલોની ખાતે યોજાયેલી કોઇર બોર્ડની બેઠકમાં પણ ભાગ લીધો હતો. મંત્રી રાણેએ આજે પ્રધાનમંત્રીની પરિકલ્પના ઇ - વેહિકલ સિટીને વધાવતા ઇ - કારમાં કેવડીયાની સફર કરી હતી.