કોરોના સંક્રમણ વધે નહિ તે માટે અંબિકા નિકેતન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો
અહીં દર વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન અહી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે
જો કે ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે,જયારે 15 જાન્યુઆરીથી મંદિર રાબેતા મુજબ જ શરુ રહેશે
WatchGujarat.સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે ત્યારે સુરતનું પ્રાચીન મંદિર અંબિકા નિકેતન મંદિર ઉતરાયણના દિવસે ભક્તો માટે બંધ રહેશે. ઉતરાયણ પર્વને લઈને લાખો ભકતો દર્શનાથે આવતા હોય છે ત્યારે સંક્રમણ વધે નહિ તે માટે અંબિકા નિકેતન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે. જયારે 15 જાન્યુઆરીથી મંદિર રાબેતા મુજબ જ શરુ રહેશે
ઉતરાયણ પર્વ દરમ્યાન લાખો ભક્તો સુરતના પાર્લે પોઈન્ટ રોડ પર આવેલા પ્રાચીન અંબિકા નિકેતન મંદિરે માં અંબે ના દર્શન કરવા આવે છે. અહી ભક્તો ઉતરાયણ પર્વ દરમ્યાન પૂજા અર્ચના કરે છે. અને માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન અહી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. પરંતુ હાલમાં કોરોનાનું સંક્મ્રણ ખુબ જ વધ્યું છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ પર્વ દરમ્યાન એટલે કે 14 જાન્યુઆરીના દિવસે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. જો કે ભક્તો મંદિરની એપ્લીકેશન થકી ઓનલાઈન દર્શન કરી શકશે. 15 જાન્યુઆરીથી મંદિર રાબેતા મુજબ શરુ રહશે. કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે અંબિકા નિકેતન મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અંબિકા નિકેતન મંદિરના ટ્રસ્ટી ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે ઉતરાયણના દિવસે અહી લાખો ભક્તો આવે છે. પરંતુ કોરોનાની સ્થિતિને લઈને માત્ર ઉતરાયણના દિવસે જ મંદિર ભક્તો માટે બંધ રહેશે. ભક્તોને વિનંતી છે કે તેઓ ઓનલાઈન દર્શન કરી શકશે. ભીડ ભેગી ન થાય અને સંક્મ્રણ વધે નહિ તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણ વધે નહિ તે માટે અંબિકા નિકેતન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો
અહીં દર વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન અહી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે
જો કે ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે,જયારે 15 જાન્યુઆરીથી મંદિર રાબેતા મુજબ જ શરુ રહેશે
WatchGujarat.સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે ત્યારે સુરતનું પ્રાચીન મંદિર અંબિકા નિકેતન મંદિર ઉતરાયણના દિવસે ભક્તો માટે બંધ રહેશે. ઉતરાયણ પર્વને લઈને લાખો ભકતો દર્શનાથે આવતા હોય છે ત્યારે સંક્રમણ વધે નહિ તે માટે અંબિકા નિકેતન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે. જયારે 15 જાન્યુઆરીથી મંદિર રાબેતા મુજબ જ શરુ રહેશે
ઉતરાયણ પર્વ દરમ્યાન લાખો ભક્તો સુરતના પાર્લે પોઈન્ટ રોડ પર આવેલા પ્રાચીન અંબિકા નિકેતન મંદિરે માં અંબે ના દર્શન કરવા આવે છે. અહી ભક્તો ઉતરાયણ પર્વ દરમ્યાન પૂજા અર્ચના કરે છે. અને માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન અહી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. પરંતુ હાલમાં કોરોનાનું સંક્મ્રણ ખુબ જ વધ્યું છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ પર્વ દરમ્યાન એટલે કે 14 જાન્યુઆરીના દિવસે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. જો કે ભક્તો મંદિરની એપ્લીકેશન થકી ઓનલાઈન દર્શન કરી શકશે. 15 જાન્યુઆરીથી મંદિર રાબેતા મુજબ શરુ રહશે. કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે અંબિકા નિકેતન મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અંબિકા નિકેતન મંદિરના ટ્રસ્ટી ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે ઉતરાયણના દિવસે અહી લાખો ભક્તો આવે છે. પરંતુ કોરોનાની સ્થિતિને લઈને માત્ર ઉતરાયણના દિવસે જ મંદિર ભક્તો માટે બંધ રહેશે. ભક્તોને વિનંતી છે કે તેઓ ઓનલાઈન દર્શન કરી શકશે. ભીડ ભેગી ન થાય અને સંક્મ્રણ વધે નહિ તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.