પાંડેસરા વિસ્તારમાં આવેલા એટીએમ મશીનમાં થઇ ચોરી
સવારના 4 વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરો એટીએમમાં પ્રવેશ્યા
ઓળખ ન થાય તે માટે કેમેરા પર સ્પ્રે મારી દીધો
WatchGujarat. સુરતના પાંડેસરા સ્થિત ગણેશ નગરમાં આવેલા એસબીઆઈના એટીએમ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. એટીએમ મશીનને કટર અથવા અન્ય કોઈ સાધન વડે તોડી તેમાંથી 31.31 લાખની ચોરી કરી હતી એટલું જ નહી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાને સ્પ્રે મારી દીધો હતો જેથી ઓળખ ન થાય અને બાદમાં ત્યાં ચોરી કરી આગ લગાવી હતી. જેમાં એટીએમ સેન્ટર બળીને ખાખ થઇ ગયું હતું.
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં એટીએમમાંથી લાખોની ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા ગણેશનગર સ્થિત આવેલા જગંદબા ઇન્ડસ્ટ્રીઝમાં એસબીઆઈ બેંકનું એટીએમ આવેલુ છે. સવારના 4 વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરો એટીએમમાં પ્રવેશ્યા હતા અને એટીએમમાં પ્રવેશી ઓળખ ન થાય તે માટે કેમેરા પર સ્પ્રે મારી દીધો હતો અને બાદમાં ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 31.31 લાખની રોકડ ચોરી કરી લીધી હતી. ચોરી કર્યા બાદમાં ત્યાં આગ લાગી હતી. જેમાં એસી સહીત આખું એટીએમ બળીને ખાખ થઇ ગયું હતું
આ બનાવની જાણ થતા પોલીસ અને બેંકના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પ્રથમ તબક્કે એટીએમમાં આગ લાગી હોવાનું અનુમાન હતું પરંતુ રોકડ રકમ ગાયબ હોવાથી ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે પોલીસે એફ.એસ.એલ.ની મદદ પણ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પરંતુ એટીએમમાંથી ચોરી થતા સુરતમાં ચકચાર મચી જવા પામી છે.
WatchGujarat. સુરતના પાંડેસરા સ્થિત ગણેશ નગરમાં આવેલા એસબીઆઈના એટીએમ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. એટીએમ મશીનને કટર અથવા અન્ય કોઈ સાધન વડે તોડી તેમાંથી 31.31 લાખની ચોરી કરી હતી એટલું જ નહી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાને સ્પ્રે મારી દીધો હતો જેથી ઓળખ ન થાય અને બાદમાં ત્યાં ચોરી કરી આગ લગાવી હતી. જેમાં એટીએમ સેન્ટર બળીને ખાખ થઇ ગયું હતું.
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં એટીએમમાંથી લાખોની ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા ગણેશનગર સ્થિત આવેલા જગંદબા ઇન્ડસ્ટ્રીઝમાં એસબીઆઈ બેંકનું એટીએમ આવેલુ છે. સવારના 4 વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરો એટીએમમાં પ્રવેશ્યા હતા અને એટીએમમાં પ્રવેશી ઓળખ ન થાય તે માટે કેમેરા પર સ્પ્રે મારી દીધો હતો અને બાદમાં ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 31.31 લાખની રોકડ ચોરી કરી લીધી હતી. ચોરી કર્યા બાદમાં ત્યાં આગ લાગી હતી. જેમાં એસી સહીત આખું એટીએમ બળીને ખાખ થઇ ગયું હતું
આ બનાવની જાણ થતા પોલીસ અને બેંકના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પ્રથમ તબક્કે એટીએમમાં આગ લાગી હોવાનું અનુમાન હતું પરંતુ રોકડ રકમ ગાયબ હોવાથી ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે પોલીસે એફ.એસ.એલ.ની મદદ પણ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પરંતુ એટીએમમાંથી ચોરી થતા સુરતમાં ચકચાર મચી જવા પામી છે.