લાડવી ગામમાં યોજાયેલા વાછરડા-વાછરડીના લગ્નમાં 10 હજાર લોકો થયા હતા ભેગા
કોવિડ-19ના ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ આયોજક જયંતી મલાણીની ધરપકડ
વિસ્તારમાં ડ્યૂટી પર હાજર રહેલા ચાર પોલીસકર્મીઓને પણ કરાયા ટ્રાન્સફર
WatchGujarat. સુરતમાં થયેલા વાછરડા-વાછરડીનાં લગ્ન ચર્ચામાં રહ્યા હતા.જ્યારે હવે આ લગ્નપ્રસંગનું આયોજન કરનારની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે કોવિડ-19ના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને વાછરડા-વાછરડીના લગ્નપ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં લાડવી ગામમાં 14મી જાન્યુઆરીએ યોજાયેલા કાર્યક્રમમાં 10 હજારથી વધુ લોકો એકઠા થયા હતા.
મળતી માહિતી મુજબ મોટા વરાછાના રહેવાસી જયંતી મલાણીની ગાઈડલાઈનના કથિત ઉલ્લંઘન બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કામરેજ પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટર જે.ડી. મીરે ફરિયાદ નોંધાવી હતી. આરોપી સામે જાહેર સેવક દ્વારા આપવામાં આવેલા આદેશનો ભંગ (188), બેદરકારીભર્યું કૃત્ય (269) સહિતની આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમની સામે એપિડેમિક ડિસીઝ એક્ટ-19 રેગ્યુલેશન એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસના આધારે, એસપી ઉષા રાડા દેસાઈએ જ્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે વિસ્તારમાં ડ્યૂટી પર રહેલા ચાર પોલીસકર્મીઓને ટ્રાન્સફર આપી હતી. આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર જયપાલસિંહ મનુભા, કોન્સ્ટેબલ તુષાર દત્તાત્રેય, લોક રક્ષત દિનેશ રાયસિંહ અને લાલજી મેરને કામરેજ પોલીસ સ્ટેશનમાંથી એલઆઈબી અને રીડર બ્રાંચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે લાડવી ગામમાં શ્રી ઓમ નંદેશ્વર મહાદેવ ટ્રસ્ટ (SONMT) ખાતે એક વર્ષની વાછરડી અને વાછરડાનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. SONMTના શંખેશ્વર નામના વાછરડાના લગ્ન અમરોલીમાં આવેલી ગાંધારી આશ્રમ ગૌશાળાની ચંદ્રમૌલી નામની વાછરડી સાથે યોજાયા હતા. લગ્નના એક દિવસ પહેલા આયોજકે આમંત્રણ પત્રિકા ફરતી કરી હતી. મંદિર ખાતે મોટો મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં સુરતના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાંથી 10 હજાર લોકો ભેગા થયા હતા. એફઆઈઆરમાં પોલીસે આયોજકોએ કોવિડ-19ના પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું હોવાનું નોંધ્યું હતું.
- લાડવી ગામમાં યોજાયેલા વાછરડા-વાછરડીના લગ્નમાં 10 હજાર લોકો થયા હતા ભેગા
- કોવિડ-19ના ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ આયોજક જયંતી મલાણીની ધરપકડ
- વિસ્તારમાં ડ્યૂટી પર હાજર રહેલા ચાર પોલીસકર્મીઓને પણ કરાયા ટ્રાન્સફર
WatchGujarat. સુરતમાં થયેલા વાછરડા-વાછરડીનાં લગ્ન ચર્ચામાં રહ્યા હતા.જ્યારે હવે આ લગ્નપ્રસંગનું આયોજન કરનારની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે કોવિડ-19ના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને વાછરડા-વાછરડીના લગ્નપ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં લાડવી ગામમાં 14મી જાન્યુઆરીએ યોજાયેલા કાર્યક્રમમાં 10 હજારથી વધુ લોકો એકઠા થયા હતા.
મળતી માહિતી મુજબ મોટા વરાછાના રહેવાસી જયંતી મલાણીની ગાઈડલાઈનના કથિત ઉલ્લંઘન બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કામરેજ પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટર જે.ડી. મીરે ફરિયાદ નોંધાવી હતી. આરોપી સામે જાહેર સેવક દ્વારા આપવામાં આવેલા આદેશનો ભંગ (188), બેદરકારીભર્યું કૃત્ય (269) સહિતની આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમની સામે એપિડેમિક ડિસીઝ એક્ટ-19 રેગ્યુલેશન એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસના આધારે, એસપી ઉષા રાડા દેસાઈએ જ્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે વિસ્તારમાં ડ્યૂટી પર રહેલા ચાર પોલીસકર્મીઓને ટ્રાન્સફર આપી હતી. આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર જયપાલસિંહ મનુભા, કોન્સ્ટેબલ તુષાર દત્તાત્રેય, લોક રક્ષત દિનેશ રાયસિંહ અને લાલજી મેરને કામરેજ પોલીસ સ્ટેશનમાંથી એલઆઈબી અને રીડર બ્રાંચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે લાડવી ગામમાં શ્રી ઓમ નંદેશ્વર મહાદેવ ટ્રસ્ટ (SONMT) ખાતે એક વર્ષની વાછરડી અને વાછરડાનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. SONMTના શંખેશ્વર નામના વાછરડાના લગ્ન અમરોલીમાં આવેલી ગાંધારી આશ્રમ ગૌશાળાની ચંદ્રમૌલી નામની વાછરડી સાથે યોજાયા હતા. લગ્નના એક દિવસ પહેલા આયોજકે આમંત્રણ પત્રિકા ફરતી કરી હતી. મંદિર ખાતે મોટો મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં સુરતના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાંથી 10 હજાર લોકો ભેગા થયા હતા. એફઆઈઆરમાં પોલીસે આયોજકોએ કોવિડ-19ના પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું હોવાનું નોંધ્યું હતું.