સુરતમાં પેડ કપલ તરીકે ઓળખાતા વૃદ્ધ દંપતિએ કુપોષણનો શિકાર બનેલા બાળકોને જમાડવાનો સંકલ્પ લીધો છે
રોજના 250 બાળકો માટે આ દંપતિ સવારે વહેલા ઉઠીને કઠોળ, લીલા શાકભાજી તેમજ અન્ય પોષણ યુક્ત આહારના ફૂડ પેકેટ તૈયાર કરે છે
તેઓ છેલ્લા 8 વર્ષથી પછાત અને ગરીબ વર્ગની દીકરીઓ માટે સેનેટરી પેડ અને અંડર ગારમેન્ટ છેલ્લા મફતમાં વહેંચે છે
વ્યક્તિ ઘણું બધું તો નથી કરી શકતો, પણ તેનાથી જેટલું થાય એટલું તો તેણે કરવું જ જોઈએ – વૃદ્ધ દંપતિ
WatchGujarat. સુરતમાં મીના મહેતા અને અતુલ મહેતા છેલ્લા 8 વર્ષથી પછાત અને ગરબી વર્ગની દીકરીઓ માટે સેનેટરી પેડ અને અંડર ગારમેન્ટ વિનામુલ્યે વહેંચે છે. જેના કારણે આ વૃદ્ધ દંપતિને પેડ કપલ તરીકે ઓળખવામાં આવે છે. આ પેડ કપલ તરીકે ઓળખાતા વૃદ્ધ દંપતિએ વધુ એ સંકલ્પ લીધો છે. જેના કારણે કુપોષણથી પીડાતા 250 બાળકોને રોજ ઘરનું બનાવેલું ગરમાગરમ ભોજન મળે છે. આ વૃદ્ધ દંપતિએ કુપોષણનો શિકાર બનેલા બાળકોને જમાડવાનો સંકલ્પ લીધો છે. તેઓ દરરોજ પોતાના હાથેથી બનાવેલું ગરમા ગરમ અને પોષણયુક્ત ભોજન કુપોષણથી પીડાતા બાળકો સુધી પહોંચાડે છે.
કોરોનાકાળની લોકો પર ઘણી માઠી અસર પડી છે. પરંતુ તેમાં સૌથી વધારે ભોગવ્યુ હોય તો તે છે મજુર વર્ગ. કોરોનાકાળ પછી મજુર વર્ગની પરિસ્થિતિ એવી બગડી છે કે તેમના પરિવારને બે સમય પૂરતું ખાવાનું પણ નસીબ નથી થતું. જેના કારણે તેઓના બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે. ત્યારે સુરતના મીના મહેતા અને અતુલ મહેતા દ્વારા રોજ ગરીબ વર્ગના બાળકોને પોતાના હાથેથી તૈયાર કરેલું ભોજન આપે છે. પોતાના આ સંકલ્પ અંગે જણાવતાં તેઓએ જણાવ્યું હતું કે, “જયારે કોરોના મહામારીએ શહેરભરમાં ભરડો લીધો, ત્યારે લોકોના ધંધા રોજગાર બંધ થયા હતા. તેવામાં સૌથી કફોડી હાલત રસ્તા પર રખડતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોની થઇ છે. તેમને પોષણક્ષમ ખોરાક પણ મળી શકતો ન હતો. જેથી અમે નીર્ધાર કર્યો કે આ બાળકોને પોતાના હાથેથી બનાવેલું ભોજન ખવડાવીશું.”
મહત્વનું છે કે આ દંપતી પછાત અને ગરીબ વર્ગની દીકરીઓ માટે સેનેટરી પેડ અને અંડર ગારમેન્ટ છેલ્લા 8 વર્ષથી મફતમાં વહેંચે છે. તેઓએ આ દીકરીઓની વ્યથા ખુબ નજીકથી નિહાળી છે. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ આ સેવાકીય કાર્ય કરતા આવ્યા છે. પોતાના સંકલ્પ થકી આ દંપતી અત્યાર સુધી 25 હજાર જેટલા બાળકોને જમાડી ચૂક્યું છે. એટલું જ નહીં તેઓએ 19 વૃધ્ધોને પણ દત્તક લીધા છે. જેમને પણ રાત્રે જમવાનું અપાય છે. પોષણ માટે શિરો, ચીકી, ફરસાણ વગેરે વાનગીઓ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ દંપતિ દ્વારા રોજ કોરોના સમયથી આજદિન સુધી ગરીબ વર્ગના બાળકોને જમાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જેથી આ ઉંમરે પણ તેઓ સવારે વહેલા ઉઠીને કઠોળ, લીલા શાકભાજી તેમજ અન્ય પોષણયુક્ત આહારના ફૂડ પેકેટ તૈયાર કરે છે અને એક પણ દિવસ ભૂલ્યા વિના રોજના 250 બાળકો સુધી તે પહોંચે તેવા પ્રયત્નો કરે છે. તેઓ સવાર સાંજ 5 થી 6 કલાકમાં જાતે જ જમવાનું બનાવીને ફૂડ પેકેટ તૈયાર કરે છે. તેમનું કહેવું છે કે, “દરેક વ્યક્તિ ઘણું બધું તો નથી કરી શકતો, પણ તેનાથી જેટલું થાય એટલું તો તેણે કરવું જ જોઈએ.” ઈશ્વરના આશીર્વાદ સાથે આજે તેઓ પોતાનાથી થાય તેટલા પ્રયત્નોથી ગરીબ અને કુપોષણથી પીડાતા બાળકો સુધી આ ભોજન પહોંચાડવાનો પ્રયાસ કરે છે.
સુરતમાં પેડ કપલ તરીકે ઓળખાતા વૃદ્ધ દંપતિએ કુપોષણનો શિકાર બનેલા બાળકોને જમાડવાનો સંકલ્પ લીધો છે
રોજના 250 બાળકો માટે આ દંપતિ સવારે વહેલા ઉઠીને કઠોળ, લીલા શાકભાજી તેમજ અન્ય પોષણ યુક્ત આહારના ફૂડ પેકેટ તૈયાર કરે છે
તેઓ છેલ્લા 8 વર્ષથી પછાત અને ગરીબ વર્ગની દીકરીઓ માટે સેનેટરી પેડ અને અંડર ગારમેન્ટ છેલ્લા મફતમાં વહેંચે છે
વ્યક્તિ ઘણું બધું તો નથી કરી શકતો, પણ તેનાથી જેટલું થાય એટલું તો તેણે કરવું જ જોઈએ – વૃદ્ધ દંપતિ
WatchGujarat. સુરતમાં મીના મહેતા અને અતુલ મહેતા છેલ્લા 8 વર્ષથી પછાત અને ગરબી વર્ગની દીકરીઓ માટે સેનેટરી પેડ અને અંડર ગારમેન્ટ વિનામુલ્યે વહેંચે છે. જેના કારણે આ વૃદ્ધ દંપતિને પેડ કપલ તરીકે ઓળખવામાં આવે છે. આ પેડ કપલ તરીકે ઓળખાતા વૃદ્ધ દંપતિએ વધુ એ સંકલ્પ લીધો છે. જેના કારણે કુપોષણથી પીડાતા 250 બાળકોને રોજ ઘરનું બનાવેલું ગરમાગરમ ભોજન મળે છે. આ વૃદ્ધ દંપતિએ કુપોષણનો શિકાર બનેલા બાળકોને જમાડવાનો સંકલ્પ લીધો છે. તેઓ દરરોજ પોતાના હાથેથી બનાવેલું ગરમા ગરમ અને પોષણયુક્ત ભોજન કુપોષણથી પીડાતા બાળકો સુધી પહોંચાડે છે.
કોરોનાકાળની લોકો પર ઘણી માઠી અસર પડી છે. પરંતુ તેમાં સૌથી વધારે ભોગવ્યુ હોય તો તે છે મજુર વર્ગ. કોરોનાકાળ પછી મજુર વર્ગની પરિસ્થિતિ એવી બગડી છે કે તેમના પરિવારને બે સમય પૂરતું ખાવાનું પણ નસીબ નથી થતું. જેના કારણે તેઓના બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે. ત્યારે સુરતના મીના મહેતા અને અતુલ મહેતા દ્વારા રોજ ગરીબ વર્ગના બાળકોને પોતાના હાથેથી તૈયાર કરેલું ભોજન આપે છે. પોતાના આ સંકલ્પ અંગે જણાવતાં તેઓએ જણાવ્યું હતું કે, “જયારે કોરોના મહામારીએ શહેરભરમાં ભરડો લીધો, ત્યારે લોકોના ધંધા રોજગાર બંધ થયા હતા. તેવામાં સૌથી કફોડી હાલત રસ્તા પર રખડતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોની થઇ છે. તેમને પોષણક્ષમ ખોરાક પણ મળી શકતો ન હતો. જેથી અમે નીર્ધાર કર્યો કે આ બાળકોને પોતાના હાથેથી બનાવેલું ભોજન ખવડાવીશું.”
મહત્વનું છે કે આ દંપતી પછાત અને ગરીબ વર્ગની દીકરીઓ માટે સેનેટરી પેડ અને અંડર ગારમેન્ટ છેલ્લા 8 વર્ષથી મફતમાં વહેંચે છે. તેઓએ આ દીકરીઓની વ્યથા ખુબ નજીકથી નિહાળી છે. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ આ સેવાકીય કાર્ય કરતા આવ્યા છે. પોતાના સંકલ્પ થકી આ દંપતી અત્યાર સુધી 25 હજાર જેટલા બાળકોને જમાડી ચૂક્યું છે. એટલું જ નહીં તેઓએ 19 વૃધ્ધોને પણ દત્તક લીધા છે. જેમને પણ રાત્રે જમવાનું અપાય છે. પોષણ માટે શિરો, ચીકી, ફરસાણ વગેરે વાનગીઓ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ દંપતિ દ્વારા રોજ કોરોના સમયથી આજદિન સુધી ગરીબ વર્ગના બાળકોને જમાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જેથી આ ઉંમરે પણ તેઓ સવારે વહેલા ઉઠીને કઠોળ, લીલા શાકભાજી તેમજ અન્ય પોષણયુક્ત આહારના ફૂડ પેકેટ તૈયાર કરે છે અને એક પણ દિવસ ભૂલ્યા વિના રોજના 250 બાળકો સુધી તે પહોંચે તેવા પ્રયત્નો કરે છે. તેઓ સવાર સાંજ 5 થી 6 કલાકમાં જાતે જ જમવાનું બનાવીને ફૂડ પેકેટ તૈયાર કરે છે. તેમનું કહેવું છે કે, “દરેક વ્યક્તિ ઘણું બધું તો નથી કરી શકતો, પણ તેનાથી જેટલું થાય એટલું તો તેણે કરવું જ જોઈએ.” ઈશ્વરના આશીર્વાદ સાથે આજે તેઓ પોતાનાથી થાય તેટલા પ્રયત્નોથી ગરીબ અને કુપોષણથી પીડાતા બાળકો સુધી આ ભોજન પહોંચાડવાનો પ્રયાસ કરે છે.