આજે ધનતેરસના પાવન દિવસ નિમિતે લોકો સોના-ચાંદીના દાગીના કે લગડી ખરીદીને શુકન કરશે
ધનતેરસના દિવસે સવારથી જ સુરતમાં જ્વેલર્સની દુકાનોમાં લાંબી કતારો જોવા મળી
સોના-ચાંદીની ખરીદી માટે લોકોએ અગાઉથી જ જ્વેલરીનું બુકિંગ પણ કરાવી દીધુ છે
આ વર્ષે ધનતેરસ નિમિતે સારે એવો વ્યાપાર થશે તેવી વેપારીઓને આશા
WatchGujarat. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી કોઈ પણ પર્વની ઉજવણી થઈ શકી ન હતી. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે છૂટછાટ આપી છે. જેથી તહેવારોને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ધનતેરસના દિવસે લોકો સોના ચાંદીના દાગીના કે લગડી ખરીદીને પણ શુકન સાચવતા હોય છે. ત્યારે સુરતમાં આજે સવારથી જ લોકોની લાંબી કતારો જવેલર્સની દુકાનોમાં જોવા મળી હતી. એટલું જ નહીં કેટલાંક લોકોએ તો અગાઉ થી જ સોના-ચાંદીના દાગીના સહિતની જ્વેલરીનું બુકિંગ પણ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
પુષ્ય નક્ષત્રમાં પણ ૮૦ કરોડની આસપાસનો વ્યપાર જવેલર્સને ત્યાં નોંધાયો
આ વર્ષે સંક્રમણ ઓછું થતા સરકારે છૂટછાટ આપી છે. ત્યારે છેલ્લા એક સપ્તાહથી બજારોમાં પણ લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. તેમાં પણ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેને લઈને લોકો મોટી સંખ્યામાં ખરીદી કરતા પણ નજરે ચડી રહ્યા છે. દિવાળીના તહેવાર પહેલા પુષ્ય નક્ષત્રમાં પણ ૮૦ કરોડની આસપાસનો વ્યપાર જવેલર્સને ત્યાં નોંધાયો હતો. ત્યારે હવે ધનતેરસના દિવસે તો જ્વેલર્સની દુકાનોની બહાર લોકોની ભીડ ઉમટી છે. જેથી આજે સારો એવો વ્યાપાર થવાની આશા જ્વેલર્સો સેવીને બેઠા છે.
https://youtu.be/bDS2oT6-C5U
આ ઉપરાંત સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. જેથી ધનતેરસ પર્વને લઈને સોના-ચાંદીની ખરીદી માટે લોકોની કતારો જોવા મળી હતી. છેલ્લી ઘડીએ ઘસારો અટકાવવા માટે અનેક લોકોએ એડવાન્સમાં બુકિંગ કરી પણ દીધા હોવાની વિગતો મળી હતી. ધન તેરસના દિવસે સોના ચાંદીના દાગીનામાં સૌથી વધુ ખરીદી ચાંદીના વાસણની કરવામાં આવતી હોય છે. જયારે કેટલાક લોકો સોના ચાંદીનાની લગડી પણ ખરીદતા હોય છે. ચાંદીના વાસણમાં ગ્લાસ, ભગવાનને લગતા વાસણ જેવા ચાંદીની થાળી, વાસળી, ચમચી, લોટો જેવા વાસણની ખરીદી પણ કરવામાં આવી રહી છે.
- આજે ધનતેરસના પાવન દિવસ નિમિતે લોકો સોના-ચાંદીના દાગીના કે લગડી ખરીદીને શુકન કરશે
- ધનતેરસના દિવસે સવારથી જ સુરતમાં જ્વેલર્સની દુકાનોમાં લાંબી કતારો જોવા મળી
- સોના-ચાંદીની ખરીદી માટે લોકોએ અગાઉથી જ જ્વેલરીનું બુકિંગ પણ કરાવી દીધુ છે
- આ વર્ષે ધનતેરસ નિમિતે સારે એવો વ્યાપાર થશે તેવી વેપારીઓને આશા
WatchGujarat. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી કોઈ પણ પર્વની ઉજવણી થઈ શકી ન હતી. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે છૂટછાટ આપી છે. જેથી તહેવારોને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ધનતેરસના દિવસે લોકો સોના ચાંદીના દાગીના કે લગડી ખરીદીને પણ શુકન સાચવતા હોય છે. ત્યારે સુરતમાં આજે સવારથી જ લોકોની લાંબી કતારો જવેલર્સની દુકાનોમાં જોવા મળી હતી. એટલું જ નહીં કેટલાંક લોકોએ તો અગાઉ થી જ સોના-ચાંદીના દાગીના સહિતની જ્વેલરીનું બુકિંગ પણ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
પુષ્ય નક્ષત્રમાં પણ ૮૦ કરોડની આસપાસનો વ્યપાર જવેલર્સને ત્યાં નોંધાયો
આ વર્ષે સંક્રમણ ઓછું થતા સરકારે છૂટછાટ આપી છે. ત્યારે છેલ્લા એક સપ્તાહથી બજારોમાં પણ લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. તેમાં પણ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેને લઈને લોકો મોટી સંખ્યામાં ખરીદી કરતા પણ નજરે ચડી રહ્યા છે. દિવાળીના તહેવાર પહેલા પુષ્ય નક્ષત્રમાં પણ ૮૦ કરોડની આસપાસનો વ્યપાર જવેલર્સને ત્યાં નોંધાયો હતો. ત્યારે હવે ધનતેરસના દિવસે તો જ્વેલર્સની દુકાનોની બહાર લોકોની ભીડ ઉમટી છે. જેથી આજે સારો એવો વ્યાપાર થવાની આશા જ્વેલર્સો સેવીને બેઠા છે.
આ ઉપરાંત સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. જેથી ધનતેરસ પર્વને લઈને સોના-ચાંદીની ખરીદી માટે લોકોની કતારો જોવા મળી હતી. છેલ્લી ઘડીએ ઘસારો અટકાવવા માટે અનેક લોકોએ એડવાન્સમાં બુકિંગ કરી પણ દીધા હોવાની વિગતો મળી હતી. ધન તેરસના દિવસે સોના ચાંદીના દાગીનામાં સૌથી વધુ ખરીદી ચાંદીના વાસણની કરવામાં આવતી હોય છે. જયારે કેટલાક લોકો સોના ચાંદીનાની લગડી પણ ખરીદતા હોય છે. ચાંદીના વાસણમાં ગ્લાસ, ભગવાનને લગતા વાસણ જેવા ચાંદીની થાળી, વાસળી, ચમચી, લોટો જેવા વાસણની ખરીદી પણ કરવામાં આવી રહી છે.