સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપ્પન થયું
સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશી ના નેજા હેઠળ 1000 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી
છેલ્લા 5 વર્ષથી અમારી સંસ્થા દ્વારા નહેરોમાંથી POP ની અર્ધવીસર્જિત રઝળતી અસંખ્ય મૂર્તિઓ કાઢતા આવ્યા છે - સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશી
WatchGujarat. સુરતમાં અનંત ચૌદશના રોજ શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POP ની બનેલી ગણેશજીની 1000 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુન વિસર્જન કરવામાં આવી હતી.
સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપ્પન થયું હતું. મનપાએ કુત્રિમ તળાવો પણ બનાવ્યા હતા. પરંતુ સુરતમાં કેટલીક મૂર્તિઓનું નહેરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશી ના નેજા હેઠળ સુરતની ડીંડોલી, ચલથાણ જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપી ની બનેલી ગણેશજીની 1000 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. આ કાર્યમાં ઉધના પાંડેસરના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100 થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી.
સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી અમારી સંસ્થા દ્વારા નહેરોમાંથી POP ની અર્ધવીસર્જિત રઝળતી અસંખ્ય મૂર્તિઓ કાઢતા આવ્યા છે. અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિ સ્થાપના કરવા જાગૃત કરતા આવ્યા છે. આજે પણ નહેરમાંથી ગણેશજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં મળી આવી હતી. 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી-દેવતાની પ્રતિમાઓને આ રીતે ગંદા પાણીમાં વિસર્જન કરવું દુઃખદ છે. સંસ્કૃતિ ની રક્ષા માટે સંસ્થા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથાપીઓપી ની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારના રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે. આ કાર્યમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ, વીર સેના ગ્રુપ તેમજ અન્ય સંગઠનો ના સહભાગથી કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.
સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપ્પન થયું
સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશી ના નેજા હેઠળ 1000 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી
છેલ્લા 5 વર્ષથી અમારી સંસ્થા દ્વારા નહેરોમાંથી POP ની અર્ધવીસર્જિત રઝળતી અસંખ્ય મૂર્તિઓ કાઢતા આવ્યા છે - સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશી
WatchGujarat. સુરતમાં અનંત ચૌદશના રોજ શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POP ની બનેલી ગણેશજીની 1000 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુન વિસર્જન કરવામાં આવી હતી.
સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપ્પન થયું હતું. મનપાએ કુત્રિમ તળાવો પણ બનાવ્યા હતા. પરંતુ સુરતમાં કેટલીક મૂર્તિઓનું નહેરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશી ના નેજા હેઠળ સુરતની ડીંડોલી, ચલથાણ જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપી ની બનેલી ગણેશજીની 1000 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. આ કાર્યમાં ઉધના પાંડેસરના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100 થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી.
સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી અમારી સંસ્થા દ્વારા નહેરોમાંથી POP ની અર્ધવીસર્જિત રઝળતી અસંખ્ય મૂર્તિઓ કાઢતા આવ્યા છે. અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિ સ્થાપના કરવા જાગૃત કરતા આવ્યા છે. આજે પણ નહેરમાંથી ગણેશજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં મળી આવી હતી. 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી-દેવતાની પ્રતિમાઓને આ રીતે ગંદા પાણીમાં વિસર્જન કરવું દુઃખદ છે. સંસ્કૃતિ ની રક્ષા માટે સંસ્થા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથાપીઓપી ની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારના રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે. આ કાર્યમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ, વીર સેના ગ્રુપ તેમજ અન્ય સંગઠનો ના સહભાગથી કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.