સાંસદ સી.આર.પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કડક નિણર્યો લઇ રહ્યા છે
એક પછી એક નિવેદનો બાદ હવે ભાજપના કાર્યકરોમાં જ છૂપો રોષ સામે આવી રહ્યો છે
ભાજપના પુર્વ કોર્પોરેટરના નિવેદનને કારણે વિવાદ સર્જાયો છે
શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી હવે પુર્વ કોર્પોરેટર સામે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું
WatchGujarat. સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની એક પોસ્ટથી હડકપ મચી ગયો છે. પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલે ફેસબુક પર લખ્યું હતું કે સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ જી, સી આર પાટીલ જ ભારતીય જનતા પાર્ટી છે એવું બતાવવાનું બંધ કરે, આવી તાંજબાજી આજસુધી કોઈ પણ પ્રદેશ અધ્યક્ષએ નથી કરી, 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કરવાનું બંધ કરે..
સાંસદ સી.આર.પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કડક નિણર્યો લઇ રહ્યા છે. મહાનગર પાલિકાની ચુંટણી વખતે પણ તેઓએ આકરા ક્રાઈટેરિયા અપનાવ્યા હતા. આ ઉપરાંત સેલવાસમાં પણ તેઓએ ટીકીટ માટે દોડધામ કરતા કાર્યકરો અને અગ્રણીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જો કે એક પછી એક નિવેદનો બાદ હવે ભાજપના કાર્યકરોમાં જ છૂપો રોષ સામે આવી રહ્યો છે. સુરતમાં પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલની એક પોસ્ટે સુરતમાં રાજકારણ ગરમાવી દીધું છે
રાજુ અગ્રવાલે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ જી, સી આર પાટીલ જ ભારતીય જનતા પાર્ટી છે એવું બતાવવાનું બંધ કરે, આવી તાંજબાજી આજસુધી કોઈ પણ પ્રદેશ અધ્યક્ષએ નથી કરી, 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કરવાનું બંધ કરે.. તેઓના આ પોસ્ટને લઈને સુરત સહીત ગુજરાતમાં હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલ વાલાએ પણ આ પોસ્ટ શેર કરી હતી અને તેની ઉપર લખ્યું હતું કે ઘમંડ રાવણનો પણ ચકનાચૂર થયેલ છે...!! આ તો કાંઈ ના કહેવાય...
સાંસદ સી.આર.પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કડક નિણર્યો લઇ રહ્યા છે
એક પછી એક નિવેદનો બાદ હવે ભાજપના કાર્યકરોમાં જ છૂપો રોષ સામે આવી રહ્યો છે
ભાજપના પુર્વ કોર્પોરેટરના નિવેદનને કારણે વિવાદ સર્જાયો છે
શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી હવે પુર્વ કોર્પોરેટર સામે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું
WatchGujarat. સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની એક પોસ્ટથી હડકપ મચી ગયો છે. પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલે ફેસબુક પર લખ્યું હતું કે સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ જી, સી આર પાટીલ જ ભારતીય જનતા પાર્ટી છે એવું બતાવવાનું બંધ કરે, આવી તાંજબાજી આજસુધી કોઈ પણ પ્રદેશ અધ્યક્ષએ નથી કરી, 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કરવાનું બંધ કરે..
સાંસદ સી.આર.પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કડક નિણર્યો લઇ રહ્યા છે. મહાનગર પાલિકાની ચુંટણી વખતે પણ તેઓએ આકરા ક્રાઈટેરિયા અપનાવ્યા હતા. આ ઉપરાંત સેલવાસમાં પણ તેઓએ ટીકીટ માટે દોડધામ કરતા કાર્યકરો અને અગ્રણીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જો કે એક પછી એક નિવેદનો બાદ હવે ભાજપના કાર્યકરોમાં જ છૂપો રોષ સામે આવી રહ્યો છે. સુરતમાં પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલની એક પોસ્ટે સુરતમાં રાજકારણ ગરમાવી દીધું છે
રાજુ અગ્રવાલે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ જી, સી આર પાટીલ જ ભારતીય જનતા પાર્ટી છે એવું બતાવવાનું બંધ કરે, આવી તાંજબાજી આજસુધી કોઈ પણ પ્રદેશ અધ્યક્ષએ નથી કરી, 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કરવાનું બંધ કરે.. તેઓના આ પોસ્ટને લઈને સુરત સહીત ગુજરાતમાં હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલ વાલાએ પણ આ પોસ્ટ શેર કરી હતી અને તેની ઉપર લખ્યું હતું કે ઘમંડ રાવણનો પણ ચકનાચૂર થયેલ છે...!! આ તો કાંઈ ના કહેવાય...