સુરતના મહુવા તાલુકાના કુમકોતર ગામગામે જોરાવરપીરની દરગાહ આવેલી છે
દર્શન કર્યા બાદ પરિવારના સભ્યો નાહવા ગયાં જ્યાં દુર્ઘટના ઘટી
ફાયર વિભાગની સાથે સાથે મહુવા પોલીસને પણ આ ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી
WatchGujarat. સુરતમાં તહેવારોની રજા એક પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગઈ છે. જ્યાં દર્શનાર્થે આવેલા પરિવાર સાથે એક કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં એક મહિલાની મોત થયું છે જયારે પરિવારના અન્ય સભ્યોની શોધખોળ હજી ચાલી રહી છે.
ઘટના એમ બની હતી કે સુરતના મહુવા તાલુકાના કુમકોતર ગામગામે જોરાવરપીરની દરગાહ આવેલી છે. જ્યાં રજાના દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ દરગાહ પર રજાના દિવસોમાં લોકોની સૌથી વધારે ભીડ રહે છે. કૌરવરપીરની દરગાહ પાસે જ અંબિકા નદી પણ પસાર થાય છે.
દર્શન કર્યા બાદ અહીં આવતા લોકો આ નદીના પાણીમાં નાહવાની પણ મજા લે છે. ત્યારે આ નદીમાં આજે નાહવા પડેલા પાંચ સભ્યો ડૂબી ગયા હતા. સ્થાનિકોએ જોતા જ તેઓને બચાવવાના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ ડૂબવા પડેલા પાંચ સભ્યો પૈકી ફક્ત એક મહિલાનો મૃતદેહ જ બહાર કાઢી શકાયો હતો. જયારે પરિવારના બાકીના ચાર સભ્યોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સ્થાનિકોએ આ ઘટનાની જાણ બારડોલી ફાયર બ્રિગેડને પણ કરી હતી. ફાયર વિભાગના સ્ટાફ અને તરવૈયાઓ દ્વારા અન્ય ચાર વ્યક્તિઓને શોદવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ હજી સુધી તેમની કોઈ શોધખોળ થઇ શકી નથી.
મળતી માહિતી પ્રમાણે અંબિકા નદીમાં ડૂબેલા પરિવારના આ તમામ સભ્યો સુરતના લીંબાયત વિસ્તારના મીઠી ખાડીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. દર્શન પછી તેઓ નાહવા ગયા હતા જ્યાં તેમની સાથે આ બનાવ બન્યો હતો. ફાયર વિભાગની સાથે સાથે મહુવા પોલીસને પણ આ ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના મહુવા તાલુકાના કુમકોતર ગામગામે જોરાવરપીરની દરગાહ આવેલી છે
દર્શન કર્યા બાદ પરિવારના સભ્યો નાહવા ગયાં જ્યાં દુર્ઘટના ઘટી
ફાયર વિભાગની સાથે સાથે મહુવા પોલીસને પણ આ ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી
WatchGujarat. સુરતમાં તહેવારોની રજા એક પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગઈ છે. જ્યાં દર્શનાર્થે આવેલા પરિવાર સાથે એક કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં એક મહિલાની મોત થયું છે જયારે પરિવારના અન્ય સભ્યોની શોધખોળ હજી ચાલી રહી છે.
ઘટના એમ બની હતી કે સુરતના મહુવા તાલુકાના કુમકોતર ગામગામે જોરાવરપીરની દરગાહ આવેલી છે. જ્યાં રજાના દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ દરગાહ પર રજાના દિવસોમાં લોકોની સૌથી વધારે ભીડ રહે છે. કૌરવરપીરની દરગાહ પાસે જ અંબિકા નદી પણ પસાર થાય છે.
દર્શન કર્યા બાદ અહીં આવતા લોકો આ નદીના પાણીમાં નાહવાની પણ મજા લે છે. ત્યારે આ નદીમાં આજે નાહવા પડેલા પાંચ સભ્યો ડૂબી ગયા હતા. સ્થાનિકોએ જોતા જ તેઓને બચાવવાના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ ડૂબવા પડેલા પાંચ સભ્યો પૈકી ફક્ત એક મહિલાનો મૃતદેહ જ બહાર કાઢી શકાયો હતો. જયારે પરિવારના બાકીના ચાર સભ્યોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સ્થાનિકોએ આ ઘટનાની જાણ બારડોલી ફાયર બ્રિગેડને પણ કરી હતી. ફાયર વિભાગના સ્ટાફ અને તરવૈયાઓ દ્વારા અન્ય ચાર વ્યક્તિઓને શોદવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ હજી સુધી તેમની કોઈ શોધખોળ થઇ શકી નથી.
મળતી માહિતી પ્રમાણે અંબિકા નદીમાં ડૂબેલા પરિવારના આ તમામ સભ્યો સુરતના લીંબાયત વિસ્તારના મીઠી ખાડીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. દર્શન પછી તેઓ નાહવા ગયા હતા જ્યાં તેમની સાથે આ બનાવ બન્યો હતો. ફાયર વિભાગની સાથે સાથે મહુવા પોલીસને પણ આ ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.