સુરત શહેરમાં કોવિડ મૃતકોને આર્થિક સહાય ચૂકવવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી
રવિવારે રજા હોવા છતાં જિલ્લા કલેક્ટર આયુષ ઓકે સુરતમાં 186 અને સાંજ સુધીમાં કુલ 282 દરખાસ્તોને મંજૂરી આપી
અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લાના કુલ 418 પરિવારોને આર્થિક સહાયની દરખાસ્તો મંજૂર કરવામાં આવી
કોરોના મહામારી દરમ્યાન મોતને ભેટનાર વ્યક્તિના પરિવારજનોને આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા 50 હજાર રૂપિયા ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે
WatchGujarat. છેલ્લા ચાર દિવસમાં સુરત શહેર અને જિલ્લાના 418 કોવિડ મૃતકોના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી હતી. પ્રથમ દિવસે 34, બીજા દિવસે 102 અને ત્રીજા દિવસે 282 પરિવારોને 50 હજારની સહાય ચૂકવવાની દરખાસ્તને કલેક્ટર દ્વારા મંજૂર કરવામાં આવી હતી. ગયા ગુરુવારે સહાય આપવાનું શરૂ થયું હતું. આ પછી શનિવાર-રવિવારની રજાના દિવસે પણ દરખાસ્ત તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
રવિવારે પ્રથમ વખત કલેક્ટરે શહેરની 186 દરખાસ્તો મંજૂર કરી હતી. આ સાથે બારડોલીની 56, માંડવીની 9, માંગરોળની 9, પલસાણાની 14 અને ઓલપાડની 8 દરખાસ્તો પણ મંજૂર કરવામાં આવી હતી.
સુરત શહેરમાં કોવિડ મૃતકોને આર્થિક સહાય ચૂકવવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મોટાભાગની અરજીઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. નવી અરજીઓ હજુ પણ આવી રહી છે. શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. જે બાદ સુરત શહેરની 186 અરજીઓની દરખાસ્ત તૈયાર કરીને રવિવારે કલેકટરની મંજુરી માટે મોકલી આપવામાં આવી હતી.
દરમિયાન રવિવારે રજા હોવા છતાં જિલ્લા કલેક્ટર આયુષ ઓકે સુરતમાં 186 અને સાંજ સુધીમાં કુલ 282 દરખાસ્તોને મંજૂરી આપી હતી. કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપ્યા બાદ હવે સોમવારે તમામ પરિવારોના બેંક ખાતામાં સહાય જમા કરવામાં આવશે. અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લાના કુલ 418 પરિવારોને આર્થિક સહાયની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. તેમાંથી મોટાભાગના પરિવારોના બેંક ખાતામાં સહાયની રકમ જમા થઈ ગઈ છે..
મીડિયા રિપોર્ટ પ્રમાણે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય કરવામાં સુરત રાજ્યમાં મોખરે છે. કોરોના મહામારી દરમ્યાન મોતને ભેટનાર વ્યક્તિના પરિવારજનોને આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા 50 હજાર રૂપિયા ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, સુરત શહેર અને જિલ્લામાં 100થી વધુ એક પરિવારો છે જેઓએ આ મહામારીમાં પોતાના સ્વજન ગુમાવ્યા હોવા છતાં સરકારની આર્થિક સહાય લેવાનો ઈન્કાર કરી દીધો છે.
- સુરત શહેરમાં કોવિડ મૃતકોને આર્થિક સહાય ચૂકવવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી
- રવિવારે રજા હોવા છતાં જિલ્લા કલેક્ટર આયુષ ઓકે સુરતમાં 186 અને સાંજ સુધીમાં કુલ 282 દરખાસ્તોને મંજૂરી આપી
- અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લાના કુલ 418 પરિવારોને આર્થિક સહાયની દરખાસ્તો મંજૂર કરવામાં આવી
- કોરોના મહામારી દરમ્યાન મોતને ભેટનાર વ્યક્તિના પરિવારજનોને આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા 50 હજાર રૂપિયા ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે
WatchGujarat. છેલ્લા ચાર દિવસમાં સુરત શહેર અને જિલ્લાના 418 કોવિડ મૃતકોના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી હતી. પ્રથમ દિવસે 34, બીજા દિવસે 102 અને ત્રીજા દિવસે 282 પરિવારોને 50 હજારની સહાય ચૂકવવાની દરખાસ્તને કલેક્ટર દ્વારા મંજૂર કરવામાં આવી હતી. ગયા ગુરુવારે સહાય આપવાનું શરૂ થયું હતું. આ પછી શનિવાર-રવિવારની રજાના દિવસે પણ દરખાસ્ત તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
રવિવારે પ્રથમ વખત કલેક્ટરે શહેરની 186 દરખાસ્તો મંજૂર કરી હતી. આ સાથે બારડોલીની 56, માંડવીની 9, માંગરોળની 9, પલસાણાની 14 અને ઓલપાડની 8 દરખાસ્તો પણ મંજૂર કરવામાં આવી હતી.
સુરત શહેરમાં કોવિડ મૃતકોને આર્થિક સહાય ચૂકવવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મોટાભાગની અરજીઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. નવી અરજીઓ હજુ પણ આવી રહી છે. શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. જે બાદ સુરત શહેરની 186 અરજીઓની દરખાસ્ત તૈયાર કરીને રવિવારે કલેકટરની મંજુરી માટે મોકલી આપવામાં આવી હતી.
દરમિયાન રવિવારે રજા હોવા છતાં જિલ્લા કલેક્ટર આયુષ ઓકે સુરતમાં 186 અને સાંજ સુધીમાં કુલ 282 દરખાસ્તોને મંજૂરી આપી હતી. કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપ્યા બાદ હવે સોમવારે તમામ પરિવારોના બેંક ખાતામાં સહાય જમા કરવામાં આવશે. અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લાના કુલ 418 પરિવારોને આર્થિક સહાયની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. તેમાંથી મોટાભાગના પરિવારોના બેંક ખાતામાં સહાયની રકમ જમા થઈ ગઈ છે..
મીડિયા રિપોર્ટ પ્રમાણે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય કરવામાં સુરત રાજ્યમાં મોખરે છે. કોરોના મહામારી દરમ્યાન મોતને ભેટનાર વ્યક્તિના પરિવારજનોને આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા 50 હજાર રૂપિયા ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, સુરત શહેર અને જિલ્લામાં 100થી વધુ એક પરિવારો છે જેઓએ આ મહામારીમાં પોતાના સ્વજન ગુમાવ્યા હોવા છતાં સરકારની આર્થિક સહાય લેવાનો ઈન્કાર કરી દીધો છે.