સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં કારભારી માળીની પોતાના બે પુત્રો અને પરિવાર સાથે રહેતા હતા
પુત્રનું મૃત્યુ થતા પોલીસ તપાસમાં મોતનું કારણ કુદરતી ગણાવ્યું, જો કે, પીએમ રિપોર્ટમાં હત્યાનો ભાંડો ફુટ્યો
સમગ્ર મામલે સાગરના ભાઈએ તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
WatchGujarat. સુરતના ચોકબજાર વિસ્તારમાં પિતા એ પુત્રની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. શરુઆતમાં પિતાએ પુત્રનું મોત કુદરતી કારણોસર થયું હોવાનું જણાવ્યું હતું કે જો કે પીએમ રીપોર્ટ અને પોલીસ તપાસમાં પિતાની કરતુતનો ભાંડો ફૂટી ગયો હતો.
સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં કારભારી માળીની પોતાના બે પુત્રો અને પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલા તેઓના પુત્ર સાગરનું મોત નીપજ્યું હતું. પોલીસને તેના મોત કોઈ કુદરતી કારણોસર થયું છે તેમ જણાવ્યું હતું. જો કે પોલીસને આ મામલે અજુગતું લાગતા મૃતક સાગરનું પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં તેનું ગળું દબાવવાથી મોત થયું હોવાનું બાહર આવ્યું હતું. જેથી આ મામલે તેના પિતાની કડક પૂછપરછ કરવામાં આવી હતી. અને પોલીસ તપાસ અને પીએમ રીપોર્ટમાં પિતાની કરતુતનો ભાંડો ફૂટી ગયો હતો.
પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે 25 વર્ષીય સાગર દોઢ વર્ષ અગાઉ ટીઆરબીમાં નોકરી કરતો હતો. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તે સાગર કોઈ કામધંધો કરતો ન હતો અને અવાર નવાર ઘરમાં તેના પિતા સાથે ઝગડા થયા હતા જેમાં આવેશમાં આવી તેના પિતાએ ગળું દબાવી દેતા તેનું મોત થયું હતું. આ સમગ્ર મામલે સાગરના ભાઈએ તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં કારભારી માળીની પોતાના બે પુત્રો અને પરિવાર સાથે રહેતા હતા
પુત્રનું મૃત્યુ થતા પોલીસ તપાસમાં મોતનું કારણ કુદરતી ગણાવ્યું, જો કે, પીએમ રિપોર્ટમાં હત્યાનો ભાંડો ફુટ્યો
સમગ્ર મામલે સાગરના ભાઈએ તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
WatchGujarat. સુરતના ચોકબજાર વિસ્તારમાં પિતા એ પુત્રની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. શરુઆતમાં પિતાએ પુત્રનું મોત કુદરતી કારણોસર થયું હોવાનું જણાવ્યું હતું કે જો કે પીએમ રીપોર્ટ અને પોલીસ તપાસમાં પિતાની કરતુતનો ભાંડો ફૂટી ગયો હતો.
સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં કારભારી માળીની પોતાના બે પુત્રો અને પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલા તેઓના પુત્ર સાગરનું મોત નીપજ્યું હતું. પોલીસને તેના મોત કોઈ કુદરતી કારણોસર થયું છે તેમ જણાવ્યું હતું. જો કે પોલીસને આ મામલે અજુગતું લાગતા મૃતક સાગરનું પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં તેનું ગળું દબાવવાથી મોત થયું હોવાનું બાહર આવ્યું હતું. જેથી આ મામલે તેના પિતાની કડક પૂછપરછ કરવામાં આવી હતી. અને પોલીસ તપાસ અને પીએમ રીપોર્ટમાં પિતાની કરતુતનો ભાંડો ફૂટી ગયો હતો.
પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે 25 વર્ષીય સાગર દોઢ વર્ષ અગાઉ ટીઆરબીમાં નોકરી કરતો હતો. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તે સાગર કોઈ કામધંધો કરતો ન હતો અને અવાર નવાર ઘરમાં તેના પિતા સાથે ઝગડા થયા હતા જેમાં આવેશમાં આવી તેના પિતાએ ગળું દબાવી દેતા તેનું મોત થયું હતું. આ સમગ્ર મામલે સાગરના ભાઈએ તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.