ભાવનગરના રતાલ કોમ્પલેક્ષમાં રહેતા વિશાલ નવલાની ના લગ્ન થોડા સમય પહેલા જ તાનીયા નામની યુવતી સાથે થયા હતા
ગોવા હનીમૂન મનાવવા જવા માટે તેઓએ સુરતથી આવવા જવાની ફ્લાઇટ બુક કરી હતી
ગતરોજ લક્ઝરી બસ વરાછાના હીરાબાગ પાસે હતી ત્યારે અચાનક જ AC ના કમ્પ્રેસર માં બ્લાસ્ટ થતાં બસમાં ભીષણ આગ લાગી હતી
બસ હીરાબાગ પહોંચે ત્યાર જ તેની AC માં બ્લાસ્ટ થાય છે અને બસ ત્યાં ઝટકા ખાઈને બંધ થઈ જાય છે
WatchGujarat. ગઈકાલે રાતે સુરતના હીરાબાગ સર્કલ પાસે અચાનક બસના AC નું કોમ્પ્રેશર ફાટતા બસમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ બસમાં અફરાતફરી સર્જાઇ હતી. આગે સેકન્ડોમાં જ બસને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું. અને અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામનાર મહિલા તેના પતિ સાથે હનીમૂન માટે ફલાઈટમાં ગોવા ગયા હતા. અને ત્યાંથી પાછા સુરત આવીને રાજધાની ટ્રાવેલ્સ માં ભાવનગર જવાના હતા ત્યારે આ ઘટના બની હતી.
https://youtu.be/NYDq6BHYZTo
મળતી માહિતી મુજબ ભાવનગરના રતાલ કોમ્પલેક્ષમાં રહેતા વિશાલ નવલાની ના લગ્ન થોડા સમય પહેલા જ તાનીયા નામની યુવતી સાથે થયા હતા. અને બંને જણા ગોવા હનીમૂન કરવા માટે સુરતથી આવવા-જવાની ફ્લાઇટ બુક કરી હતી. ભાવનગરથી દંપતિ સુરતમાં આવ્યા અને બાદમાં સુરતથી તેઓ ફ્લાઈટમાં ગોવા ગયા હતા. ગતરોજ તેઓ ગોવા થી સુરત આવ્યા અને રાત્રે રાજધાની નામની લક્ઝરી બસમાં બેસી ભાવનગર પરત જવા માટે નીકળ્યા હતા. લક્ઝરી બસ વરાછાના હીરાબાગ પાસે પહોંચી ત્યારે અચાનક જ AC ના કોમ્પ્રેશર માં બ્લાસ્ટ થતાં બસમાં ભીષણ આગ લાગી હતી. અને બસમાં બેઠેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઇ હતી.
આ દરમિયાન વિશાલ સળગતી હાલતમાં બસની બારી માંથી કુદી ગયો હતો અને તેની પત્ની તાનીયા બસમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે આ ભીષણ આગમાં ગંભીર રીતે દાઝી જતા તાનીયા નું મોત નીપ હતું. વિશાલ ને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે હાલ સારવાર હેઠળ છે.
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઇ શકાય છે કે, 9 - 35 મિનિટે બસ વરાછા મેઇન રોડ થી પસાર થાય છે અને 9 - 37 મિનિટે બસ વરાછા હીરાબાગ સર્કલ પાસે પહોંચે છે. બસ હીરાબાગ પહોંચે ત્યાર જ તેની AC માં બ્લાસ્ટ થાય છે. અને બસ ત્યાં ઝટકા ખાઈને બંધ થઈ જાય છે. બસ માંથી ધુમાડા નીકળતા દેખાતા આજુબાજુના લોકો તરત જ બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે દુકાનોમાંથી દોડી જાય છે.
આ ઘટનામાં હાલ કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે. બસમાં આગ કઈ રીતે લાગી તે માટે ફોરેન્સિક તેમની પણ મદદ લેવામાં આવશે. બસ માં રહેલા અન્ય મુસાફરો અને ડ્રાઇવરના નિવેદન લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ભાવનગરના રતાલ કોમ્પલેક્ષમાં રહેતા વિશાલ નવલાની ના લગ્ન થોડા સમય પહેલા જ તાનીયા નામની યુવતી સાથે થયા હતા
ગોવા હનીમૂન મનાવવા જવા માટે તેઓએ સુરતથી આવવા જવાની ફ્લાઇટ બુક કરી હતી
ગતરોજ લક્ઝરી બસ વરાછાના હીરાબાગ પાસે હતી ત્યારે અચાનક જ AC ના કમ્પ્રેસર માં બ્લાસ્ટ થતાં બસમાં ભીષણ આગ લાગી હતી
બસ હીરાબાગ પહોંચે ત્યાર જ તેની AC માં બ્લાસ્ટ થાય છે અને બસ ત્યાં ઝટકા ખાઈને બંધ થઈ જાય છે
WatchGujarat. ગઈકાલે રાતે સુરતના હીરાબાગ સર્કલ પાસે અચાનક બસના AC નું કોમ્પ્રેશર ફાટતા બસમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ બસમાં અફરાતફરી સર્જાઇ હતી. આગે સેકન્ડોમાં જ બસને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું. અને અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામનાર મહિલા તેના પતિ સાથે હનીમૂન માટે ફલાઈટમાં ગોવા ગયા હતા. અને ત્યાંથી પાછા સુરત આવીને રાજધાની ટ્રાવેલ્સ માં ભાવનગર જવાના હતા ત્યારે આ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ ભાવનગરના રતાલ કોમ્પલેક્ષમાં રહેતા વિશાલ નવલાની ના લગ્ન થોડા સમય પહેલા જ તાનીયા નામની યુવતી સાથે થયા હતા. અને બંને જણા ગોવા હનીમૂન કરવા માટે સુરતથી આવવા-જવાની ફ્લાઇટ બુક કરી હતી. ભાવનગરથી દંપતિ સુરતમાં આવ્યા અને બાદમાં સુરતથી તેઓ ફ્લાઈટમાં ગોવા ગયા હતા. ગતરોજ તેઓ ગોવા થી સુરત આવ્યા અને રાત્રે રાજધાની નામની લક્ઝરી બસમાં બેસી ભાવનગર પરત જવા માટે નીકળ્યા હતા. લક્ઝરી બસ વરાછાના હીરાબાગ પાસે પહોંચી ત્યારે અચાનક જ AC ના કોમ્પ્રેશર માં બ્લાસ્ટ થતાં બસમાં ભીષણ આગ લાગી હતી. અને બસમાં બેઠેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઇ હતી.
આ દરમિયાન વિશાલ સળગતી હાલતમાં બસની બારી માંથી કુદી ગયો હતો અને તેની પત્ની તાનીયા બસમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે આ ભીષણ આગમાં ગંભીર રીતે દાઝી જતા તાનીયા નું મોત નીપ હતું. વિશાલ ને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે હાલ સારવાર હેઠળ છે.
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઇ શકાય છે કે, 9 - 35 મિનિટે બસ વરાછા મેઇન રોડ થી પસાર થાય છે અને 9 - 37 મિનિટે બસ વરાછા હીરાબાગ સર્કલ પાસે પહોંચે છે. બસ હીરાબાગ પહોંચે ત્યાર જ તેની AC માં બ્લાસ્ટ થાય છે. અને બસ ત્યાં ઝટકા ખાઈને બંધ થઈ જાય છે. બસ માંથી ધુમાડા નીકળતા દેખાતા આજુબાજુના લોકો તરત જ બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે દુકાનોમાંથી દોડી જાય છે.
આ ઘટનામાં હાલ કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે. બસમાં આગ કઈ રીતે લાગી તે માટે ફોરેન્સિક તેમની પણ મદદ લેવામાં આવશે. બસ માં રહેલા અન્ય મુસાફરો અને ડ્રાઇવરના નિવેદન લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.