પાંડેસરા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીની ધો. 10 માં અભ્યાસ કરતી હતી
ઉતરાયણના દિવસે બહેનપણીઓ સાથે ફરવા જવાની તેણીએ જીદ કરી પણ પરિજનોએ તેને બહાર જતા અટકાવી
પરિવાર જમીને ઘર બહાર બેસવા ગયો હતો તે વેળાએ જ સીગરાએ ઘરમાં જઈને ફાંસો ખાઈ લીધો
WatchGujarat. સુરતમાં ઉતરાયણના દિવસે ફ્રેન્ડ સાથે ફરવા જવાની ના કહેતા સગીરાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દીકરીને લટકતી હાલતમાં જોઈ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી ઉઠ્યો.દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ આવતા ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી છે
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીની ધો. 10 માં અભ્યાસ કરતી હતી. ઉતરાયણના દિવસે બહેનપણીઓ સાથે ફરવા જવાની તેણીએ જીદ કરી હતી. જેથી પિતાએ કોરોનાનું સંક્રમણ વધ્યું હોય અને બીજી બાજુ પંતગની દોરીથી કોઈ અનહોની ન થાય તે માટે ઘરમાં જ રહેવા કહ્યું હતું. જે વાતનું સગીરાને માઠું લાગી આવ્યું હતું. અને બપોરે પરિવાર જમીને ઘર બહાર બેસવા ગયો હતો તે વેળાએ જ સીગરાએ ઘરમાં જઈને ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાને લઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગયી હતી. દીકરીને તાત્કાલિક સારવાર માટે પરિવાર સિવિલ હોસ્પિટલ લઇ આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે દીકરીને મૃત જાહેર કરી હતી. દીકરીએ આપઘાત કરી લેતા ઉતરાયણના તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો.
પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું કે, મકરસંક્રાંતિને લઈ બહેનપણીઓ સાથે ફરવા જવાની જીદ પકડી હતી. એક બાજુ કોરોના સંક્રમણ અને બીજી બાજુ પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન થાય એ માટે ઘરમાં જ રહેવા કહ્યું હતું. બપોરના ભોજન બાદ પરિવાર ઘર બહાર બેસવા ગયો હતો. 10 મિનિટ બાદ બાળકોની બુમાબુમ થતા ઘરમાં દોડીને ગયા તો દીકરી લટકી રહી હતી. ફાંસો ખાધેલી હાલતમાં દીકરીને જોઈ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નીચે ઉતારી સારવાર માટે લઈ આવતા ડોક્ટરો એ મૃત જાહેર કરી હતી. ત્રણ સંતાનોમાં આ સૌથી નાની દીકરી હતી. આ મામલે પાંડેસરા પોલીસે તપાસ શરુ કરી છે.
- પાંડેસરા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીની ધો. 10 માં અભ્યાસ કરતી હતી
- ઉતરાયણના દિવસે બહેનપણીઓ સાથે ફરવા જવાની તેણીએ જીદ કરી પણ પરિજનોએ તેને બહાર જતા અટકાવી
- પરિવાર જમીને ઘર બહાર બેસવા ગયો હતો તે વેળાએ જ સીગરાએ ઘરમાં જઈને ફાંસો ખાઈ લીધો
WatchGujarat. સુરતમાં ઉતરાયણના દિવસે ફ્રેન્ડ સાથે ફરવા જવાની ના કહેતા સગીરાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દીકરીને લટકતી હાલતમાં જોઈ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી ઉઠ્યો.દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ આવતા ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી છે
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીની ધો. 10 માં અભ્યાસ કરતી હતી. ઉતરાયણના દિવસે બહેનપણીઓ સાથે ફરવા જવાની તેણીએ જીદ કરી હતી. જેથી પિતાએ કોરોનાનું સંક્રમણ વધ્યું હોય અને બીજી બાજુ પંતગની દોરીથી કોઈ અનહોની ન થાય તે માટે ઘરમાં જ રહેવા કહ્યું હતું. જે વાતનું સગીરાને માઠું લાગી આવ્યું હતું. અને બપોરે પરિવાર જમીને ઘર બહાર બેસવા ગયો હતો તે વેળાએ જ સીગરાએ ઘરમાં જઈને ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાને લઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગયી હતી. દીકરીને તાત્કાલિક સારવાર માટે પરિવાર સિવિલ હોસ્પિટલ લઇ આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે દીકરીને મૃત જાહેર કરી હતી. દીકરીએ આપઘાત કરી લેતા ઉતરાયણના તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો.
પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું કે, મકરસંક્રાંતિને લઈ બહેનપણીઓ સાથે ફરવા જવાની જીદ પકડી હતી. એક બાજુ કોરોના સંક્રમણ અને બીજી બાજુ પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન થાય એ માટે ઘરમાં જ રહેવા કહ્યું હતું. બપોરના ભોજન બાદ પરિવાર ઘર બહાર બેસવા ગયો હતો. 10 મિનિટ બાદ બાળકોની બુમાબુમ થતા ઘરમાં દોડીને ગયા તો દીકરી લટકી રહી હતી. ફાંસો ખાધેલી હાલતમાં દીકરીને જોઈ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નીચે ઉતારી સારવાર માટે લઈ આવતા ડોક્ટરો એ મૃત જાહેર કરી હતી. ત્રણ સંતાનોમાં આ સૌથી નાની દીકરી હતી. આ મામલે પાંડેસરા પોલીસે તપાસ શરુ કરી છે.