સુરતમાં કોરોના કાળમાં શરૂ કરાયેલી બાળ સેવા યોજનાના ફોર્મ સ્વિકારવાનું બંધ કરાયું
સુરતમાંથી પણ અંદાજે 1000 જેટલા ફોર્મ ભરાયા, જેમાં જુલાઈ મહિનામાં ફક્ત 187 જેટલા પરિવારોને જ સહાય નો લાભ મળી શક્યો
ફોર્મ લેવા ગયેલા લોકોને યોજના સ્થગિત કરી દેવામાં આવી હોવાનું જણાવાયું
WatchGujarat. હાલ ભલે કોરોનાની લહેર ઓસરી ગઈ છે. પરંતુ દોઢ વર્ષ પહેલાં કોરોનાની પહેલી અને બીજી લહેર ઘણા પરિવારો માટે આઘાતરૂપ સાબિત થઈ હતી. કોઈએ પોતાના મા બાપ, ભાઈ બહેન, સગા સંબંધી અને મિત્રો ગુમાવ્યા હતા. તેવામાં આવા પરિવારોની વ્હારે આવીને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. અને આ નિર્ણય હતો રાજ્યના બાળકોને લઈને. જે બાળકોએ પોતાના માતા કે પિતા અથવા માતા પિતા બંને ગુમાવ્યા તેવા બાળકોને સહાય આપવાનો.
7 જુલાઈ,2021 ના રોજ ગુજરાત સરકારે બાળ સેવા યોજના લોકો માટે ખુલ્લી મૂકી હતી. કોરોના ની પહેલી અને બીજી લહેર માં માતા-પિતા બંને અથવા બંનેમાંથી ગમે તે એક ને ગુમાવનારા 0 થી 21 વર્ષ સુધીના બાળકો અને યુવાનોને માસિક 4000 આર્થિક સહાય કરવા સરકારે બાળ સેવા યોજના અમલમાં મૂકી હતી. 7 જુલાઈના રોજ સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. પણ આ યોજનાને હજી બે મહિના પણ પૂરા થયા નથી ત્યાં બાળકો માટેની આ બાળ સેવા યોજનાની બાળમરણ થઈ ગયું છે.
સુરતમાં છેલ્લા દસ દિવસથી આ યોજનાના ફોર્મ સ્વીકારવાનું બંધ છે. કોઈપણ પ્રકારની આવક મર્યાદા ન હોવાથી આ યોજનાનો લાભ લેવા રાજ્યભરમાં ફોર્મ ભરવામાં આવે છે. સુરતમાંથી પણ અંદાજે 1000 જેટલા ફોર્મ ભરાયા છે. જેમાં જુલાઈ મહિનામાં ફક્ત 187 જેટલા પરિવારોને જ આ સહાય નો લાભ મળી શક્યો છે. બાકી ઓગસ્ટથી લઈને અત્યારસુધી કોઈપણ લાભ લાભાર્થીઓને મળી શક્યો નથી. અધૂરામાં હવે તો આ ફોર્મ સ્વીકારવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે.
હજી પણ ફોર્મ ભરવા માટે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં લોકો ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ સરકારે એક આ યોજનાના ફોર્મ સ્વીકારવા પર બ્રેક મારી દેતા સંખ્યામાં લોકો અટવાઈ રહ્યા છે. આવા જ એક પરિવાર સાથે અમારી વાત થઈ હતી. ઇચ્છાપોર ખાતે રહેતા રેખાબેન પટેલના પતિનું કોરોનાની બીજી લહેરમાં મોત થયું હતું. ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી તેમના બંને બાળકોની જવાબદારી હવે તેમના માથે આવી ગઈ છે. જેથી તેઓ બાળ સેવા યોજનાના લાભ માટે જિલ્લા વિકાસ અધિકારી કચેરી પહોંચ્યા હતા.
જ્યાં તેમને કહી દેવામાં આવ્યું હતું કે આ યોજના હવે સ્થગિત કરી દેવામાં આવી છે. ફરી ક્યારે શરૂ થશે તે અંગે તેમને કોઈ માહિતી નથી. આમ યોજના શરૂ કર્યાના બે મહિના પણ પુરા થયા નથી અને બાળ સેવા યોજનાનું બાળ મરણ થતા અસંખ્ય પરિવારો અટવાઈ રહ્યા છે.
સુરતમાં કોરોના કાળમાં શરૂ કરાયેલી બાળ સેવા યોજનાના ફોર્મ સ્વિકારવાનું બંધ કરાયું
સુરતમાંથી પણ અંદાજે 1000 જેટલા ફોર્મ ભરાયા, જેમાં જુલાઈ મહિનામાં ફક્ત 187 જેટલા પરિવારોને જ સહાય નો લાભ મળી શક્યો
ફોર્મ લેવા ગયેલા લોકોને યોજના સ્થગિત કરી દેવામાં આવી હોવાનું જણાવાયું
WatchGujarat. હાલ ભલે કોરોનાની લહેર ઓસરી ગઈ છે. પરંતુ દોઢ વર્ષ પહેલાં કોરોનાની પહેલી અને બીજી લહેર ઘણા પરિવારો માટે આઘાતરૂપ સાબિત થઈ હતી. કોઈએ પોતાના મા બાપ, ભાઈ બહેન, સગા સંબંધી અને મિત્રો ગુમાવ્યા હતા. તેવામાં આવા પરિવારોની વ્હારે આવીને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. અને આ નિર્ણય હતો રાજ્યના બાળકોને લઈને. જે બાળકોએ પોતાના માતા કે પિતા અથવા માતા પિતા બંને ગુમાવ્યા તેવા બાળકોને સહાય આપવાનો.
7 જુલાઈ,2021 ના રોજ ગુજરાત સરકારે બાળ સેવા યોજના લોકો માટે ખુલ્લી મૂકી હતી. કોરોના ની પહેલી અને બીજી લહેર માં માતા-પિતા બંને અથવા બંનેમાંથી ગમે તે એક ને ગુમાવનારા 0 થી 21 વર્ષ સુધીના બાળકો અને યુવાનોને માસિક 4000 આર્થિક સહાય કરવા સરકારે બાળ સેવા યોજના અમલમાં મૂકી હતી. 7 જુલાઈના રોજ સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. પણ આ યોજનાને હજી બે મહિના પણ પૂરા થયા નથી ત્યાં બાળકો માટેની આ બાળ સેવા યોજનાની બાળમરણ થઈ ગયું છે.
સુરતમાં છેલ્લા દસ દિવસથી આ યોજનાના ફોર્મ સ્વીકારવાનું બંધ છે. કોઈપણ પ્રકારની આવક મર્યાદા ન હોવાથી આ યોજનાનો લાભ લેવા રાજ્યભરમાં ફોર્મ ભરવામાં આવે છે. સુરતમાંથી પણ અંદાજે 1000 જેટલા ફોર્મ ભરાયા છે. જેમાં જુલાઈ મહિનામાં ફક્ત 187 જેટલા પરિવારોને જ આ સહાય નો લાભ મળી શક્યો છે. બાકી ઓગસ્ટથી લઈને અત્યારસુધી કોઈપણ લાભ લાભાર્થીઓને મળી શક્યો નથી. અધૂરામાં હવે તો આ ફોર્મ સ્વીકારવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે.
હજી પણ ફોર્મ ભરવા માટે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં લોકો ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ સરકારે એક આ યોજનાના ફોર્મ સ્વીકારવા પર બ્રેક મારી દેતા સંખ્યામાં લોકો અટવાઈ રહ્યા છે. આવા જ એક પરિવાર સાથે અમારી વાત થઈ હતી. ઇચ્છાપોર ખાતે રહેતા રેખાબેન પટેલના પતિનું કોરોનાની બીજી લહેરમાં મોત થયું હતું. ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી તેમના બંને બાળકોની જવાબદારી હવે તેમના માથે આવી ગઈ છે. જેથી તેઓ બાળ સેવા યોજનાના લાભ માટે જિલ્લા વિકાસ અધિકારી કચેરી પહોંચ્યા હતા.
જ્યાં તેમને કહી દેવામાં આવ્યું હતું કે આ યોજના હવે સ્થગિત કરી દેવામાં આવી છે. ફરી ક્યારે શરૂ થશે તે અંગે તેમને કોઈ માહિતી નથી. આમ યોજના શરૂ કર્યાના બે મહિના પણ પુરા થયા નથી અને બાળ સેવા યોજનાનું બાળ મરણ થતા અસંખ્ય પરિવારો અટવાઈ રહ્યા છે.