ગૃહ વિભાગ આમ તો એક કઠોર ખાતું માનવામાં આવે છે, પણ તેના મંત્રી કેટલા સંવેદનશીલ છે તેનું વધુ એક ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું
ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજાયો હતો
સમાજમાં પોતાની સાથે પરિવારમાં માતા અને પત્નીનું પણ સ્ટેજ પર સન્માન કરવામાં આવતા હર્ષ સંઘવી ભાવુક થયા
WatchGujarat. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ની સંવેદનશીલતા અનેક કિસ્સાઓમાં જોવા મળી છે. કોરોના સમયમાં દર્દીઓની વચ્ચે રહીને તેમની સેવા કરવાની વાત હોય કે પછી તાજેતરમાં જ અમદાવાદમાં મળી આવેલ બાળકની વાત હોય,કે પછી ગાડીઓનો કાફલો રોકીને તાપીમાં છલાંગ લગાવનાર મહિલાને બચાવવા માટે સૂચનો આપવાની વાત હોય, હર્ષ સંઘવી ગૃહમંત્રી હોવા છતાં સૌથી પહેલા માનવતા બતાવીને તેઓ હંમેશા લોકોની મદદે પહેલા આવ્યા છે.
https://youtu.be/9JoSTcqD7Y4
ગૃહ વિભાગ આમ તો એક કઠોર ખાતું માનવામાં આવે છે, પણ તેના મંત્રી કેટલા સંવેદનશીલ છે તેનું વધુ એક ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું. આજે સુરતમાં તેઓએ પાંચ જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજાયો હતો. હર્ષ સંઘવીની સાથે સન્માન માટે તેમના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સમાજમાં પોતાની સાથે પરિવારમાં માતા અને પત્નીનું પણ સ્ટેજ પર સન્માન કરવામાં આવતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા. અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. હર્ષ સંઘવીની સાથે તેમનો પરિવાર પણ ભાવુક થઈ ગયો હતો.
હર્ષ સંઘવીએ તેમના પરિવાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે આમ તો દરેકના જીવનમાં તેમના માતાપિતાનું યોગદાન હોય છે, તે જ પ્રમાણે તેમના માતાપિતાએ પણ જે કર્યું છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમણે પોતાની ઇચ્છાશક્તિને બાજુમાં મૂકીને સમય જોયા વગર તેમની અને તેમના ભાઈ બહેનોના સપના પૂર્ણ કર્યા છે.
તે જ પ્રમાણે હર્ષ સંઘવીએ તેમની પત્ની વિશે પણ વાતો કરતા જણાવ્યું હતું કે લગ્ન પછી નાની વયે તેઓ રાજકારણ માં જોડાયા હતા. તે પછી તેમની પત્નીએ પરિવાર, બાળકોનું ધ્યાન રાખીને સાચા અર્થમાં જીવનસાથી તરીકે સાથ નિભાવ્યો છે. આ બોલતા ગૃહમંત્રી અને તેમનો પરિવાર ભાવુક થઇ ગયો હતો. અને પ્રેક્ષક ગણમાં પણ શાંતિ છવાઈ ગઈ હતી.
ગૃહ વિભાગ આમ તો એક કઠોર ખાતું માનવામાં આવે છે, પણ તેના મંત્રી કેટલા સંવેદનશીલ છે તેનું વધુ એક ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું
સમાજમાં પોતાની સાથે પરિવારમાં માતા અને પત્નીનું પણ સ્ટેજ પર સન્માન કરવામાં આવતા હર્ષ સંઘવી ભાવુક થયા
WatchGujarat. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ની સંવેદનશીલતા અનેક કિસ્સાઓમાં જોવા મળી છે. કોરોના સમયમાં દર્દીઓની વચ્ચે રહીને તેમની સેવા કરવાની વાત હોય કે પછી તાજેતરમાં જ અમદાવાદમાં મળી આવેલ બાળકની વાત હોય,કે પછી ગાડીઓનો કાફલો રોકીને તાપીમાં છલાંગ લગાવનાર મહિલાને બચાવવા માટે સૂચનો આપવાની વાત હોય, હર્ષ સંઘવી ગૃહમંત્રી હોવા છતાં સૌથી પહેલા માનવતા બતાવીને તેઓ હંમેશા લોકોની મદદે પહેલા આવ્યા છે.
ગૃહ વિભાગ આમ તો એક કઠોર ખાતું માનવામાં આવે છે, પણ તેના મંત્રી કેટલા સંવેદનશીલ છે તેનું વધુ એક ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું. આજે સુરતમાં તેઓએ પાંચ જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજાયો હતો. હર્ષ સંઘવીની સાથે સન્માન માટે તેમના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સમાજમાં પોતાની સાથે પરિવારમાં માતા અને પત્નીનું પણ સ્ટેજ પર સન્માન કરવામાં આવતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા. અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. હર્ષ સંઘવીની સાથે તેમનો પરિવાર પણ ભાવુક થઈ ગયો હતો.
હર્ષ સંઘવીએ તેમના પરિવાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે આમ તો દરેકના જીવનમાં તેમના માતાપિતાનું યોગદાન હોય છે, તે જ પ્રમાણે તેમના માતાપિતાએ પણ જે કર્યું છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમણે પોતાની ઇચ્છાશક્તિને બાજુમાં મૂકીને સમય જોયા વગર તેમની અને તેમના ભાઈ બહેનોના સપના પૂર્ણ કર્યા છે.
તે જ પ્રમાણે હર્ષ સંઘવીએ તેમની પત્ની વિશે પણ વાતો કરતા જણાવ્યું હતું કે લગ્ન પછી નાની વયે તેઓ રાજકારણ માં જોડાયા હતા. તે પછી તેમની પત્નીએ પરિવાર, બાળકોનું ધ્યાન રાખીને સાચા અર્થમાં જીવનસાથી તરીકે સાથ નિભાવ્યો છે. આ બોલતા ગૃહમંત્રી અને તેમનો પરિવાર ભાવુક થઇ ગયો હતો. અને પ્રેક્ષક ગણમાં પણ શાંતિ છવાઈ ગઈ હતી.